________________
( ૧૦૪ )
વિશ્વરચના પ્રબંધ. ઉંચી ધરી રાખે છે (પદ્મપુરાણ ભૂમિખંડ ભૂમિવર્ણન નામ ૧૩૧ અધ્યાય.) વળી બીજી તરફ શેષનાગ પર પૃથ્વી રહેલી જણાવે છે, તેમજ કાચબાની પીઠ પર પણ પૃથ્વીનું રહેઠાણ કહે છે. અમૃતસાગરમાં પણ કહ્યું છે કે –
मेषे वृश्चिक गजः प्रचलति व्यासादिभिः कथ्यते, चापे मीनकुलीरभे च वृषभे सत्यं चलेत कच्छपः । यूके कुंभधने मृगेन्द्रमिथुने कन्यामृगें पन्नगः, . . तेषामेकतमो यदि प्रचलति क्षोणिस्तदा कम्पते ॥१॥ કુરાન જગતને ગાયના શીંગડા પર રહેવાનું જણાવે છે,
બાઈબલના થિર્મોવાહના પ્રકરણમાં અધ્યાય ૧૦ થી ૧૨ અને અધ્યાય ૫૧માં કલમ ૧પથી જણાવે છે કે યહોવાહે પોતાના સામથી પૃથ્વી બનાવેલી છે, પિતાને જ્ઞાન જગત ધરી રાખ્યું છે. બાઇબલ ગીતશાસ્ત્રના ૨૪ મા અધ્યાયમાં કહે છે કે-કેમકે તેણે સમુદ્ર પર તેને પાયે નાખ્યો છે, અને પ્રવાહો પર તેને સ્થાપિત કીધી છે. ૧૦૪ મા અધ્યાયમાં કહે છે કે–પાણી પર તે પોતાના ઓરડાના ભારવટીયા મૂકે છે, વાદળીને તે પિતાને રથ બનાવે છે, વાયુની પાંખ પર તે ચાલે છે. જે કદી ખસે નહિં એ તેણે પૃથ્વી પર પાયે નાખે છે. ગીત ૧૦૯-૯૦ માં તથા અહેસુયા ૧૦-૧૨-૧૪ માં પણ તેવું જ કથન છે. આ પ્રમાણે બાઈબલની દૃષ્ટિએ સમુદ્ર પર પૃરી હોવાનું જણુવે છે. આમાં વિચારીએ તે-દિગ્ગજ શેષનાગ ગાય કે સમુદ્ર કેના ઉપર છે તે કાંઈ નિશ્ચય થતું નથી, તેથી અંગ્રેજોએ પૃથ્વીને સૂર્યના આકર્ષણે-અદ્ધર માની છે, અને તેમાં પણ સૂર્ય શેના આધારે છે એવા વિચારમાં કાંઈ સફળતા પ્રાપ્ત થતી નથી. ભાસ્કરાચાર્ય પણ કહે છે કે મૂરે ધ વેરિણઅન્યતાથmોવેવમત્રાનાવસ્થા માટે આમાં સત્ય શું
છે એ ભાસ્કરાચાર્ય પણ સત્ય શોધી શકેલ નથી, અને પૃથ્વી ખાલી અદ્ધર રહેલી છે એમ જણાવે છે. પણ સત્ય તે એજ છે કે-પ્રથમ તનવાયુ આદિ વસ્તુઓ કહી તે ઉપરા ઉપરી રહેલ છે, અને તેના પર પૃથ્વી રહેલ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org