________________
હિતશિક્ષા
હે સજ્જન નર અને નારી! સારી હિતશિખામણ તમે સાંભળજો. કોઈ શિખામણ આપે ત્યારે તેના ઉપર રીસ ન કરતાં. શિખામણ દેનારા ઉપર રીસ કરનાર પોતાનું ભાગ્ય પરવારી બેસે છે. કવિ આ વાત નીચે પ્રમાણે કવિતામાં જણાવે છે.
સાંભળજો સજ્જન નર-નારી, હિતશિખામણ સારીજી; રીસ કરે દેતાં શિખામણ, ભાગ્યદશા પરવારી – સુણજો સજજન રે, લોકવિરુદ્ધ નિવાર; સુ.
જગત વડો વ્યવહારઃ સુ. I 1 I આ પ્રથમ કડીમાં ત્રણ શિખામણો છે.
(૧) શિખામણ દેનાર ઉપર રીસ કરનારનું ભાગ્ય ઘટે છે. (૨) લોકવિરુદ્ધ આચરણ કરવું નહિ. * (૩) વિશ્વમાં વ્યવહાર એ પ્રધાન છે.
[૧] • જ્યારે કોઈ શિખામણ આપે ત્યારે તેના ઉપર રીસ કરવી એ ઘણું જ અનુચિત છે. અહીં શિખામણ આપનાર વ્યક્તિ તરીકે હિતબુદ્ધિ ધરાવનાર અધિકારવાળી વ્યક્તિ લેવાની છે. જ્યારે એવી વ્યક્તિઓ ઉપર રીસ કરવામાં આવે છે ત્યારે તેમનો સદ્ભાવ ઘટી જાય છે. બે-ચાર વખત એવા પ્રસંગો બન્યા પછી હિતસ્વીજનો શિખામણ આપવાનું છોડી દે છે, એટલે રીસ કરનાર ભૂલોનો ભોગ બનીને ભાગ્ય પરવારી બેસે છે. કિરાત મહાકાવ્યમાં ભારવિએ પણ કહ્યું છે કે – જે રાજા પણ હિતસ્વીના હિતવચનને સાંભળતો નથી તે દુષ્ટ રાજા છે. હિતાત્ર ય સંશશુને સ કિંપ્રભુઃ '
શિખામણ દેનારા ઉપર રીસ કરનારા કેવા હોય છે, તે હકીકત નીચેના એક દૃષ્યન્તમાં સુંદર રીતે ગૂંથાઈ છે.
એક શેઠ હતા. તેમને એકનો એક પુત્ર – પૂરો તોફાની અને વક્ર હતો. શેઠ તેને કોઈ પણ હિત-શિખામણ આપે ત્યારે સામે તે દશ શિખામણો
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org