SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૨ ) વિશ્વ રચના પ્રબંધ. સાધનેમાં મશગુલ બની ખુંચી રહેલા આધુનિક મનુષ્ય પ્રત્યક્ષ જડવાદને વિજ્ઞાનવાદ સમજી-મહરને માની, મહાત્મા ચૈતન્ય વાદીઓના વચનવિલાસને તપાસ્યા વિના જ “ભૂતકાળ કરતાં ચાલુ જમાનામાં અધિક જ્ઞાનશક્તિઓ પ્રગટી છે” એમ નિશ્ચય કરી, તાત્વિક જ્ઞાનસાધનને વધારે દૂર મૂક્તા જાય છે, તેમજ ખગેળના વિષયમાં સત્યાસત્ય શું છે? તે જાણવાની ઈચ્છા ધરાવનારી વ્યકિતઓ અ૫ દેખાય છે ઘણુઓ પ્રશ્ન કરે છે કેઆ વિશ્વની રચના ક્યારે થઈ ? આ પ્રશ્નને મારે મારી બુદ્ધિમાં કેળવાયેલે સત્ય ઉત્તર આપજ જોઈએ, તેમજ મહાત્મા ચૈતન્યવાદીઓએ આપણે માટે તૈયાર રાખેલા સાધનને પણ ઉપયોગ કરવો જોઈએ. મહાતમાઓના કથનમાં અનન્ય શ્રદ્ધા રાખી તમારા પ્રશ્નને બુદ્ધિગમ્ય અને સત્યતાની ખાત્રી થાય તે ઉત્તર તમેને કહી સંભળાવું છે પ્રથમ પુરણપોળી બનાવવા ઈચ્છનાર વ્યક્તિએ ઘઉં, ઘઉંની વાવણી, સંરક્ષણ, લણવું, દળવું, મેળવવું, પકાવવું વિગેરે કિયાઓ જાણવી જરૂરી છે; તેમજ તમારા પ્રશ્નને ઉત્તર આપ્યા પહેલાં કેટલાક જરૂરી ય વિષયે જણાવવાની આવશ્યકતા છે. જગત શું છે ? જગતમાં શું છે? જીવ શું છે? જગતને કત્તાં કાણ? જગત ચર કે સ્થિર છે ? પૃથ્વીથી દૂર રહેલા સૂર્ય-ચંદ્ર વિગેરે શું છે? વિશ્વનો આદિ અને અંત કયારે છે? ઈત્યાદિ એકી સાથે ઉઠતા ઘણું પ્રશ્નોનો ખુલાસે થતાં આ વિશ્વ કયારે બન્યું ? એ પ્રશ્નને ઉત્તર બહુ સરલ અને બુદ્ધિગમ્ય થઈ પડશે. હવે લકત્રયી શું છે? એ વાત ઉપરજ આપણે વિચાર કરીએ શાંતિથી મનન પૂર્વક ખ્યાલ રાખવાથી આ વાત હદયમાં ઠસશે. જેમાં વસ્તુઓ ચરાચરરૂપે વત છે તે લોક કહેવાય છે, તે લોક નીચેથી ઉચે ચૂદ રાજલક પ્રમાણ ઉંચો છે, દરેક ૧ રાજનું પ્રમાણ जोयणलक्खपमाण, निमेसमित्तेण जाइ जं देवो । छम्मासेण य गमणं, एग रज्जु जिणा विन्ति ॥३॥ અર્થ:–નિમેષમાત્રમાં લાખ યોજન જનાર દેવ છ માસમાં જેટલું જાય તેને જિનેશ્વરે રજુ કહે છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005589
Book TitleVishvarachna Prabandh
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1927
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy