SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૪ ૨૦ નીચ સાહેલી સંગ ન કીજે, પરમંદિર વિ ભમીએજી: રાત્રિ પડે ઘરબાર ન જઈએ, સહુને જમાડી જમીએ. ૨૦ સુણજો સજ્જન રે. હિતશિક્ષા (૧) હલકી સખીનો સંગ ન કરવો. (૨) પારકે ઘેર ભટકવું નહિ. (૩) રાત્રે ઘર બહાર જવું નહિ. (૪) સહુને જમાડ્યા પછી જમવું. [૩-૫] હલકી સખીનો સંગ ન કરવો – સ્ત્રી હો કે પુરુષ, પણ સર્વના જીવનમાં મિત્ર એ અગત્યનો ભાગ ભજવે છે. તેમાં પણ પુરુષ કરતાં સ્ત્રીને તેની સખી સાથે અધિક સમાગમ રહે છે. સખી-સાહેલી-બહેનપણીને અલી એ!’ કહીને બોલાવવામાં સ્ત્રી જે મજા અનુભવે છે તે કોઈ ઓર જ હોય છે. સ્ત્રી કોઈની પણ પાસે પોતાનું હૃદય ખોલતી હોય તો તે તેની સખી છે. જો સખી સારી હોય તો સારા સંસ્કાર આવે છે અને ખરાબ હોય તો ખરાબ સંસ્કાર આવે છે. સારા સંસ્કાર કરતાં ખરાબ સંસ્કારો જલદી આવે છે ને આવ્યા પછી તેને ઘર કરતાં વાર લાગતી નથી. નીચ – હલકી સાહેલીનો સંગ એ કુસંગ છે. એ કુસંગથી અનેક પ્રકારની બૂરી ટેવો પ્રવેશે છે. વ્યાવહારિક જીવનમાં અનેક સુખ-દુઃખના પ્રસંગો આવે છે ત્યારે સારી સાહેલી યોગ્ય સલાહ આપે છે અને ખરાબ સખી એવી ખરાબ સલાહ આપે છે કે જેને પરિણામે અનેક પ્રકારના ક્લેશ-કલહ ઊભા થાય છે. એટલે એવી કાનભંભેરણી કરતી નીચ સખીનો સંગ ન કરવો. Jain Education International પારકે ઘેરે ભટકવું નહિ – પોતાનું ઘર છોડીને પારકે ઘરે ભમવું નહિ. વ્યવહાર વગેરે કાર્યપ્રસંગે પ્રયોજન સહિત બીજાને ઘરે જવું પડે તે જુદું, પણ એમ ને એમ વગ૨કા૨ણે પોતાનું ઘ૨ છોડીને બીજાને ઘરે ભટક્યા કરવું એ સ્ત્રી-જીવનનું મોટું દૂષણ છે. એમાંથી બીજા અનેક દોષો જન્મે છે. કેટલીક સ્ત્રીઓને બપોર પડે એટલે પોતાનું ઘર ગમતું નથી – તે ક્યાંય ને ક્યાંય ભટકવા નીકળી પડે છે. એમ ને એમ સમય પસાર કરવા માટે ભટકતી સ્ત્રીઓ જેને ત્યાં જાય છે તેને પણ અળખામણી લાગે છે. જેના જીવનમાં કાંઈ પણ For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005586
Book TitleHit shiksha Chattrisi
Original Sutra AuthorN/A
AuthorDharmdhurandharsuri
PublisherShrutprasarak Sabha
Publication Year2005
Total Pages142
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy