________________
૨૪.
ખંભાતનાં જિનાલયો
મહાલક્ષ્મીની પોળ ચોકસીની પોળ
મહાલક્ષ્મીની પોળ તથા ચોકસીની પોળના ઉલ્લેખ અલગ અલગ વિસ્તાર તરીકે સં ૧૬૭૩માં જોવા મળે છે. આજે પણ આ બંને નામથી અલગ-અલગ વિસ્તાર દર્શાવવામાં આવે છે. પરંતુ જુદા જુદા સમયે બંને વિસ્તારો એકબીજામાં ભળી ગયેલા માલૂમ પડે છે. તેથી બંને પોળોનાં જિનાલયોનો ઉલ્લેખ એકસાથે કરવાનું અભ્યાસની દષ્ટિએ વધુ સુગમ થઈ પડે તેમ છે.
સં. ૧૯૭૩માં કવિ શ્રી ઋષભદાસ રચિત ત્રંબાવતિ તીર્થમાળમાં મહાલક્ષ્મીની પોળનાં જિનાલયોના ઉલ્લેખ પછી તુરત ચોકસીની પોળના જિનાલયોનો ઉલ્લેખ થયેલો છે. તે સમયે મહાલક્ષ્મીની પોળમાં બે જિનાલયોનો ઉલ્લેખ નીચે મુજબની પંક્તિઓમાં મળે છે :
આહે માહાલષ્યમીની અ પોલ્યમાં, યનજીનું ભુવન જોહારું ! આહે ચંદ્રપ્રભુ નવ બૅબશું, પૂજી કરી તન ઠારું . ૨૪ આહે બીજઉં દેહરું પાસનઉં, ત્યાહાં યન પ્રત્યમાં ત્રીસ
આહે પ્રહઈ ઊઠીનઈ પ્રણમતાં, પહુચઈ મનહ જગીસ / ૨૫ એટલે કે ચંદ્રપ્રભુ તથા પાર્શ્વનાથ ભગવાનનાં એમ બે જિનાલયો મહાલક્ષ્મીની પોળમાં હતા. આ ચોકસીની પોળમાં તે સમયે પાંચ જિનાલયોનો ઉલ્લેખ નીચે મુજબની પંક્તિઓમાં આવે છે:
આહ ચોકસી કેરીઅ પોલિમાં, મન ભુવન સુ ચ્યાર | - આહે શ્રી યંતામય દેહરઈ, સોલ બંબ સુ સાર | ૨૬ આહે સુખ સાગરના ભુવનમાં, મનનિ રંગઈ એ જઈઈ આવે તેત્રીસ બંબ તીહાં નમી, ભવિ જન નિરમલ થઈઈ | ૨૭ આહે મોહોર પાસ સ્વામી નમુ એ, બિબ સત્તાવીસ યાંહિ આહે ચોમુખ વ્યમલ જોહારીઈ, ઉગણીસ બંબ છઈ ત્યાંહિ . ૨૮ આહે નેમિનાથ જિન ભવનમાં, બંબ નેઉઆ નમી જઈ !
આહે પ્રેમ કરીનઈ પૂજઈ, જિમ એ ભવનવિ ભમીઇ / ૨૯ એટલે કે તે સમયે (૧) ચિંતામણિ પાર્શ્વનાથ (૨) સુખસાગર પાર્શ્વનાથ (૩) મોહોર પાર્શ્વનાથ (૪) ચોમુખ વિમલનાથ (૫) નેમનાથ- એમ કુલ પાંચ જિનાલયો હતાં.
સં. ૧૭૦૧માં મતિસાગર રચિત ખંભાતિ તીર્થમાલામાં ચોકસીની પોળનો વિસ્તાર લાંબી ઓટિ સુગ(ખ)સાગરપોલના નામથી પ્રચલિત થયેલો જણાય છે. તે સમયે આ વિસ્તારમાં સાત જિનાલયોનો ઉલ્લેખ અને મહાલક્ષ્મીની પોળમાં બે જિનાલયોનો ઉલ્લેખ થયેલો છે. તે નીચે મુજબની પંક્તિઓમાં પ્રાપ્ત થાય છે :
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org