________________
છત્રીશી: ૫
૧૩
હતા. તેઓએ કહ્યું, ‘તમારી વાત કદાચ સાચી હશે. આપણે એ પદ આ શ્લોકમાં સુધારી લઈશું, પણ થોડો સમય રાહ જોવી પડશે.”
ઘણીએ વખત અનુભવીઓનાં વચનો બિન-અનુભવીઓ અનુભવ કર્યા વગર સ્વીકારી શકતા નથી. કામ પતાવીને જૈમિનિ પોતાને આશ્રમે આવ્યા. નદીને કાંઠે શાંત અને રમ્ય વાતાવરણમાં જેમિનિનો આશ્રમ હતો. અનેક વિદ્યાર્થીઓ મીમાંસાનું અધ્યયન કરતા હતા. બ્રહ્મચર્યાશ્રમનું સુવ્યવસ્થિત પાલન થાય અને વિદ્યામાં જરા પણ ક્ષતિ ન પહોંચે એવી સુંદર વ્યવસ્થા હતી. ભૂલેચૂકે પણ સ્ત્રીઓ ત્યાં આવી શકતી નહિ. ચોમાસાની ઋતુમાં એક દિવસ આશ્રમની નજીકમાં એક સ્ત્રી કરુણ સ્વરે રોતી હતી. રાત્રિનો પ્રારંભ થઈ ચૂક્યો હતો. વેદપાઠ કરતા વિદ્યાર્થીઓના ઘોષમાં મિશ્રિત થઈને ઘેરો બનતો એ રુદનનો અવાજ જૈમિનિના સાંભળવામાં આવ્યો. તેમણે એક વિદ્યાર્થીને મોકલીને તે સ્ત્રીને ત્યાં – પોતાની પાસે બોલાવી. સ્ત્રીએ પોતે ફરવા નીકળી હતી, વાદળાં ચડી આવ્યાં, ભૂલી પડી ને અહીં આવી ચડી એ હકીકત સ્વાભાવિક રીતે કહી અને રાત્રિ રહેવા માટે સ્થાનની ઇચ્છા દર્શાવી. સૂવાનાં પાગરણો આપીને એક ખાલી પડેલી ઘાસની ઝૂંપડીમાં તેણીની સૂવાની વ્યવસ્થા કરવાનું જૈમિનિએ એક શિષ્યને કહ્યું. ગુરૂઆદેશ પ્રમાણે નીચી દૃષ્ટિએ સર્વ વ્યવસ્થા બરાબર કરીને ગુરુને જણાવીને શિષ્ય પોતાના કાર્યમાં જોડાઈ ગયો. રાત્રિનો પ્રથમ પ્રહર વ્યતીત થયો. સર્વ આશ્રમવાસીઓ નિદ્રાની સોડમાં સુખ અનુભવવા લાગ્યા ત્યારે જાગતા જૈમિનિનું મન ચકડોળે ચડ્યું. ભીનાં અને નીતરતાં વસ્ત્રોમાંથી નીતરતું સ્ત્રીનું સૌદર્ય તેમની દૃષ્ટિ સમક્ષ તરવરવા લાગ્યું. તેઓ ઊઠ્યા અને આશ્રમના એકેએક વિદ્યાર્થીની તપાસ કરીને ઘાસની ઝૂંપડી પાસે આવ્યા અને બારણું ખખડાવ્યું – પણ યુવતીએ દ્વાર ઉઘાડ્યું નહિ ને કહ્યું કે ઋષિજી! આપ પધારો, મારે અહીં સર્વ સગવડ સુંદર છે.' ઋષિ પાછા ફર્યા ને વળી પાછા આવ્યા. છેવટે ત્રીજી વખત આવ્યા. બાજુના ઝાડ ઉપર ચડીને ઝૂંપડી ઉપર ઊતર્યા. ઘાસ આઘુંપાછું કરીને અંદર ઊતરવાનો માર્ગ કર્યો. પોતાનું પાથરણું નાખ્યું ને પછી પોતે ઊતર્યા. ચંદ્રમાનો સ્વચ્છ-શીતલ પ્રકાશ અંદર પડતો હતો. તેમાં જોયું તો સામે લાંબી લાંબી દાઢી ને જટાવાળા વ્યાસજીને દેખ્યા. જૈમિનિ એકદમ શરમાઈ ગયા. ભૂમિ માર્ગ આપે તો અંદર સમાઈ જાઉં એવું મનમાં થવા લાગ્યું - ત્યારે વ્યાસજીએ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org