SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૬ અલીંગ મુનિસુવ્રત સ્વામી (સં. ૧૬૭૩ પહેલાં) ખંભાતમાં આજે અલીંગ નામથી પ્રચલિત વિસ્તારમાં મુનિસુવ્રત સ્વામીનું ધાબાબંધી જિનાલય જીર્ણ હાલતમાં વિદ્યમાન છે અને આ જિનાલયના જીર્ણોદ્ધારનું કામ થોડા સમય પહેલાં શરૂ થયું છે. ખંભાતમાં જુદા-જુદા સમયે અલીંગ અને તેની સાથે સામ્ય ધરાવતા નામવાળા વિસ્તારો પ્રાપ્ત થાય છે. ખંભાતમાં આલિગ નામનો મંત્રી થઈ ગયો. આ વિસ્તારનું નામ આ મંત્રીના નામ પરથી પડ્યું હશે કે આ વિસ્તાર એક સમયે સમુદ્ર કાંઠાની નજીકનો હોય અને ત્યાં વહાણ તોડવાનું કામ ચાલતું હોય અને તેથી અલંગ કે અલિંગ નામ પડ્યું હશે ? નજીકમાં જ ખારવાવાડો અર્થાત્ ખારવાડો આવેલો છે. આમ, આ નામ સંદર્ભે બે તર્ક સંભવે છે અને એમાં વિશેષ સંશોધન આવશ્યક છે. મૂળનાયક શ્રી મુનિસુવ્રતસ્વામીની પ્રતિમા ૫૨ સં ૧૬૬૨નો મૂર્તિલેખ છે. ખંભાતનાં જિનાલયો સં. ૧૬૭૩માં કવિશ્રી ઋષભદાસ રચિત ત્રંબાવતી તીર્થમાલામાં અલંગવસહીમાં ત્રણ જિનાલયો દર્શાવ્યાં છે : (૧) શ્યામલ રંગી ઋષભદેવ (૨) કુંથુનાથ (૩) શાંતિનાથ. ઉપરાંત તે જ તીર્થમાલામાં નાલીયેરપાડાના ઋષભદેવ ભગવાનનું વર્ણન કર્યા બાદ અલંગ નામના વિસ્તારનો ઉલ્લેખ કરે છે, જેમાં પાર્શ્વનાથનું જિનાલય હોવાનો સંભવ છે. ત્યારબાદ ફરી એક વાર અલંગનો ઉલ્લેખ કરવામાં આવેલ છે, જે નીચે મુજબની પંક્તિઓમાં થયેલ છે : આહે એક પ્રાસાદ અલંગમાં, સ્વામી મુનિસુવ્રત કેરો । આહે પાંત્રીસ ત્ર્યંબ પૂજી કરી, ટાલો ભવનો એ ફેરો ॥ ૩૩ એટલે કે સં ૧૬૭૩માં અલંગ નામના વિસ્તારમાં મુનિસુવ્રતસ્વામીનું જિનાલય વિદ્યમાન હતું. સં. ૧૭૦૧માં મતિસાગર રચિત ખંભાઇતિ તીર્થમાલામાં અલિંગવસહી અને અલિગવસહી એમ બે વા૨ એ નામથી વિસ્તાર દર્શાવવામાં આવ્યો છે. અલિંગવસહીમાં આદિનાથનો ઉલ્લેખ છે જ્યારે અલિગવસહીમાં સંભવનાથ અને કુંથુનાથ— એમ બે જિનાલયોનો ઉલ્લેખ આવે છે. પરંતુ મુનિસુવ્રત સ્વામીના જિનાલયનો ઉલ્લેખ આવતો નથી. Jain Education International સં. ૧૯૦૦માં તે સમયે લાડવાડામાં છ જિનાલયોનો ઉલ્લેખ કર્યા પછી બાંમણવાડાના બે જિનાલયોનો ઉલ્લેખ આવે છે. અને ત્યારબાદ અલિંગમાં એક જિનાલય શ્રી ઋષભદેવજીનું હોવાની નોંધ છે. સં. ૧૯૦૦માં લાડવાડાનો જે વિસ્તાર દર્શાવાયો છે. તેમાંનો મોટા ભાગનો વિસ્તાર માણેકચોકથી પ્રસિદ્ધ છે અને તે સમયનો બાંમણવાડાનો વિસ્તાર આજે મુખ્યત્વે લાડવાડાથી ઓળખાય છે. અલિંગના જિનાલયનો ઉલ્લેખ સં. ૧૯૦૦માં ક્રમાંક ૮૦માં નીચે મુજબ આવે છે : For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005593
Book TitleKhambhatna Jinalayo
Original Sutra AuthorN/A
AuthorChandrakant Kadia
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year2000
Total Pages476
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy