SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૪ મોડેલ જોવાલાયક છે. ત્રણ ગર્ભદ્વાર છે. ૧૭' ઊંચી મૂળનાયક શ્રી ચિંતામણિ પાર્શ્વનાથની અષ્ટપ્રાતિહાર્ય પરિકરયુક્ત આરસપ્રતિમા મનોહર છે. પ્રતિમાલેખ નથી. અહીં કુલ ચૌદ આરસપ્રતિમા તથા ઇક્યોતેર ધાતુપ્રતિમા છે. ધાતુપ્રતિમા પૈકી બે રજતપ્રતિમા છે. કુલ નવ આરંસનાં પગલાંની જોડ છે. તે પૈકી ચાર જોડ પર સં. ૧૬૭૮ વાંચી શકાય છે. ઐતિહાસિક સંદર્ભ સુરતનાં જિનાલયો સુરત ચૈત્યપરિપાટીમાં સં. ૧૯૮૯માં આ જિનાલયનો વહીવટ શેઠ અમરચંદ કરમચંદ હસ્તક હતો. તે ગ્રંથમાં આ જિનાલય વિશે નીચે મુજબની નોંધ છે : “આ દેરાસર વડી પોશાળગચ્છનું છે. હજુ સુધી તે ગચ્છવાળાઓએ જ તેનો વહીવટ કર્યો છે. આ દેરાસર ઘણું પ્રાચીન છે. તેમાં લાકડામાં નકશીકામ ઘણું ઉત્તમ છે. તેના નમૂના સુખડમાં કોતરાવી ઇંગ્લાંડ દેશના મ્યુઝિયમમાં મૂકવામાં આવ્યા છે. પેઇન્ટિંગ કામ પણ તેટલું જ સુંદર છે. જીર્ણોદ્ધાર સમયે બહુ કાળજીથી કામ કરાવવામાં આવ્યું હશે જેથી આજે આવી ઉત્તમ વસ્તુ અસ્તિત્વમાં રહી શકી છે. શ્રી કુમારપાળ અને કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યનો ઓઇલ પેઇન્ટિંગ ફોટો પણ અતિ સુંદર છે. મૂળ આ દેરાસરમાં બાવન જિનાલય હતાં. જીર્ણોદ્ધાર થયો ત્યારે તે કઢાવી, મૂળનાયકજીના ગભારાની આસપાસ ચોવીસી ગોઠવવામાં આવી છે. આવી પ્રાચીન કલાના નમૂનાઓ જૈનસમાજ માટે ગૌરવપદ છે. આ ઉપરાંત સુરતની જૈન ડીરેક્ટરીમાં આ દેરાસરના અંગે ૧૭૦મા પાને નીચે મુજબ વર્ણન છે : ‘સુરતમાં શાહપુરમાં શ્રી ચિંતામણિ પાર્શ્વનાથનું દેરાસર છે. એ પ્રભુની ચમત્કારીક મૂર્તિ વિષે સુરતના વૃદ્ધ જૈનો કહે છે કે અત્યારે જે મેઝા સામેની મસ્જીદ છે તે પહેલાં જૈનમંદિર હતું, ત્યાં આ ચિંતામણિ પાર્શ્વનાથની મૂર્તિ હતી. એ મૂર્તિ કેવી રીતે લબ્ધ થઈ અને કેવી રીતે શાહપુરનું દેરાસર અસ્તિત્વમાં આવ્યું તે વિષે કહેવાય છે કે – જ્યારે મુસલમાનો દેરાસર તોડવા આવ્યા ત્યારે દેરાસરના દરવાજા બંધ થઈ ગયા. રાત્રે એક ગરીબ શ્રાવકને સ્વપ્ન આવ્યું કે ચિંતામણિ પાર્શ્વનાથની મૂર્તિ કૂવામાં છે ત્યાંથી મૂર્તિને બહાર કાઢી એક દેરાસર બંધાવી તેમાં પધરાવો. આ શ્રાવકે પોતાના સ્વપ્નની વાત તે વખતે સુરતમાં જે યતિજી હતા તેમને કરી અને સાથે જણાવ્યું કે મારી પાસે કાંઈ મૂડી નથી. માત્ર એક રૂપિયો અને એક કોડી છે. યતિજીએ ગમે તે બળે પણ શ્રાવકને કહ્યું કે આ કોથળીમાંથી તને જોઈયે તેટલા રૂપિયા મળશે, તું દેરાસર બંધાવ પણ એક શરત કે આ કોથળી કદી ઠાલવીશ નહિ. પછી કુવામાં તપાસ કરતાં મૂર્તિ મળી આવી અને દેરાસર બંધાવ્યું. આજે એ કુવો આ જ દેરાસરમાં મૌજુદ છે. પેલી કોથળી અને કોડી પણ મૌજુદ છે. એ પ્રાચીન દેરાસર સંબંધી પણ ઉલ્લેખ મળી આવે છે.' ગુજરાત સર્વ સંગ્રહના કર્તા ૧૩૧મા પાને જણાવે છે કે – ‘મેરઝા સામેની કબર ૧૫૪૦ના ખુદાવીંદખાને બંધાવી છે. કબર પાસેની લાકડાની મસજીદ છે તે શાહપુર મહેલ્લામાં જૈનનું દેવલ હતું તે તોડીને તેમાંના સામાને બંધાવી.' આ ઉપરથી સમજાય છે કે આ ચિંતામણિ પાર્શ્વનાથ પ્રભુનું દેરાસર પંદરમા સૈકામાં Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005594
Book TitleSuratna Jinalayo
Original Sutra AuthorN/A
AuthorChandrakant Kadia
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year2001
Total Pages594
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy