________________
છત્રીશી: ૩૩-૩૪-૩૫-૩૬
૧૨૫
મુસાફરનું મરણ થયું. મુસાફરની હત્યા થઈ એ નક્કી, પણ એ હત્યા લાગે કોને? એ પ્રશ્ન વિચિત્ર થઈ પડ્યો. શેઠ તો દયાળુ ને દાનેશ્વરી હતા એટલે હત્યા તેને ન લાગે, ભરવાડણને તેનું ઢાંકણું ઊડી ગયું છે ને આમ બન્યું છે તેની ખબર ન હતી એટલે હત્યા તેને ન લાગે. સમડી તો પોતાનો આહાર લઈ જતી હતી ને સાપ પરવશ સ્થિતિમાં હતો, આમ મુસાફરની હત્યામાં સીધા સંપર્કમાં આવેલાં ચારે જણાં નિર્દોષ હતાં. આ સ્થિતિમાં હત્યા મૂંઝાતી હતી કે મારે કોને વળગવું તેવામાં પેલી નિંદા કરતી ડોશી તેના હાથમાં આવી. હત્યા તેને વળગી અને ડોશી કાળીયેશ જેવી થઈ ગઈ.
નિંદા વગર લેવે દેવે બીજાનાં પાપો પોતાને વળગે એવી સ્થિતિ ઉત્પન્ન કરે છે, માટે પર-નિંદાનો ત્યાગ કરવો.
[૩૧] હિંસાનો ત્યાગ કરવો – ઉપરની સર્વ શિખામણોની પાછળ કોઈ મહત્ત્વનો આશય હોય તો તે હિંસા છોડવાનો છે. હિંસા એ સર્વ દોષોમાં મુખ્ય દોષ છે. હિંસા છૂટી જાય તો દોષમાત્ર છૂટી જાય છે હિંસા ચાલુ છે તો બીજા દોષ હોય કે ન હોય તેની કાંઈ કિંમત નથી. એટલે હિંસાનો ત્યાગ કરવો. મનુષ્યજન્મ જો સફળ કરવો હોય તો હિંસાનાં પચ્ચકખાણ કરવાં – હિંસા જ બધાં પાપ કરાવે છે. જેટલે અંશે હિંસાનો ત્યાગ તેટલે અંશે ધર્મ - અને હિંસાની વૃદ્ધિ જેટલી તેટલી પાપની વૃદ્ધિ. હિંસાનો સર્વથા – સદત્તર - સદાને માટે ત્યાગ તેનું નામ મોક્ષ.
હવે છેલ્લી ચાર કડીમાં મનુષ્યજન્મ સફળ કરવાની કેટલીક શિખામણો કહીને આ ઉપયોગી ને સરળ ગ્રંથની પૂર્ણાહુતિ કરવામાં આવે છે.
(૩૩-૩૪-૩૫-૩૬
વ્રત-પચ્ચખ્ખાણ ધરી ગુરુહાથે, તીરથયાત્રા કરીએજી; પુણ્ય ઉદય જો મોટો પ્રગટે, તો સંઘવીપદ ધરીએ.
સુણજો સજ્જન રે.
૩૩
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org