________________
નિવેદન ૩ જુ.
પાંચમું દ્રવ્ય-કાળ વર્તમાન એક સમયરૂપ અજી તત્વ છે, કાળ ગણવાને જ્ઞાની પુરૂષોએ નીચે પ્રમાણે માપ માપેલું છે-અતિ સૂક્ષ્મ ઝીણામાં ઝીણું કાળને સમય કહે છે. આંખ વીંછી ઉઘાડવામાં કે ચપટી વગાડવામાં અસંખ્યાતા સમય ચાલ્યા જાય છે. જેમાં ભૂત ભવિષ્ય સંબંધે કાંઈ પણ વિચાર ન થઈ શકે તે રીકમાં બારીક કાળને સમય કહેવાય છે, એવા અસંખ્યાતા સમયે એક આવલિકા થાય છે. ૨૫૬ આવળિકોને એકક્ષુલ્લક ભવ, સત્તર ક્ષુલ્લક ભવથી કાંઈક અધિક કાળને પ્રાણત્પત્તિ (શ્વાસે - શ્વાસરૂપ ) કાળ થાય, સાત પ્રાણત્પત્તિ કાળે એક સ્તોક, સાત સ્તંકે એક લવ, અને સતેર લવે બે ઘડી રૂપ મુહૂર્ત થાય છે; ત્રીશ મુહૂર્તની એક અહારાત્રિ, પંદર અહારાત્રિનું એક પક્ષ, બે પક્ષને એક માસ, બે માસની એક ઋતુ, ત્રણ ત્રતુનું એક અયન, બે અપનનું એક વર્ષ, પાંચ વર્ષે એક યુગ,
રાશી લાખ વર્ષે એક પૂર્વગ. અને રાશી લાખ પૂગનું એક પૂર્વ થાય છે. એમ દરેક સંખ્યાને ઉત્તરોત્તર ચારાશી લાખે ગુણતાં અનુક્રમે શીષ પ્રહેલિકા સુધીની નીચે મુજમ ૨૮ સંખ્યા ઉભી થાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org