________________
સ્મારકમાળા અંગેનું નિવેદન અમારા વડીલ સ્વ. શ્રી. સાંકળચંદ નરસિંહદાસ ગાંધી જેમણે પિતાના આખા જીવન દરમિયાન પ્રમાણિકતા અને આપબળને મેખરે રાખી પિતાનું તેમજ અન્ય જનનું હિત સાપ્યું છે, તેમનું તર્પણ કરવાની અભિલાષાથી અમેએ આ સ્મારકમાળા શરૂ કરી છે. આ માળાનું પ્રથમ પુસ્તક “ભૂખમરાનો ઉપાય કે પ્રસિદ્ધ થયા પછી આ બીજું પુસ્તક લગભગ બે વર્ષે બહાર પાડી શકાય છે. તેનાં બીજાં કારણે હોવા ઉપરાંત મુખ્ય કારણ તે યોગ્ય પુસ્તક મેળવવાની મુશ્કેલી જ હતી.
આ બીજું પુસ્તક “નીતિશાસ્ત્રપ્રવેશ' ગુરગ્રંથરત્ન કાર્યાલય તરફથી છપાતું હતું. આ વસ્તુની જાણ થતાં, તે કાર્યાલયના સંચાલક સાથે વાટાઘાટ કરીને તથા પુસ્તકના અનુવાદકની સંમતિ મેળવીને પ્રસ્તુત પુસ્તક અમો અમારી સ્મારકમાળા માટે મેળવી શકયા, તે અમારે મન ખૂબ આનંદની વાત છે.
* મૂળ લેખક: પિટર કોપટકિન; પ્રકાશક: પ્રસ્થાન કાર્યાલય, અમદાવાદ,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org