________________
जिने भक्तिर्जिने भक्ति-र्जिने भक्तिर्दिने दिने ।
सदा मेऽस्तु सदा मेऽस्तु, सदा मेऽस्तु भवे भवे ॥१॥ ભવોભવ તુમ ચરણોની સેવા, હું તો માંગુ છું દેવાધિદેવા !
આપણે સૌ હંમેશ શ્રી પ્રાર્થનાસૂત્ર દ્વારા ભગવાન શ્રી વીતરાગ પરમાત્માની પાસે પ્રાર્થના કરીએ છીએ. એમાં આપણે એ વાતને પણ કબૂલ કરીએ છીએ કે “ભગવાનના શાસનમાં નિયાણાના બંધનની મનાઈ કરવામાં આવી છે.” એટલે કે કોઈ પણ ધર્માનુષ્ઠાન પૌગલિક આશંસા પૂર્વક કરવું નહિ અને કોઈ પણ ધર્માનુષ્ઠાન કર્યા પછીથી પણ એને આશ્રયીને નિયાણું કરવું નહિ.' આ વાતને કબૂલ રાખવા છતાં પણ, આપણે પ્રાર્થના કરીએ છીએ કે તદવિ મન સેવા અવે મને તુજ વાણં હે વીતરાગ ! તારાં ચરણોની સેવા મને ભવોભવ પ્રાપ્ત હોજો !” એટલે કે ‘મને તારી અને તારા સ્થાપેલા શાસનની સેવા ભવોભવ મળજો !' આ માગણી એવી છે કે, આના યોગે નિયાણું કરવાના ભાવને પેદા કરનાર કર્મનો લાસ થઈ ગયા વિના રહેતો નથી. આવી પ્રાર્થના આપણે કરીએ છીએ, કારણ કે-અહીં આવીને આપણે શ્રી જિનને જાણ્યા છે અને શ્રી જિને કહેલા માર્ગને આપણે ઓળખ્યો છે. એથી આપણને એમ થઈ ગયું છે કે આ સંસારને વિષે શ્રી જિનની સેવાની અને શ્રી જિને કહેલા માર્ગની સેવાની ઈચ્છા સિવાયની કોઈ પણ ચીજની સેવાની ઈચ્છા વસ્તુતઃ કરવા લાયક નથી.'
શ્રી જિનને જે જાણે અને શ્રી જિને કહેલા માર્ગને જે ઓળખે, એને આ સંસારમાં અન્ય કોઈ પણ ચીજની સેવાની ઈચ્છા કરવા જેવી લાગે ખરી ? શ્રી જિનને જાણ્યા પછી અને શ્રી જિને કહેલા માર્ગને ઓળખ્યા પછીથી પણ બીજી બીજી ચીજોની ઈચ્છાઓ થઈ જાય તો તે અસંભવિત નથી, કેમ કે-કમનો યોગ બેઠેલો છે, પણ શ્રી જિનની ને શ્રી જિને કહેલા માર્ગની સાચી ઓળખ થઈ ગયા પછીથી, જીવને, શ્રી જિનની સેવાની અને શ્રી જિને કહેલા માર્ગની સેવાની ઈચ્છા સિવાયની કોઈ પણ ચીજની ઈચ્છા કરવા જેવી લાગતી નથી. એ તો કહે કે-મને બીજી બીજી ઈચ્છાઓ થઈ જાય છે એ વાત સાચી છે, પણ તે મારા કર્મોદયને કારણે થાય છે, મારો ઉપાય ચાલતો નથી માટે એ બધું થાય છે, પણ મારું હૈયું
૬ ૨૮
જ પૂ.આ. રામચન્દ્રસૂરિ સ્મૃતિગ્રંથમાળા-૬૪
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org