SearchBrowseAboutContactDonate
Page Preview
Page 370
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૭ ખંભાતનાં જિનાલયો “વિ. સં. ૧૯૮૬ વર્ષે યેષ્ઠ શુક્લ ૪ શનિવારે તપાગચ્છીય પંહ ઉમેદવિજય શિષ્ય મુનિવર્યસ્ય પં. ક્ષાંતિવિજયસ્યય મૂર્તિ પુષ્પક્ષમાવિજ્યાખ્યાં શ્રી સ્થંભતીર્થે સ્થાપિત ” આ ઉપરાંત અહીં આરસનાં પગલાંની બે જોડ છે. પૂ. શ્રી નીતિવિજયજીની મૂર્તિની જમણી બાજુ વિનયવિજયજીની ચરણપાદુકા આવેલી છે. તેના પર સં૧૯૮૦નો લેખ છે, જે નીચે પ્રમાણે છે. સં. ૧૯૮૦ વર્ષે માઘ શુક્લ પક્ષે ત્રયોદશી તિથી ૧૩ ચન્દ્રવાસરે શ્રી સ્તંભનપુર વાસ્તવ્ય શ્રી શ્રીમાળી જ્ઞાતિય શ્રેષ્ટિવર્ય અમરચંદ્રાત્મજ પોપટભાઈ ઇતસ્ય નાનજીભાઈ ઇતિ નાસ્ના સુપુત્રણ સ્વપિતૃ શ્રેયાર્થે શ્રીમદ્ બૃહદતપાગચ્છાધિરાજ શ્રીમન્નીતિવિજયગુરુવર્ય શિષ્ય રત્ન પન્યાસ પટ્ટાલંકૃત શ્રીમદ્ વિનયવિજયગણીશ્વર ચરણપાદુકા !” “સં. ૧૯૮૦ વર્ષે માઘ શુક્લ પક્ષે ત્રયોદશી તિથૌ ૧૩ ચન્દ્રવાસરે શ્રી સ્તંભનપુર વાસ્તવ્ય શ્રી શ્રીમાળી જ્ઞાતિય શ્રેષ્ઠિવર્ય અમરચંદ્રાત્મજ કસ્તુરભાઈ છગલશીભાઈ ઇતિ નાજ્ઞા સ્વપિતૃ શ્રેયાર્થે શ્રીમદ્ બૃહતપાગચ્છાધિરાજ શ્રીમનીતિવિજયગુરુવર્ય શિષ્યરત્ન પન્યાસ પટ્ટાલંકૃત શ્રીમદ્ વિનયવિજયગણીશ્વર શિષ્યરત્ન તપોધન્નીધિ શ્રીમદ્ હર્ષવિજયમુનિવર ચરણપાદુકા ” ૩. પૂ. આચાર્યદેવ શ્રીમદ્ લબ્ધિવિજયસૂરીશ્વરજી ગુરુમંદિર આ ગુરુમંદિર શ્રી પ. પૂ. નીતિવિજયજી દાદાના ગુરુમંદિરની બાજુમાં આવેલું છે. અહીં શ્રીમદ્ લબ્ધિવિજયજીસૂરીશ્વરની મૂર્તિ બિરાજે છે. જેના પર સં૨૦૨પનો લેખ છે. આ ગુરુમંદિરના પ્રવેશદ્વારની ભીંત પર નીચે મુજબની વિગતો લખવામાં આવી છે. પૂજ્યપાદ, જૈનરત્ન, વ્યાખ્યાનવાચસ્પતિ સુવિહિત શિરોમણિ પરમ ગુરુદેવ આ ભ. શ્રીમદ્ લબ્ધિવિજયસૂરિશ્વરજી મ. નું આ ગુરુમંદિર ગુરુભક્તિ નિમિત્તે શ્રી કેશવલાલ વજેચંદ સંઘવીના, પુણ્ય મૃત્યર્થે તેમના ધર્મપત્ની જાસુદબેનની પ્રેરણાથી તેમના સુપુત્રો કાંતિલાલ, વીરેન્દ્રકુમાર, કીર્તિકુમાર, સતીશકુમાર તરફથી કૃતજ્ઞભાવે નિર્માણ કરવામાં આવ્યું છે.” - તેઓશ્રીની મૂર્તિ તેઓશ્રીના પરમ ઉપકારોની પુણ્ય સ્મૃતિ નિમિત્તે શ્રેટ શ્રી શાંતિલાલ મણિલાલ શ્રોફના સુપુત્રોએ તથા શ્રી કેશવલાલ વજેચંદના સુપુત્રોએ પોતાના આત્મકલ્યાણ અર્થે વિ. સં. ૨૦૨૫ વીર સં. ૨૪૦૫ મહા સુદિ પંચમીને બુધવારને દિને પ્રતિષ્ઠિત કરી છે.” ૪. પૂ. આ. દેવ શ્રીમદ્ વિજયપ્રેમસૂરીશ્વરજી ગુરુમંદિર આ ગુરુમંદિર પૂ. આચાર્યદેવ શ્રીમદ્ લબ્ધિવિજયસૂરીશ્વરજી ગુરુમંદિરની બાજુમાં આવેલું છે. આ ગુરુમંદિરની બાજુમાં ભીંત પર શ્રી ચિંતામણી પાર્શ્વનાથના જિનાલયની પ્રતિષ્ઠા-પુનઃ પ્રતિષ્ઠા અંગેના લેખ મૂકવામાં આવ્યો છે. અહીં શ્રી વિજયપ્રેમસૂરીશ્વરજીની મૂર્તિ બિરાજે છે જેના પર સં. ૨૦૨૫નો લેખ છે. આ ગુરુમંદિરના પ્રવેશદ્વારની ભીંત પર નીચે મુજબની વિગતો લખવામાં આવી છે. “પૂજયપાદ સુવિહિત શિરોમણિ સિદ્ધાન્ત મહોદધિ પરમ તારક પરમ ગુરુદેવ આ ભ૦ ખંભા ૨૨ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005593
Book TitleKhambhatna Jinalayo
Original Sutra AuthorN/A
AuthorChandrakant Kadia
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year2000
Total Pages476
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy