________________
ખંભાતનાં જિનાલયો
૪૫
અમારા પ્રતાપી તથા ધર્મનિષ્ઠ પૂર્વજ શેઠ શ્રી પ્રેમચંદ ફતેચંદના શુભ નામથી અંકિત ખંભાત શહેરના ટેકરી વિભાગમાં આવેલા આ શ્રી સુમતિનાથ ભગવાનનું ગૃહમંદિર તથા ધર્મશાળાનું નિર્માણ વર્ષો પૂર્વે તેમના સુપુત્ર શેઠશ્રી જેઠાભાઈ પ્રેમચંદે કરેલ હતું. આ જ મકાનમાં વયોવૃદ્ધ પૂ. મુનિરાજ શ્રી નીતિવિજયજી મ(દાદા)ની નિશ્રામાં શ્રી તપગચ્છ અમર જૈન શાળાની સ્થાપના કરવામાં આવી હતી. વર્ષો જૂના આ મકાનનું પાયાથી નવનિર્માણ તેમના વારસદારો (૧) શેઠ શ્રી કસ્તૂરભાઈ અમરચંદ પરિવાર (૨) શેઠશ્રી ઠાકરચંદ અમરચંદ પરિવાર (૩) શેઠ શ્રી છગનલાલ અમરચંદ પરિવાર (૪) શેઠશ્રી મણીલાલ પીતાંબરદાસ પરિવાર તરફથી કરવામાં આવેલ છે.
ઉપરના માળે આવેલ ગૃહમંદિરમાં મૂળનાયક શ્રી સુમતિનાથ ભગવાન આદિ ધાતુનાં શ્રી જિનબિંબોની ચલ પ્રતિષ્ઠા વિધિ શ્રી બૃહદ્ અષ્ટોતરી શાંતિ સ્નાત્ર સહિત પયાપિનક શ્રી જિનેન્દ્ર ભક્તિ મહોત્સવપૂર્વક સકલગમ રહસ્યવેદી સ્વ. પૂ. આ. દેવ શ્રીમદ્ વિજય દાનસૂરિ મ.ના પટ્ટાલંકાર સિદ્ધાંત મહોદધિ સ્વ. પૂ. આ. દેવ, શ્રીમદ્ વિજય પ્રેમસૂરિ મ. સા.ના પટ્ટ વિભૂષક પરમ શાસન પ્રભાવક પરમોપકારી તપાગચ્છ નાયક સુવિશાલ ગચ્છાધિપતિ વ્યાખ્યાન વાચસ્પતિ પૂ. આ દેવ શ્રીમદ્ વિજયરામચંદ્રસૂરિ મ. સા. ની તારક નિશ્રામાં વિશાળ ચતુર્વિધ શ્રી સંઘની ઉપસ્થિતિમાં વિસં. ૨૦૪૬ના શ્રાવણ સુદ ૧૪ને રવિવાર તા. ૫-૮-૧૯૯૦ના રોજ શુભ સમયે કરવામાં આવેલ છે.
આ નીચેના હોલનો સદુપયોગ વર્ષોથી ચતુર્વિધ શ્રી સંઘની ભક્તિના કાર્યમાં થતો આવ્યો છે અને થઈ રહ્યો છે.
|| શુભ ભવતુ શ્રી સંઘસ્ય || વિ. સં. ૨૦૪૭ કારતક વદ ૬ ગુરુવાર ત. ૮-૧૧-૧૯૯૦ શ્રી સ્વંભનતીર્થ ટેકરી શેઠ શ્રી પ્રેમચંદ ફતેચંદ પરિવાર”
ટૂંકમાં આ ઘરદેરાસર પ્રેમચંદ ફતેચંદ કુટુંબની પરંપરાનું છે. અગાઉ જણાવ્યું તેમ આ ઘરદેરાસરનો સૌ પ્રથમ ઉલ્લેખ સં. ૧૯૮૪માં મળે છે. પરંતુ હાલમાં મૂળનાયક શ્રી સુમતિનાથ ભગવાન પરના લેખનો સંવત ૨૦૪૩ છે એટલે કે સં૧૯૮૪માં વિદ્યમાન સુમતિનાથજીની પ્રતિમાજી હાલમાં વિદ્યમાન નથી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org