SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ ખંભાતનાં જિનાલયો મહાલક્ષ્મીની પોળના વિસ્તારમાં અને સં. ૧૯૪૭માં ચોકસીની પોળમાં વિદ્યમાન હતું. આજે એ જિનાલય ચોકસીની પોળમાં કે મહાલક્ષ્મીની પોળમાં વિદ્યમાન નથી. પરંતુ એ જિનાલય ખારવાડામાં ખસેડવામાં આવ્યું છે. ખારવાડામાં શ્રી સીમંધર સ્વામીના જિનાલયની જમણી બાજુની ખડકીમાં શ્રી સુખસાગર પાર્શ્વનાથનું ઘુમ્મટબંધી જિનાલય આજે વિદ્યમાન છે. આ ખડકીમાંથી નાગરવાડે જવાનો રસ્તો પડે છે. ચોકસીની પોળ-મહાલક્ષ્મીની પોળમાં સં. ૧૬૭૩માં મોહોર પાર્શ્વનાથનો ઉલ્લેખ આવે છે. જ્યારે સં. ૧૭૦૧માં લાંબીઓટિ-સુગ(ખ)સાગરપોળમાં શીતલનાથ તથા મુહુર પાર્શ્વનાથનો ઉલ્લેખ આવે છે. આ બે જિનાલયો સં. ૧૯૦૦માં તથા સં૧૯૪૭માં પણ ચોકસીની પોળમાં વિદ્યમાન હતા. આજે મહાલક્ષ્મીની પોળ-ચોકસીની પોળમાં મહાવીર સ્વામીનું જિનાલય વિદ્યમાન છે. જેમાં ઉપર જણાવેલ શીતલનાથ તથા મોહોર પાર્શ્વનાથ એમ બંને જિનાલયોના મૂળનાયક પ્રતિમાજીઓ પધરાવવામાં આવ્યા છે. આ અંગે સં. ૧૯૮૪માં ખંભાતનો ઇતિહાસ અને ચૈત્યપરિપાટીમાં પૃ૩૭ ઉપર મહાવીર સ્વામીના જિનાલય વિશે વર્ણન કરતાં નીચે મુજબની નોંધ મળે છે : કાર્તિકી પૂર્ણિમાએ બંધાતો શ્રી શત્રુંજયનો પટ અહીં જ રહે છે, તેમ જ નવીન વર્ષમાં પ્રથમ પૂજા આ દહેરે થતી હોવાથી આ સ્થાનનું મહત્ત્વ અનેરું છે. પ્રસ્તુત દેવાલયમાં બુલાખીદાસની ખડકીમાંથી શ્રી મહાવીર સ્વામીનું અને ચોકસીની પોળમાંની વાવમાંથી મનમોહન પાર્શ્વનાથ તેમજ શીતલનાથના દહેરા ઉપાડી એ ત્રણેનો અહીં સમાવેશ કરવામાં આવ્યો છે. સં. ૧૯૬૩માં જૈન શ્વેતાંબર ડિરેક્ટરીમાં ચોકસીની પોળના વિસ્તારનો ઉલ્લેખ આવે છે પરંતુ મહાલક્ષ્મીની પોળના નામનો ઉલ્લેખ આવતો નથી. સંભવતઃ તે સમયે મહાલક્ષ્મીની પોળનો વિસ્તાર ચોકસીની પોળમાં ભળી ગયેલો હશે. તે સમયે ચોકસીની પોળમાં છ જિનાલયો વિદ્યમાન હતાં. અને બધાં જ જિનાલયો ધાબાબંધી હતાં. (૧) ચંદ્રપ્રભુ (૨) મહાવીર સ્વામી (૩) વિમલનાથ (૪) ચિંતામણિ પાર્શ્વનાથ (૫) શાંતિનાથ (૬) પાર્શ્વનાથ. ' સં. ૧૯૮૪માં ખંભાતનો ઇતિહાસ અને ચૈત્યપરિપાટીમાં ચૈત્યપરિપાટીની શરૂઆત ચોકસીની પોળનાં જિનાલયોથી થાય છે. તે સમયે ચોકસીની પોળમાં (૧) વિમલનાથ (૨) ચિંતામણિ પાર્શ્વનાથ (૩) મનમોહન પાર્શ્વનાથ (૪) શ્રેયાંસનાથ (૫) મહાવીર સ્વામી (૬) શાંતિનાથ એમ કુલ છ જિનાલયો વિદ્યમાન હતાં. ચંદ્રપ્રભસ્વામીના જિનાલયનો ઉલ્લેખ સં. ૧૬૭૩માં તથા સં ૧૭૦૧માં મહાલક્ષ્મીની પોળમાં થયેલો છે. જ્યારે સં. ૧૯૦૦માં સં૧૯૪૭માં તથા સં. ૧૯૬૩માં આ જિનાલયનો ઉલ્લેખ ચોકસીની પોળમાં થયેલો છે. સં. ૧૯૪૭માં ચંદ્રપ્રભસ્વામીનાં બે જિનાલય વિદ્યમાન હોવાનો ઉલ્લેખ છે. જે પૈકી ચંદ્રપ્રભુ સ્વામીનું એક જિનાલય સુવિધિનાથ અને શ્રેયાંસનાથનાં દેહરાં સાથે જોડાયેલું છે એટલે કે આ ત્રણેય જિનાલય ભેગાં છે તેવો ઉલ્લેખ થયેલો છે. ત્યાર બાદ સં. ૧૯૬૩માં ચંદ્રપ્રભુનું એક જિનાલય વિદ્યમાન હોવાનો ઉલ્લેખ મળે છે. અને સંત ૧૯૮૪માં ચોકસીની પોળમાં શ્રેયાંસનાથનું જિનાલય વિદ્યમાન હોવાનો ઉલ્લેખ મળે છે. શક્ય Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005593
Book TitleKhambhatna Jinalayo
Original Sutra AuthorN/A
AuthorChandrakant Kadia
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year2000
Total Pages476
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy