________________
૧૯૦
જિનાલયનો ઉલ્લેખ આવે છે જે નીચે મુજબની પંક્તિઓમાં થયેલો છે :
દોય કુંથુ જિન ચૈત્ય છે રે છાસઠિ તિહાં અરિહંત
અર જિનવર ઘર એક છેરે તિહાં બાવીસ ભગવંત રે ૧૪ વિ.
સં. ૧૯૦૦માં જીરાળા પાડામાં અગિયાર જિનાલયો વિદ્યમાન હતાં તે પૈકી ક્રમાંક ૩૩માં અરનાથ ભગવાન જિનાલયનો ઉલ્લેખ મળે છે અને તે સમયે એ જિનાલય ગાંધીનું દેરું તરીકે પ્રચલિત હતું.
અથ શ્રી જિરાલેપાડઇ દેહરાં ૧૧, તેહની વિગત
૩૩. શ્રી અરનાથ - ગાંધીનું દેરું
સં. ૧૯૪૭માં જયતિહુઅણ સ્તોત્ર ગ્રંથની પ્રસ્તાવનામાં જીરાવલા પાડામાં આવેલા દસ જિનાલયો પૈકી અરનાથના જિનાલયનો ઉલ્લેખ ક્રમાંક ૪૦ માં નીચે મુજબ થયેલો છે :
જીરાવળા પાડામાં
૪૦. અરનાથ સ્વામીનું
૪૧. મનમોહન પારસનાથજીનું
૪૨. વાસુપૂજ્ય સ્વામીનું
ખંભાતનાં જિનાલયો
૪૯. ચંદ્રપ્રભુજીનું
મૂળનાયક શ્રી અરનાથની પ્રતિમાજી પર સં૰ ૧૬૭૦નો મૂર્તિલેખ છે.
સં. ૧૯૬૩માં જૈન શ્વેતાંબર ડિરેક્ટરીમાં જીરાળાપાડામાં આવેલા અરનાથજીના જિનાલયને ધાબાબંધી જિનાલય તરીકે દર્શાવવામાં આવ્યું છે તે સમયે જિનાલય બંધાવનારનાં નામ સાથે ‘ગલા દલાલવાળાં'ના નામનો ઉલ્લેખ થયો હતો. જિનાલયના મકાનની સ્થિતિ સાધારણ હતી અને પાષાણની છ પ્રતિમાજીઓ વિદ્યમાન હતી.
સં. ૧૯૮૪માં ખંભાતનો ઇતિહાસ અને ચૈત્યપરિપાટીમાં જીરાળાપાડામાં અરનાથજીના જિનાલયમાં પાષાણની પાંચ પ્રતિમાજીઓ બિરાજમાન હતી. તે સમયે જિનાલયનો વહીવટ શ્રી સકળચંદ નેમચંદ હસ્તક હતો.
સં ૨૦૧૦માં જૈન તીર્થ સર્વ સંગ્રહમાં જીરાળાપાડાના અરનાથજીના જિનાલયને ઘુમ્મટબંધી દર્શાવવામાં આવ્યું હતું. તે સમયે અરનાથજીના જિનાલયમાં પાષાણની પાંચ પ્રતિમાજીઓ બિરાજમાન હતી. જિનાલયના મકાનની સ્થિતિ સારી હતી. જિનાલયનો વહીવટ સરૂપચંદ છોટાલાલ હસ્તક હતો. જિનાલયની વિશેષ નોંધમાં શ્રી શાંતિનાથજી જ્ઞાનભંડારનો ઉલ્લેખ થયેલો હતો. આજે આ જિનાલયનો વહીવટ શ્રી સુમનભાઈ સ્વરૂપચંદ હસ્તક છે જેઓ ગંધકવાડામાં રહે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org