________________
હિતશિક્ષા
ખોટાની સમજણ ગુરુ આપે છે. ગુરુ પ્રત્યેનું બહુમાન રાખનારને ઈષ્ટસિદ્ધિ પ્રાપ્ત થાય છે. જેને માથે કોઈ ગુરુ નથી તે “નગરો' કહેવાય છે. “નગરો” એ આર્યાવર્તમાં ગાળ જેવો શબ્દ ગણાય છે. કોઈને નગરો' કહેવામાં આવતું ત્યારે તેને જે દુઃખ થતું તે દુઃખ તેને ‘ન-બાપો' કે બે બાપનો' કહેવાથી નહોતું થતું – આટલું ગુરુ પ્રત્યેનું બહુમાન હતું.
કેટલાક અમુક પ્રકારની મહત્તા મેળવનારાઓ મિથ્યાભિમાનને કારણે કોઈને ગુરુ તરીકે સ્વીકારતાં અને ઓળખાવતાં શરમાય છે – ખરેખર તેઓ એક સારા તત્ત્વથી વંચિત રહે છે. ગુરુ વગરના તેઓ ઉન્નતિને યોગ્ય સામગ્રી મળ્યા છતાં અવનતિને પામે છે.
દેવ જેવી ગુરમાં ભક્તિ રાખનારને ઇષ્ટ કાર્યોની સિદ્ધિ સાંપડે છે. એ આર્યોનો મુદ્રાલેખ છે.
યસ્ય દેવે પરા ભક્તિ ર્વથા દેવે તથા પુરી /
તસ્યતે કથિતા હૃથ, પ્રકાશને મહાત્મન" | ૧ | એટલે દેવ અને ગુરુને વંદન-પૂજન-દર્શન-પ્રણામ કરીને પછી જ સંસારની બીજી પ્રવૃત્તિઓમાં જોડાવું એ હિતશિક્ષા છે.
ગુરુની મહત્તા સમજાવતા બેએક વિશિષ્ટ દુહાઓ છત્રીશીકારે મોહનીયકર્મ-નિવારણ-પૂજાષ્ટકની શરૂઆતમાં લખ્યા છે, તે મનનીય છે.
શ્રી શુભવિજય સુગુરુ નમી, માતાપિતા સમ જેહ; બાલપણે બતલાવીયો, આગમનિધિ ગુણગેહ I ૧ / ગુરુ દીવો ગુરુ દેવતા, ગુરુથી લહીએ નાણ;
નાણથકી જગ જાણીએ, મોહનીના અહિઠાણ’ || ૨ ll વિતરાગ પરમાત્માનો ઉપદેશ યથાવસ્થિત સમજાવનાર ગુરુ છે. શ્રી તીર્થંકર પરમાત્મા પછી આ આત્માને ગુરુ પ્રત્યે પરમ ભક્તિ કરવી એ ઉચિત
સમ્યક્ત પમાડનાર-ધર્મમાર્ગે જોડનાર ગુરુનો બદલો એક ભવમાં તો નથી વળતો પણ કરોડો ભવો સુધી સર્વ કાંઈ કરી છૂટવા છતાં એ ઋણ ચૂકવી શકાતું નથી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org