SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ છત્રીશી: ૧૬-૧૧૮ તો એને કોઈ પણ રીતે વળગવા ન દેવી એવો નિર્ણય મજબૂત થાય. આમ છતાં તમાકુની પકડ જગત ઉપર ઓછી નથી. અને તેથી તમાકના ગુણ ગાનારા પણ ઘણા છે. તેઓ પ્રથમ કહ્યું તે કરતાં ઊલટું જ કહે છે. તેઓ કહે છે કે તમાકુની નિંદા કરનારનું સત્યાનાશ જાય છે માટે તેની નિંદા ન કરવી. કોઈ ખાય કોઈ પીવે કોઈ લેવે નાશ તમાકુની નિન્જ કરે, તેનું જાય સત્યાનાશ” || ૧ || એક સંસ્કૃત કવિએ તો તમાકુ ઉપર ફીદા ફીદા થઈ જઈને - તમાકુને ભાગીરથી-ગંગા સાથે સરખાવી છે – ક્વચિત થક્ક ક્વચિત ફા. ક્વચિદ્ર નાસાગ્રામિની , તમાખુસ્ત્રિવિદ્યા પ્રોક્તા, કલૌ ભાગીરથી યથા” | ૨ || એક છીંકણી-તમાકુ સૂંઘવાના રસિકને સૂંઘતાં-સૂંઘતાં એવો રસ જાગ્યો કે તે રસ અંદર ન સમાયો ને કાવ્યરૂપે બહાર સરી પડ્યો. તે કાવ્ય આ પ્રમાણે છે – “છીંકણી તણો સડકો, પહોંચ્યો સ્વર્ગને દ્વાર .. ઈન્દ્ર કરે ઓરતા, ધન્ય મનુષ્ય અવતાર”. I ૧ ll માનવલોકમાં સારભૂત વસ્તુ કોઈ હોય તો તે તમાખુ છે એમ સ્વર્ગલોકમાં છડેચોક કહેવાય છે. ઈન્દ્ર બ્રહ્માને પ્રશ્ન કરે છે અને બ્રહ્મા ચાર મુખે એકસાથે ઉત્તર આપે છે એવી કલ્પના કરીને એક કવિએ તમાકુના ગુણ ગાયા છે. બિડૌજા પુરા પૃષ્ટવાનું પવયોનિ, ધરિત્રીતલે સારભૂત કિમતિ | ચતુર્ભિમુખૈરિત્યવોચ વિરન્ચિસ્તમાખસ્તમાખસ્તમાખસ્તમાનુI ૧|| આમ જો તમાકુ-પુરાણ ઉખેળ્યા કરીએ તો પાર ન આવે એટલું લાંબુ છે. આ બધા ઉપરથી એટલું તો ચોક્કસ છે કે તમાકુનો વિરોધ કરનારા છે તો તેની સામે તમાકુની પુષ્ટિ કરનારા પણ છે. વિરોધ કરનારા વધે છે કે પુષ્ટિ આપનારા એ નક્કી કરી શકાય એવું નથી. અહીં હિતશિક્ષા છત્રીશીના કર્તા કવિ તમાકુનો ત્યાગ કરવાનું કહે છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005586
Book TitleHit shiksha Chattrisi
Original Sutra AuthorN/A
AuthorDharmdhurandharsuri
PublisherShrutprasarak Sabha
Publication Year2005
Total Pages142
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy