________________
૨૩૮
ખંભાતનાં જિનાલયો
જિનાલયમાં દાખલ થતાં આપણી જમણી બાજુ (મૂળનાયકની ડાબી બાજુ) એક ગોખમાં ગૌતમસ્વામીની પાષાણની મૂર્તિ બિરાજમાન છે. આ મૂર્તિના મુખની સામેની બાજુએથી સીધા રંગમંડપમાં પ્રવેશી શકાય છે. રંગમંડપ મધ્યમ કદનો છે. અહીં છત ઉપર ચિત્રકામ થયેલ છે. છતમાં ઇડર તીર્થનો પટ ચિત્રિત કરેલ છે. રંગમંડપમાં બંને બાજુની દીવાલો પર વિચાર તથા સર્વચનો લખેલ છે. ઉપરાંત ૨૪ તીર્થકરોની માહિતી આપવામાં આવી છે.
ગભારામાં ૫૧” ઊંચાઈ ધરાવતી આદેશ્વરજીની પ્રતિમાજી મૂળનાયક તરીકે પ્રતિષ્ઠિત થયેલ છે. ગભારામાં પાષાણની કુલ પાંચ તથા ધાતુની સાત પ્રતિમાજીઓ છે. ગભારામાં મૂળનાયક પ્રતિમાજીની પાછળ ભીંત પર ચૌદ સ્વપ્નોનું ચિત્રકામ છે. ગભારામાં કાચકામ થયેલ છે.
આ ભોયરાના જિનાલયની ઉપર સ્વાધ્યાય મંદિરની રચના કરવામાં આવેલ છે. રચના સુંદર છે. સં. ૨૦૪૬માં આ સ્વાધ્યાય મંડપનું નવીનીકરણ કરવામાં આવ્યું હતું. અને તે જ વર્ષમાં સંસ્થાના હીરક મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ સ્વાધ્યાય મંડપમાં ભક્તિસ્વાધ્યાય આદિ લાભ સતત ચાલુ જ રહે છે.
ઉપર જણાવેલ જિનાલયના પ્રવેશદ્વારની સામે તથા વિશાળ પટાંગણ મધ્યમાં પૂજ્ય ભાઈ શ્રી પોપટભાઈ મોહોકમભાઈનું પૂતળું (સ્ટેમ્પ્સ) રાખવામાં આવેલ છે.
જિનાલયની સ્થાપના થયા બાદ સં. ૨૦૧૧ના ફાગણ સુદ ત્રીજને શુક્રવારે શેઠ શ્રી મોહનલાલ ચીમનલાલના હસ્તે જિનાલયની બાજુમાં શ્રી સદગુરુપ્રાસાદમાં શ્રીમદ્ રાજચંદ્રજીની મૂર્તિની સ્થાપના કરવામાં આવી હતી. હાલ શ્રીમદ્ રાજચંદ્રજીની મૂર્તિ એક કાચની કબાટ જેવી રચનામાં મુકવામાં આવેલ છે. શ્રી સદૂગુરુપ્રાસાદની દીવાલો પર પણ સવિચારો લખવામાં આવેલ છે. ગુરુમંદિર મોટું છે. દીવાલો પર ફોટાઓ પણ મૂકેલા છે.
સ્વાધ્યાયમંદિર તથા તેની નીચે ભોંયરામાં બિરાજેલ શ્રી આદેશ્વરજી જિનાલય અને ગુરુમંદિર મધ્યે અને આ બંનેની થોડી પાછળના ભાગમાં શ્રી બાહુબલીજીની પાષાણ મૂર્તિ ધ્યાનસ્થ મુદ્રામાં ઊભેલી છે. સં. ૧૯૮૮ માં આસો સુદ છઠના રોજ અમદાવાદમાં પંચભાઈની પોળમાં પૂ. ભાઈ શ્રી પોપટલાલનો દેહવિલય થયા બાદ સં૨૦૪૪ માં વૈશાખ સુદ છઠ્ઠના રોજ બાહુબલીજીની મૂર્તિની પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. આ મૂર્તિ આરસની દેવકુલિકા જેવી રચનામાં બિરાજમાન છે. તે દેવકુલિકાની પ્રદક્ષિણા થઈ શકે તેવી જગ્યા રાખવામાં આવી છે. દેવકુલિકા પાસેની દીવાલો પર તેમના જીવનપ્રસંગનું વર્ણન કરવામાં આવ્યું છે.
વડવા એ કૃપાળુદેવ રાજચંદ્રનું સ્મૃતિચિહ્નરૂપ સ્થાન છે અને તેથી તેમના ભક્તો માટે આ સ્થળ તીર્થ સમાન છે.
આ જિનાલયની સ્થાપના સં. ૧૯૮૨માં થયેલી છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org