________________
ખંભાતનાં જિનાલયો
૨૦૩
ત્યારબાદ અગાશીમાં થઈ મલ્લિનાથજીના રંગમંડપમાં દાખલ થઈ શકાય. ગભારામાં મૂળનાયક સાથે અહીં પાષાણની કુલ સાત પ્રતિમાજીઓ છે. જમણી બાજુ એક ગોખ છે, જે ખાલી છે. ગર્ભદ્વાર એક છે.
તેની જમણી બાજુના ગભારામાં શ્રી સહસ્ત્રફણા પાર્શ્વનાથની પ્રતિમા મૂળનાયક તરીકે બિરાજે છે. અહીં પાષાણની કુલ પાંચ પ્રતિમાજીઓ છે. ગર્ભદ્વાર એક છે.
ડાબી બાજુ ગભારામાં શ્રી સુમતિનાથજી મૂળનાયક તરીકે બિરાજમાન છે. અહીં પાષાણની કુલ પાંચ પ્રતિમાજીઓ છે.
આ ત્રણેય ગભારાનો રંગમંડપ એક છે. ત્રણેય ગભારા એકસરખું કદ ધરાવે છે. રંગમંડપમાં કાઇની કલાત્મક કોતરણીવાળી જૂના અરીસા સામ-સામી બાજુએ ગોઠવેલા છે.
હાલ આ જિનાલયનો વહીવટ શ્રી તપગચ્છ અમર જૈન શાળા સંઘ હસ્તક છે. જિનાલયના મુખ્ય પ્રવેશદ્વાર પાસે મૂકેલ બોર્ડ પર નીચે મુજબની માહિતી પ્રાપ્ત થાય છે :
પાંચ મોટાં શિખરોવાળું ત્રણ મજલાનું આ જિનાલય સં. ૧૯૭૬ની સાલમાં શેઠ શ્રી પોપટભાઈ અમરચંદની જાત દેખરેખ નીચે ૨૦ નાનાં જિનાલયોનો એક જ જિનાલયમાં સમાવેશ કરી આ રીતે ભવ્ય ત્રણ મજલાનું પાંચ શિખરવાળું અને દરેક શિખર મૂળનાયક ભગવાનના ઉપર જ આવે એ રીતે કોઈ પણ એંજિનિયર કે આર્કિટેક્ટ વગર પોતાની જ જાત દેખરેખ અને કોઈ પ્લાન મુજબ બનાવવામાં આવ્યું. આ જિનાલયના દર્શનાર્થે આવનારને ૨૦ જિનાલયનાં દર્શન થાય છે. (જુઓ ફોટોગ્રાફ નં. ૨૪) ૧. શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ ૧૧. શ્રી નેમિનાથ ૨. શ્રી અજીતનાથ સ્વામી
૧૨. નામ નથી. ૩. શ્રી સંભવનાથ
૧૩. શ્રી મુનિસુવ્રત ૪. શ્રી અભિનંદન
૧૪. શ્રી મહાવીરસ્વામી ૫. શ્રી ચંદ્રપ્રભુસ્વામી
૧૫. શ્રી જગવલ્લભ પાર્શ્વનાથ ૬. શ્રી શાંતિનાથ
૧૬. શ્રી સહસ્ત્રફણા પાર્શ્વનાથ ૭. શ્રી શાંતિનાથ
૧૭. શ્રી મલ્લિનાથ ૮. શ્રી આદિનાથ
૧૮. શ્રી સુમતિનાથ ૯. શ્રી ચંદ્રપ્રભુસ્વામી
૧૯. શ્રી વાસુપૂજયસ્વામી ૧૦. શ્રી જીરાળા પાર્શ્વનાથ
૨૦. શ્રી શાંતિનાથ બોર્ડ પર શરતચૂકથી સં. ૧૯૭૬ની સાલ લખવામાં આવી છે, જે ભૂલ છે. સં. ૧૯૫૬ની સાલનો નિર્દેશ થવો જોઈએ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org