________________
તો એ જ કહે છે કે શ્રી જિનની સેવાની અને શ્રી જિને કહેલા માર્ગની સેવાની ઈચ્છા સિવાય કશી પણ ચીજની ઈચ્છા કરવા જેવી નથી.
જૈનને અવિરતિના ઉદય યોગે પાપ રૂપ ઈચ્છાઓ વગેરે થાય એ બનવાજોગ વસ્તુ છે, પણ એ વસ્તુ વસ્તુતઃ એના કમદયના ઘરની હોય છે, પણ એના જૈનત્વની એટલે એની પોતાની એ વસ્તુ હોતી નથી. એની પોતાની કહી શકાય એવી જ એની ઈચ્છા હોય છે. તે એ જ હોય છે કે - મને શ્રી જિનની અને શ્રી જિને કહેલા માર્ગની સેવા મળે, એટલે બસ છે.
જૈનને કોઈ દિવસ એવો નહિ જોઈએ, કે જે દિવસે એને શ્રી જિનની સેવા ન મળે કે શ્રી જિને કહેલા માર્ગની સેવા ન મળે. શ્રી જિનની ભક્તિ અને શ્રી જિનકથિત માર્ગની ઉપાસના વિના જૈનને ચેન પડે નહિ.
ચતુર્વિધ શ્રીસંઘમાં સાધુ-સાધ્વી તો સદા શ્રી જિનની ભક્તિમાં જ બેઠેલાં કહેવાય ને ? કેમ કે આજ્ઞાનું પાલન કરવું, એ જ મોટામાં મોટી ભક્તિ છે. શ્રી જિનની આજ્ઞાનું પાલન કરવામાં રત સાધુ-સાધ્વીને સદા શ્રી જિનભક્તિ છે અને સદા શ્રી જિનકથિત માર્ગની ઉપાસના છે. એમને તો બીજી ઈચ્છા હોય જ શાની ? શ્રાવક-શ્રાવિકાની સ્થિતિ જુદી છે. અનેક પાપકર્મોથી ઘેરાયેલાં હોવાના કારણે સાધુ-સાધ્વી થઈ શક્યાં નથી અને એથી એમને અનેક પાપ રૂપ ઈચ્છાઓ થઈ જાય એમાં નવાઈ નથી. પરંતુ એવી ઈચ્છાઓ થાય અને એને લીધે જે જે પ્રવૃત્તિ કરવી પડે તે શ્રાવક-શ્રાવિકાઓને સારી લાગતી નથી. શ્રાવક-શ્રાવિકા તો એ બધાથી છૂટવાની પેરવીમાં હોય છે. એથી એમને રોજ વારંવાર શ્રી જિનની ભક્તિ કરવાનું મન થાય છે અને જેટલું બને તેટલું આજ્ઞાપાલન કરવાનું એમનું દિલ હોય છે. પાપમાં રહેલાં હોવા છતાં પણ, એ ઈચ્છે કે “અમારી શ્રી જિનને વિષેની ભક્તિની અને શ્રી જિનકથિત માર્ગને વિષેની ભક્તિની ભાવના જીવતી રહેવી જોઈએ.’ એટલા માટે તેઓ દ્રવ્ય ભક્તિને પણ ચૂકતાં નથી. આમ ચતુર્વિધ શ્રીસંઘને શ્રી જિનને વિષે ભક્તિ જોઈએ છે. તે પણ રોજ જોઈએ છે. અને તે પણ ક્યાં સુધી ?
જ્યાં સુધી સંસારમાં ભટકવાનું ચાલુ રહે ત્યાં સુધી. એટલે ભવોભવ જોઈએ છે અને ભવોભવ પણ સદાને માટે જોઈએ છે. મહાપુરુષોએ આ CI[ IIIIIIIIIIIICCCCCCCCCCCCCCCCCCCCCCCC /C& B ૨૧-જિનપૂજા અને તેનું ફળ છે wwwwwwwwwwwwDYIDDDDDDDDDDDDDDDDDDDDS
ક
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org