________________
નિવેદન દસમું.
( ૧૫ ). [ ૨૩ ] કેનોપનિષદુ ખંડ-૧ માં કહ્યું છે કે-મન, પ્રાણુ, વાણી, નેત્ર અને કાનની ક્રિયામાં કોઈ પ્રાજક અન્ય વસ્તુ નથી. પણ મન વિગેરેની ક્રિયામાં ઉપયુક્ત આત્મા જ તે ક્રિયાને પ્રેરક છે ૧-૨
[ ૨૪ ] કઠે પનિષદ્ અધ્યાય-૨, વલી ૪ માં કહ્યું છે કે यत्पूर्व तपसा जात-मद्भ्यः पूर्वमजायत । गुहां प्रविश्य तिष्ठन्तं, यो भूतेभियंपश्यत ॥ एतद्वैतत् ।। यो प्राणेन संभवत्यदितिर्देवतामयी ।। गुहां प्रविश्य तिष्ठन्ती, या भूतेभिर्व्यजायत । एतद्वैतत् ।।
એટલે-જે પ્રથમ જળથી તપ વડે ઉત્પન્ન થયે, અને જે ગુફામાં રહેલ હતું તે હિરણ્યગર્ભ; તથા જે હિરણ્યગર્ભ રૂપી પ્રાણથી ઉત્પન્ન થઈ, અને જે ગુફામાં હતી, તે દેવતામયી અદિતિ વિગેરે બ્રહ્મસ્વરૂપ છે. ૫ ૬-૭ છે ત્યાર પછી થયેલ જાતવેદમ્ સૂર્ય અને દેવે વિગેરે પણ તેજ સ્વરૂપે છે. ૮-૯ અથૉત્ જગતની ઉત્પત્તિનું આદિતત્વ હિરણ્યગર્ભ છે.
વરલી માં પણ એજ સ્પષ્ટતા કહે છે કેॐ ऊर्ध्वमूलोऽवाक्शाखः एषोऽश्वत्थः सनातनः ।
આ પ્રત્યક્ષ દેખાતું સંસારવૃક્ષ સનાતન છે, તેનું બ્રહ્મસ્વરૂપ ઉર્ધ્વમૂળ છે. અને હિરણ્યગર્ભ વિગેરે પછીનાં સાધન રૂપી શાખા છે.
ગૌતમરૂષિ થયા છે. વાયુપુરાણુ. મત્સ્યપુરાણ વિગેરેમાં બે હજાર વર્ષ પૂર્વનો ઈતિહાસ છે, જેથી તેને રચનાકાળ બે હજાર વર્ષ પહેલાં મનાય છે. પદ્મપુરાણમાં રામાનુજ સ્વામીનું વર્ણન હોવાને ઉલ્લેખ છે (સતવ. ૫૫ ) એટલે આ રીતિએ ઇ. સ. ની તેરમી સદીમાં પદ્મપુરાણને રચનાકાળ મનાય છે. ભેજરાજાના સમયમાં એ પંડિતોએ વ્યાસજીના નામે બે પુરાણની રચના કરી હતી, જેઓને ભોજરાજાએ દંડ કર્યો હતો, ત્યારથી પુરાણુ રચવાનું બંધ થયું હશે. જ સ્મૃતિ અને પુરાણુની ભાષા સંસ્કૃત છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org