________________
નિવેદન ચંદમેં.
(૧૮૯ ) છે. એશવતને સૂર્ય પણ તેવુંજ ભ્રમણુકમ કરી એશવતમાં. આથમી પૂર્વમહાવિદેહમાં ઉગે છે. બીજે દિવસે ભરતક્ષેત્રમાં પૂર્વ વિદેહવાળે સૂર્ય ઉગે છે ને સાંજે આથમે છે. ત્રીજે દિને પાછા મૂળ સૂર્ય ત્યાં આવી ઉગે છે. આ રીતે બને સૂર્યનાં વિમાને ગુરૂ-લઘુપણને લીધે તિછી ગતિ કરતાં દેવિક સહાયથી ભમે છે-નિરંતર ભ્રમણ કર્યો કરે છે. સૂર્ય ફરે છે કે પૃથ્વી કરે છે ? તે માટે પરીક્ષા કરીએ તે પણ સૂર્ય કરવા સંબંછેજ સત્ય તરી આવે છે. જેમકે-સૂર્ય મેરૂપર્વતને મધ્યમાં રાખીને ભ્રમણ કરે છે. હવે સૂર્ય જ્યારે ઉદય પામે છે ત્યારે આપણું અને તેનું થોડું અંતર અને વાંકે માર્ગ હેય છે, તેથી એક કલાકમાં તે ઘણું ક્ષેત્રભાગને ઓલંઘી જાય છે એમ આપણે જોઈ શકીએ છીએ, તેમજ આપણા પડછાયામાં પણ મહાન ફેરફાર પડે છે. પછી જેમ જેમ વધારે વખત થતું. જાય છે તેમ તેમ સૂર્ય સીધી સપાટીમાં આપણી પડખેથી દૂર
થતું જાય છે. જો કે તે પ્રથમની જેટલી જ ગતિ કરે છે, તે છે. પણ તે દર હોવાને લઈને આપણે તેને દર કલાકે અ૯૫ ૯૫
ક્ષેત્ર ઓળંગતા જોઈ શકીએ છીએ, તથા ૧૧ થી ૧ વાગ્યાં સુધીમાંના સૂર્યના ગમનક્ષેત્રમાં બહુ થડેજ ફેરફાર થાય છે, પડછાયામાં પણ તેજ ફેરફાર થાય છે. ત્યાર પછી બપોરથી સાંજ સુધી દર કલાકે અધિકાધિક ક્ષેત્રગમનની મર્યાદા જેવામાં આવે છે. તે આથી સૂર્ય ફરવાનું જ કબુલ કરવું પડે છે. કદાચ પૃથ્વી ફરતી હોય તે સવારથી નવ વાગ્યા સુધી સૂર્યની ધીરી ગતિ જોઈ શકત, અને આપણે જેલમાં બેઠા હોઈએ તે પાસે આવેલ ઝાડને એકદમ આપણી પાસેથી પસા૨ થતું જોઈ શકીએ છીએ, તેમ સૂર્યને પણ બપોરે તેના મધ્યભાગમાંથી તરત પસાર થતે જોઈ શકત, તથા સાંજે ધીરી ધીરી ગતિથી જતે જોઈ શકત, પણ તેમ બનતું નથી. વળી ધ્રુવને તારે, નક્ષત્રનું ઉદયસ્થાન, અને પૃથ્વીને કાટબુ નિરંતર એકજ હોય છે, કેમકે પૃથ્વી ફરતી નથી. તેથી ત્રણેના કાટખુણામાં જરા પણ ફેરફાર થતો નથી. એ રીતે સૂર્યજ ફરે છે એમ સાબીતી થઈ આવે છે. સૂર્યને ભ્રમણ કરવા માટે ૧૮૪ માંડલા છે. મત્સ્યપુરાણમાં તે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org