SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ સુરતનાં જિનાલયો ૧૨૩ ધાબાબંધી જિનાલય તરીકે દર્શાવ્યું છે. કુલ ઓગણપચાસ આરસપ્રતિમા, સિત્તેર ધાતુપ્રતિમા, એક સ્ફટિકપ્રતિમા, પાંચ રજત ચોવીસીપટ તથા ત્રણ ધાતુચોવીસીપટ હતા. વહીવટ શેઠ દલીચંદ વીરચંદ શ્રોફ હસ્તક હતો અને જિનાલયની સ્થિતિ સારી હતી. જિનાલય સં. ૧૭૨૫ લગભગમાં શ્રી સંઘે બંધાવ્યાની નોંધ છે. સં. ૨૦૨૩માં સુરતનાં જિનાલયોની સવિસ્તાર યાદીમાં નવાપુરા કરવા રોડ વિસ્તારમાં આ જિનાલયનો ઉલ્લેખ છે. જીર્ણોદ્ધાર સં. ૨૦૦૫માં થયાની નોંધ છે. વહીવટ શેઠ હીરાલાલ મગનલાલ પારેખ હસ્તક હતો. આજે જિનાલયમાં કુલ તેપન આરસપ્રતિમા તથા સડસઠ ધાતુપ્રતિમા છે. વહીવટ શ્રી અરૂણભાઈ ઈશ્વરલાલ ચોકસી, શ્રી વસંતલાલ ભોગીલાલ શાહ તથા શ્રી કમલેશભાઈ નવનીતભાઈ કાપડિયા હસ્તક છે. સં. ૨૦૧૦માં આ જિનાલય સં. ૧૭૨૫ લગભગમાં બંધાયાની નોંધ છે. સં. ૧૭૯૩માં લાધાશાહકૃત સુરત ચૈત્યપરિપાટીમાં આ જિનાલયનો સ્પષ્ટ ઉલ્લેખ છે. અમારી માન્યતા પ્રમાણે આ જિનાલયનો સમય સં. ૧૭૯૩ પૂર્વેનો છે. તેથી વધુ પ્રાચીનતા નક્કી કરવા માટે વધુ સંશોધનની જરૂર છે. શાહપોર ૫૪. ચિંતામણિ પાર્શ્વનાથ (સં. ૧૬૮૯ પૂર્વે) શાહપુર વિસ્તારમાં મુગલીસરા મુખ્ય રોડ પર આવેલું શ્રી ચિંતામણિ પાર્શ્વનાથનું આ છાપરાબંધી જિનાલય સુરતનાં જિનાલયોમાં મુખ્ય છે. ચિંતામણિદાદાના હુલામણા નામે ઓળખાતાં પ્રશમરસ નીતરતા દિવ્ય પ્રતિમાજી અનેકના અંતરની આસ્થાના આધારરૂપ છે. કાષ્ટકોતરણીના ઉત્તમ નમૂનારૂપ આ જિનાલય સુરતમાં પ્રથમ ક્રમે આવે છે. મોટો ચોક છે. અહીં એક ગોખમાં મહાલક્ષ્મીમાતાની નાની મૂર્તિ છે જેની પ્રતિષ્ઠા સં ૧૯૭૮ના માસુ૧૦ને દિને વીશા શ્રીમાળી શા. કીકાભાઈ ગુલાબચંદ તરફથી થઈ છે. રંગમંડપમાં પ્રવેશવાનો દ્વાર કાષ્ઠ કોતરણીયુક્ત છે. સ્થંભો પર તથા છતમાં ઉત્તમ કાષ્ઠ કોતરણી છે. અહીં એક ગોખમાં રાજા કુમારપાળ તથા શ્રી હેમચંદ્રાચાર્યનો સુંદર ફોટો છે જે મુનિ શ્રી દર્શનવિજયજીના ઉપદેશથી સં૧૯૭૦માં બનાવવામાં આવ્યો હતો. અન્ય ગોખમાં કલ્પદ્રુમ પાર્શ્વનાથ, સીમંધરસ્વામી તથા શંખેશ્વર પાર્શ્વનાથની આરસપ્રતિમા છે. ગભારાને ફરતે પ્રદક્ષિણાની જગ્યા છે. કાષ્ઠ કોતરણીયુક્ત નાના નાના ગોખમાં ૨૪ તીર્થકરોના ચિત્રકામયુક્ત ફોટા છે. મેરુ પર્વતની કૃતિ તથા ૪૫ આગમોની પેટી છે. શ્રી વિજયકુમુદચંદ્રસૂરિની આરસની ગુરુમૂર્તિ છે. રંગમંડપના પાછળના ભાગમાં સમેતશિખર, ક્ષત્રિયકુંડ, ગુણીયાજી, રાજગૃહીના પટ છે. અન્ય બે રૂમ પૈકી એકમાં શત્રુંજયનું કાષ્ઠનું મોડેલ તથા બીજા રૂમમાં સમેતશિખરનું કાષ્ઠનું Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005594
Book TitleSuratna Jinalayo
Original Sutra AuthorN/A
AuthorChandrakant Kadia
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year2001
Total Pages594
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy