SearchBrowseAboutContactDonate
Page Preview
Page 253
Loading...
Download File
Download File
Page Text
________________ ખંભાતનાં જિનાલયો બિરાજમાન મૂળનાયક શ્રી ગૌતમસ્વામીની મૂર્તિની ડાબી બાજુ ગૌતમસ્વામી, જંબૂસ્વામી તથા ચંદ્રસૂરિમહારાજની પાષાણની મૂર્તિઓ આવેલી છે જે પૈકી ચંદ્રસૂરિમહારાજની મૂર્તિ ૫૨ સં૰ ૧૯૮૫નો લેખ અને ગૌતમસ્વામીની મૂર્તિ ૫૨ સં૰ ૧૯૮૪ નો લેખ છે. ૨૩૬ નીચેની પાળી ઉપર આરસના પગલાંની દસ જોડ છે. તે પૈકી વિજયસિંહસૂરિ, યશોવિજયજી, નયવિજયજી, કાંતિવિજયગણિ, ધૃપ્તિવિજયજી, ગંભીરવિજયજી ગણિ તથા રૂદ્ધિવિજયજીની આરસના પગલાની જોડનો સમાવેશ થાય છે. આ બધાં જ પગલાં પર સં ૧૯૭૯નો ઉલ્લેખ છે. ઉપરાંત શ્રી સર્વદેવસૂરિ શ્રી હેમચંદ્રસૂરિ તથા ગચંદ્રસૂરિની પાષાણની મૂર્તિઓ છે જેના ૫૨ સં૰ ૧૯૮૫નો લેખ છે. અહીં શ્રી વિજયસેનસૂરિ, શ્રી હીરવિજયસૂરિ તથા શ્રી વિજયદેવસૂરિની પાષાણની મૂર્તિઓ છે જે પૈકી વિજયસેનસૂરિ તથા વિજયદેવસૂરિની મૂર્તિઓ પર સં૦ ૧૬૭૭ના લેખો છે. ડાબી બાજુ કુમારપાળ મહારાજ, સરસ્વતીદેવી, ત્રિભુવનસ્વામીની દેવી, પદ્માવતીદેવી તથા શ્રી ગણપિટ્ટક યક્ષની મૂર્તિઓ છે. ભોંયરામાં મધ્યે ભદ્રબાહુ સ્વામીની પાષાણની મૂર્તિ વિદ્યમાન છે. જમણી બાજુ સિદ્ધસેન દિવાકરસૂરિ તથા વૃદ્ધિચંદ્રજીની મૂર્તિઓ, ડાબી બાજુ આર્યસુરસ્તસૂરિ, દેવદ્ધિ ગણિક્ષમાક્ષમણ તથા હરિભદ્રમહારાજની પાષાણની મૂર્તિઓ બિરાજમાન છે. નીચેની પાળી પર મધ્યે વિજયસિંહસૂરિ, ન્યાય વિશારદ ઉપાધ્યાય શ્રી યશોવિજય મહારાજની મૂર્તિઓ બિરાજમાન છે. ભોંયરામાં બિરાજમાન આ તમામ મૂર્તિઓ પર સં૰ ૧૯૮૫ના લેખ છે. ભોંયરામાં કુલ આઠ પાષાણમૂર્તિઓ છે. સીમંધરસ્વામીના જિનાલય અને ગૌતમસ્વામીના ગુરુમંદિરની વચ્ચે ઘુમ્મટયુક્ત ગોખ બનાવવામાં આવી રહ્યો છે. ત્યાં ભવિષ્યમાં શ્રીમદ્ વિજયરામસૂરીશ્વરજીની પાષાણની મૂર્તિ પધરાવવામાં આવશે. શકરપુરનાં બંને જિનાલયોમાં બેસતા મહિનાના પ્રથમ રવિવારે અને ફાગણ સુદ તેરશ, વૈશાખ સુદ પૂનમ તથા કાર્તિક સુદ બીજને દિવસે ભાથું આપવામાં આવે છે. શકરપુરનાં જિનાલયો વિશે ઉપર મુજબની તમામ વિગતો જોતાં અનુમાન થઈ શકે છે કે આ વિસ્તારમાં એક સમયે જિનશાસનનો જયજયકાર ગુંજતો હશે. આજે શકરપુર એક નાનકડું ગામ છે. પણ એક સમયે જૈનોની મોટી વસ્તીથી ધબકતું એક નગર હશે કે જેમાં પાંચ-પાંચ જિનાલયો પર જિનશાસનની ધજાઓ ધબકતી હતી. કાળની અનેક થપાટોમાંથી પસાર થયા બાદ પણ શકરપુરમાં આજે વિદ્યમાન ચિંતામણિ પાર્શ્વનાથ અને સીમંધરસ્વામીનાં જિનાલયો જિનશાસનની યશપતાકા લહેરાવી રહ્યા છે. ટૂંકમાં ચિંતામણિ પાર્શ્વનાથનું જિનાલય સં૦ ૧૬૭૩ પહેલાના સમયનું અને સીમંધરસ્વામીનું જિનાલય સં ૧૬૫૯ આસપાસના સમયનું છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005593
Book TitleKhambhatna Jinalayo
Original Sutra AuthorN/A
AuthorChandrakant Kadia
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year2000
Total Pages476
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy