________________
( ૧૫૦ )
વિશ્વરચના પ્રબંધ. જલમાં ફેંકયું એટલે તે કુંડલ દેડકા રૂપે બની ગયું. વાસુકિ નાગે તેને ખાવાને વિચાર કર્યો. ( ધમપૂજા ગ્રંથમાં આ દેડકાને સ્થાને સહસ્ત્રફણે નાગની ઉત્પત્તિ કહી છે. ) પછી ધમે પોતાને મેલ વાસુકિના માથામાં ચાંપે, તે લજ આપણી આ પૃથવી-વસુમતી છે. ધર્મના ધામથી રી અને ગૈરીના ગર્ભથી બ્રહ્મા વિષ્ણુ તથા શિવ જમ્યા છે. આ અધિકાર શૂન્યપુરાણ, ધમપૂજાવિધાન, ઘનરામનું ધર્મમંગલ અને માણિકાદત્તની મંગલ ચંડીમાં અપાધક ફેરફાર સાથે વર્ણવેલ છે આ સૃષ્ટિત બ્રાહ્મણ્યસૃષ્ટિતને મળતું છે. ( પ્રવાસી ૨૨-૧, પા૧૬૦ )
(૪૯) નેપાળના બદ્ધધર્મીઓ સૃષ્ટિતત્ત્વ સમજાવતાં કહે છે કે–પ્રથમ શૂન્ય સિવાય કાંઈ ન હતું. (સ્વયંભૂ-પુરાણ)
જ્યારે સ્વયંભૂ એકલા હતા, ( ગુણ કુરંડ વ્યુહ ) આદિ બુદ્ધને બહુ થવાની કામના ( પ્રજ્ઞા ) થઈ. બુદ્ધ અને પ્રજ્ઞાના યેગથી પ્રજ્ઞા-ઉપાય, કે શિવ-શક્તિ, કે બ્રહ્મા-માયાની રચના થઈ. સાથે સાથે એ કામનાના ઉકથી વરેચન, અભ્ય, રતનસંભવ, અમિતાભ ( પપાણિ ) અને અમેઘસિદ્ધિ એ પાંચ બુદ્ધને જન્મ થ. આદિ બુદ્ધે તે પ્રત્યેક બુદ્ધને એકેક
ધિસત્વ સૃષ્ટિ કરવાનો આદેશ આપે, ત્યારથી અત્યાર સુધીમાં ચાર બુદ્ધ અને ચાર બુદ્ધક૯૫ થઈ ગયા છે. ચાલુ ક૯૫માં બોધિસત્વ પદ્મ પાણિનું રાજ્ય છે. પપાણિએ બ્રહ્મા-વિષ્ણુશિવને બનાવી તે ત્રણેને જગતના સર્જન પાલન અને સંહારના કાર્યમાં જોડી દીધા છે. આ માન્યતાનું કારણ પણ બ્રાહ્મણે સાથેને સહવાસ છે. (પ્રવાસી ૨૨-૧-૧૬૧, તથા ૨૨-૫-૬૫૬)
(૫૦ ) અભેદ માગદશક નિબંધમાં લખ્યું છે કે--આત્મા પોતે જ ઇશ્વર છે. આત્મારૂપ ઈશ્વર • જ્યાં સુધી અજ્ઞાનદશામાં છે ત્યાં સુધી તે સૃષ્ટિને કર્તા છે, જ્ઞાન થતાં શુદ્ધ સ્વરૂપ સિવાય બીજું કાંઈ રહેતું નથી અથૉત્ મનને વિલય થતાં મને જન્ય સૃષ્ટિને વિલય થાય છે. તેથી તેવા શુદ્ધ જ્ઞાનમય સમયમાં સૃષ્ટિ એ શું છે? એ સવાલ પણ હૈયાત હોતે નથી ત્યારે તે કેણે બનાવેલ છે, એ વિસંવાદ તે સંભવેજ કયાંથી? આત્મરૂપ ઈશ્વરે આ સકલ સૃષ્ટિ રચી છે, અથૉત્ આ સકલ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org