SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ ખંભાતનાં જિનાલયો હીરવિજયસૂરિરાસમાં મળે છે. એમાં કવિ ઋષભદાસે પોતાનો પરિચય જે રીતે આપ્યો છે તેમાં જૈન પરંપરાના યથાર્થ દર્શન થાય છે. તેઓ લખે છે કેઃ “હું યથાશક્તિ પાંચ પ્રકારનાં (સુપાત્ર, ઉચિત, કીર્તિ, અભય અને અનુકંપા) દાન આપું છું. રોજ દસ જિનમંદિરો જુહારું છું. જિનાલયમાં અક્ષત મૂકીને મારા આત્માને તારું છું. મોટે ભાગે આઠમ-ચૌદસે પોષધ કરું છું અને દિવસ રાત સ્વાધ્યાય કરું છું. વીરપ્રભુનાં વચન (વ્યાખ્યાન) સાંભળીને કર્મને ભેદું છું. પ્રાયઃ વનસ્પતિને છેદતો નથી. મૃષાવાદ અને અદત્તાદાનનું પાપ કરતો નથી. વચન અને કાયાથી શિયળ પાળું છું. હંમેશાં જૈન સાધુઓને મસ્તક નમાવું છું વંદન કરું છું, મેં વીસસ્થાનકની આરાધના કરી, બે વાર ગુરુ પાસે આલોચના લીધી, અઠ્ઠમછઠ વગેરે કરીને તે પૂરી કરી, શત્રુંજય, ગિરનાર, શંખેશ્વરની યાત્રા કરી, ઘણા છાત્રોને ભણાવ્યા. જિનેશ્વરની આગળ એક પગે ઊભા રહીને બે માળા ગણું છું. રોજ વીસ નવકારવાળી ભગવાન સમક્ષ ઊભા રહીને ગણું છું. ૫૮ સ્તવનો, ૩૪ રાસાની મેં રચના કરી, તેનાથી પુણ્ય પ્રસાર થયો અને ઘણા સુખની પ્રાપ્તિ થઈ. ગીત-સ્તુતિ આદિ રચનાઓ કરી ને પુણ્ય અર્થે સાધુઓને ભેટ ધર્યા. આ ઉપરાંત કેટલીક બાબતોની ઇચ્છા રાખી છે. દ્રવ્ય હોય તો ઘણું દાન કરવું. જિનમંદિર બનાવું, બિંબ ભરાવું, ઠાઠમાઠથી બિંબ પ્રતિષ્ઠા કરાવું, સંઘ કાઢીને સંઘપતિનું તિલક ધારણ કરું, દેશવિદેશમાં અમારિ-પ્રવર્તન કરાવું, પ્રથમ ગુણસ્થાનકની જયણા કરું, જે હીન મનુષ્ય છે એને પુણ્યશાળી કરું – આમ હું જૈન આચારો પાળું. આમ વાત કરતાં પણ અપાર સુખ ઊપજે છે. મારા મનની એવી અભિલાષા છે કે આ સાંભળીને કોઈ આત્મકલ્યાણ કરે તો હું એ પુણ્યનો ભાગીદાર થાઉં.” — ૧૫ આજે એકવીસમી સદીને ઉંબરે આપણે જ્યારે પગ મૂકનાર છીએ ત્યારે વીસમી સદીના ખંભાતના જૈન પરંપરાની પણ એક ઝલક જોઈ લઈએ. કાળની થપાટોથી કોણ બચી શક્યું છે ? આમ છતાંય, બને એટલો પ્રયત્ન કરી, જિનાલયોની રક્ષા કરવી એ આજે પણ ખંભાતના શ્રાવકો તથા શ્રેષ્ઠીઓનું ધ્યેય રહ્યું છે અને એને તેઓ અગ્રિમતા આપી રહ્યા છે. ૨૦મી સદીમાં ખંભાતના જૈન ઇતિહાસમાં શેઠ પોપટભાઈ અમરચંદનું નામ સુવર્ણ અક્ષરે લખાયેલું રહેશે. ખંભાતમાં જીરાવલાપાડા વગેરે સ્થળોમાં આવેલાં શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ ભગવાન આદિ ૧૯ પ્રાચીન જિનમંદિરો જીર્ણ થઈ ગયેલાં. એ ૧૯ મંદિરોનો જીર્ણોદ્ધાર કરવો આવશ્યક હતો પણ જો એ ઓગણીસેય જિનાલયોનો જુદો-જુદો ઉદ્ધાર કરાવે તો ખૂબ ખર્ચ થાય. વળી જ્યાં જૈનોના ઘર ઓછા હોય યા ન હોય, ત્યાં ગોઠી રાખવા, રક્ષણ માટે બંદોબસ્ત કરવો ઇત્યાદિમાં ઘણો ખર્ચ આવે. આથી શેઠ શ્રી પોપટભાઈ અમરચંદના મનમાં વિચાર આવ્યો કે જો એક જ સ્થળે એક વિશાળ ભવ્ય જિનાલયમાં ઓગણીસેય જિનાલય સમાઈ જાય તો તેની વ્યવસ્થા પણ સુંદર થઈ શકે. અને વળી, એવું વિશાળ મંદિર ભવ્ય શિખરબંધી બની શકે, તેથી તીર્થનો મહિમા પણ વધી જાય. શ્રી નેમિસૂરીશ્વરજી મહારાજ સાહેબની પ્રેરણા, માર્ગદર્શન અને આશીર્વાદ મેળવીને શેઠ શ્રી પોપટભાઈએ આચાર્યશ્રીની હાજરીમાં જ જીરાવલાપાડામાં ૧૯ જિનાલયોના જીર્ણોદ્ધારના આ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005593
Book TitleKhambhatna Jinalayo
Original Sutra AuthorN/A
AuthorChandrakant Kadia
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year2000
Total Pages476
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy