SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ છત્રીશી: ૬ છે. અતિ વિવશતા કોઈ પ્રસંગે અતિશય અકાર્યમાં પ્રવૃત્તિ કરાવી દે છે કે જેનાં કટુ પરિણામો ઘણાં જ ભયંકર સહેવાં પડે છે. માટે એવા પ્રસંગો જ ન મળે એ પ્રમાણે રહેવું હિતાવહ છે. પાણી પહેલાં પાળ બાંધનારો ડાહ્યો છે. આવી વાતોના અખતરા ન હોય. કોઈ પોતાને ખૂબ જ અચલ સમજતો હોય તો પણ પ્રસંગે તેને તેનું મન છેતરી જાય છે. આવા પ્રસંગોમાં પડી ગયા પછી લાગેલું કલંક જીવનભર સાલે છે. ઉપરની કથાઓ જેવી અનેક વાતો છે. તેમાંથી એકાંત, રાત્રિ, સ્ત્રી વગેરેનો સમાગમ શીલનો કેવો વિઘાતક છે, એ હકીકત સ્પષ્ટ ઊપસી આવે છે. એથી સાવધ રહેનાર બચી જાય છે – ખરેખર બચી જાય છે. વ્યવહાર એ અતિ વિષમ છે. વ્યવહારમાં કુશલતા પ્રાપ્ત કરાવનારું શાસ્ત્ર નીતિશાસ્ત્ર કહેવાય છે. નીતિશાસ્ત્રના રચયિતાનું મુખ્ય નામ બૃહસ્પતિ છે. તે કહે છે કે – “કોઈનો પણ વિશ્વાસ કરવો નહિ.” “બૃહસ્પતેરવિશ્વાસ એ તેના શાસ્ત્રનો સાર છે. એટલે નીતિશાસ્ત્ર કહે છે કે – કોઈનો વિશ્વાસ ન કરવો. પણ વ્યવહારમાં એમ ચાલતું નથી. વિશ્વાસ રાખવો પડે છે. એકબીજા ઉપર વિશ્વાસ મૂકવામાં ન આવે તો વ્યવહાર અટકી પડે છે, છતાં અમુક વ્યક્તિઓનો તો વિશ્વાસ કરવો જ નહિ, એ વાત શિક્ષાકાર અહીં જણાવે છે. ' એ જ પ્રમાણે જગતનાં લોકો બધું પચાવી શકે છે પણ ખાનગી વાત પચાવવી બહુ મુશ્કેલ છે. પછી તે ખાનગી વાત પોતાની હોય કે પરની. ગુહ્ય ને ગુપ્ત વાત બીજાને કર્યા વગર ચાલતું નથી. એવી વાત કોઈને પણ ન કરનારા કોઈક વિરલા જ જડી આવે છે. જગતની જ્યારે આવી સ્થિતિ છે. ત્યારે જગતને એક શિખામણ દેવી જરૂરી છે. તે એ કે ગુહ્ય વાત કરવી પડે તો જેને તેને ન કરવી પણ અમુક કે જે આપણે સર્વથા હિત જ ઇચ્છતા હોય તેને જ કરવી. છઠ્ઠી કડીની બીજી લીટીમાં શિક્ષાકારે એ શિખામણ આપી છે. રાજા રમણી ઘરનો સોની, વિશ્વાસે નવ રહીએ જી; માત-પિતા-ગુરુ વિણ બીજાને, ગુહ્યની વાત ન કહિએ. ૬ સુણજો સજ્જન રે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005586
Book TitleHit shiksha Chattrisi
Original Sutra AuthorN/A
AuthorDharmdhurandharsuri
PublisherShrutprasarak Sabha
Publication Year2005
Total Pages142
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy