SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૮ ખંભાતનાં જિનાલયો આહે ખારુઆ તણી વલી પોલિમાં, સાતઈ દેહરાં કહી જઈ .. આહે પાંચ બંબ પ્રેમે નમું, વીર ચોમુષ સાત // ૩૨ સં. ૧૭૦૧માં મતિસાગર રચિત ખંભાાંતિ તીર્થમાલામાં આ જિનાલય વિશે નીચે મુજબની પંક્તિઓમાં ઉલ્લેખ આવે છે : ખારુઆ વાડઈ વીર જિન ચમુષી વ્યાસી નમો અવિલંબજી શ્રી મુનિસુવ્રત દેહરઈ ભુંઈરઈ દોઈસઈ ચૌદઈ બિંબજી ૬ સં. ૧૯૦૦માં ખારવાડામાં બાર જિનાલયોનો ઉલ્લેખ આવે છે જે પૈકી શ્રી મહાવીરસ્વામીના ચૌમુખજીના જિનાલયનો ઉલ્લેખ ક્રમાંક ૧૧માં નીચે મુજબ આવે છે : પ્રથમ ખારવાવાડામાં દેહરાં ૧૨ તેહની વિગત૦૧. શ્રી યંભણ પાર્શ્વનાથનું દેરું તે મધઈ ૧૧. શ્રી મહાવીર સ્વામી દેહરું સમવસરણ ચૌમુખ ૧૨. શ્રી મુનિસુવ્રતસ્વામીનું દેહરું સં. ૧૯૪૭માં જયતિહુઅણસ્તોત્ર ગ્રંથની પ્રસ્તાવનામાં પણ મહાવીર સ્વામી ચૌમુખજીના જિનાલયનો ઉલ્લેખ ખારવાડા વિસ્તારમાં ક્રમાંક ૧૦માં થયેલો છે જે નીચે મુજબ છે : ખારવાડમાં ૦૧. શ્રી સ્વૈભણ પાર્શ્વનાથજીનું ૧૦. મહાવીર સ્વામીનું (ચૌમુખજીના આકારનું છે) ૧૧. મુનિસુવ્રતસ્વામીજીનું સં. ૧૯૬૩માં જૈન શ્વેતાંબર ડિરેક્ટરીમાં ખારવાડામાં આવેલા શ્રી મહાવીર સ્વામીના જિનાલયનો ઉલ્લેખ ધાબાબંધી તરીકે દર્શાવવામાં આવ્યો છે. જિનાલયમાં તે સમયે પાષાણની દસ પ્રતિમાજીઓ બિરાજમાન હતી અને જિનાલયના મકાનની સ્થિતિ સાધારણ હતી. સં. ૧૯૮૪માં ખંભાતનો ઇતિહાસ અને ચૈત્યપરિપાટીમાં ખારવાડામાં મહાવીર સ્વામીજીના જિનાલયમાં પાષાણની નવ પ્રતિમાજીઓ બિરાજમાન હતી અને તે સમયે જિનાલયનો વહીવટ શા રાયા રતનચંદવાળા વાડીલાલ છોટાલાલ હસ્તક હતો. તેઓ જિનાલયની નજીક જ રહેતા હતા. સં. ૨૦૧૦માં જૈન તીર્થ સર્વ સંગ્રહમાં ખારવાડામાં આવેલું મહાવીર સ્વામીનું જિનાલય Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005593
Book TitleKhambhatna Jinalayo
Original Sutra AuthorN/A
AuthorChandrakant Kadia
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year2000
Total Pages476
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy