________________
( ૧૩ર )
વિશ્વરચના પ્રબંધ.. અને પાણી બનાવ્યું. પાણીએ પણ બહુ થવાની ઈચ્છા વડે અને બનાવ્યું. (૪) ભુતેના અંડજ, જીવજ, અને દિલ
જ એમ ત્રણજ બીજો છે ( ૧ ). સૃષ્ટિ દેવતાએ તેમાં જીવરૂપે પરિણમી નામને વ્યવહાર શરૂ કરવા ધાયું (૨) અને તેમજ કર્યું ( ૩ )
[ ૭૪ ] બૃહદારણ્યકેપનિષદ્ અધ્યાય ૧ માં કહ્યું છે કે–પ્રથમ કંઈ ન હતું. આ બધું મૃત્યુથી વીંટાએલ હતું. મૃત્યુએ ખાવાની ઈચ્છાથી સ્વતંત્ર થવા ધાર્યું પોતાના આ ત્માની પૂજા કરી, જેથી પાણી પ્રકટયું. પાણીને સમુદાય પાકીને કઠણ થયે, અને તે પૃથ્વી બની.(બ્રા. ૨સૂત્ર-૧-૨) દેવ અને અસુર એમ બે પ્રકારના પ્રાજાપત્યા હતા, તેમાં દે નાના હતા, અને અસુરે મોટા હતા. તેમાં પરસ્પર સ્પર્ધા ઉત્પન્ન થઈ ( બ્રા૦ ૩ સૂ૦ ૧ ) પ્રથમ આ આત્મા હતા, તેણે બીજા કેઈને નહીં, તેથી “ હું છું એ પ્રમાણે માનવા લાગ્યા ( બ્રા ૪ સૂ-૧ ) તે એકલે હતે, માટે ભય પામ્યો. તેણે વિચાર કર્યો કે, મારા સિવાય બીજું કઈ નથી, છતાં હું કેમ ભય પામું છું? (સૂ૦ ૨) તે એકાકી હોવાથી ૨મતે ન હતા, પણ તેણે સાથે બીજે કઈ હોય તે સારૂં? એમ ચિતવ્યું. અને સ્ત્રી-પુરૂષની પેઠે અરતિ દૂર કરવા માટે વિરાટ
સ્વરૂપને અનુકૂળજ ગાઢ આલિંગન આપ્યું, જેમાંથી બે સ્વરૂપ પ્રકટ થયાં (તેનાં નામ મનુ અને શતરૂપા હતું ) . ( પુરૂષદેહ અને સ્ત્રી દેહ એ અર્ધા અર્ધા શરીર છે, જે સંપુટ રૂપ થતાં આખું શરીર થાય છે ) અધે શરીરથી ઉત્પન્ન થયેલ અર્ધાગના શબ્દ ત્યારથી બન્યું છે, તે પતિ અને પત્ની બન્યાં. પુરૂષના અર્ધા શરીરને પત્નીના અર્ધા શરીરે પૂર્ણ કર્યું. મનુ પુરૂષે શતરૂપા નામની પુત્રીને સ્ત્રીરૂપે કલ્પી, જેના મથુનથી મનુષ્યની ઉત્પત્તિ થઈ છે. ( ૩ ) હવે શતરૂપાએ વિચાર કર્યો કે—કામાભિભૂત મનુ ધૃષ્ટ થઈ પોતાનાથી જ થયેલ
પુત્રીને ભેગવે છે, માટે મારે રૂપપરાવર્તન કરવું જોઈએ. - આ પ્રમાણે વિચારી તે ગાયરૂપે થઈ, એટલે પ્રજાપતિ બળદ અન્ય તેમના સંગમથી ગજાતિ ઉત્પન્ન થઈ. એજ રીતે શતરૂપા અને મનુ-પ્રજાપતિના કૃત્યથી-ઘડા, ખચ્ચર, ગધેડા,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org