SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ છત્રીશી: ૩૨ ૧૧૯ (૨૮) વિરૂઢાહાર – અનાજને પાણીમાં પલાળીને વધારે વખત રહેવા દેવામાં આવે તો તેમાં અંકુરા ફૂટે છે. અંકુરાવાળા એ દાણા વિરૂઢ છે, એ સર્વ અનંતકાય છે. (૨૯) પલંકા – એ ભાવિશેષ છે, ને તે અનંતકાય છે. (૩૦) સુઅરવલ – જંગલમાં મોટી વેલ થાય છે, તે અનંતકાય છે. (૩૧) કોમલ આંબલી – આંબલી કે જે કાતરાને નામે પ્રસિદ્ધ છે, તેમાં બી ઠળિયા ન આવ્યા હોય ત્યાં સુધી તે અનંતકાય છે. આંબલી જ નહિ પણ ફળ માત્ર કોમળ હોય ત્યાં સુધી અનંતકાય છે. (૩૨) આલુ – બટેટા, રતાળુ – પ્રસિદ્ધ છે. પિંડાલ-ડુંગળી, સક્કર-કંદ ઘોષાતકી અને કરીર એ બન્નેના અંકુર એ સર્વ અનંતકાય છે. આ સર્વ અનંતકાયોનો ત્યાગ કરવો. અભક્ષ્ય – અભક્ષ્ય એટલે ભક્ષણ કરવા યોગ્ય નહિ તે. જે ખાવા યોગ્ય નથી એ ખાવું તે સુજનને ન છાજે. એટલે અભક્ષ્યનો ત્યાગ કરવો. કેટલાક બકરી અને ઊંટની માફક કહેતા હોય છે કે અમારે કોઈ પણ વસ્તુ ન ખાવા જેવી નથી. પણ તેમને પરિણામની ખબર નથી એટલે એમ કહે છે. તે જીવો પણ કેટલીક ચીજો કે જે પોતાને ફાવતી નથી, માફક નથી આવતી, તે તો નથી ખાતા, અથવા ખાઈને પસ્તાય છે. ખાધા પછી સમજણ આવે ત્યારે પસ્તાવું તેના કરતાં ખાધા પહેલાં આ ખાવા યોગ્ય છે કે નહિ તેની સમજણ મેળવી લેવી હિતકારક છે. અભક્ષ્ય ચીજો ઘણી છે. તેમાં પ્રસિદ્ધ બાવીશ ચીજો છે. તે જાણીને તેનો ત્યાગ કરવાથી ઘણાંખરાં અભક્ષ્યથી બચી જવાય છે. (૧થી ૫) વડ-પારસ-પ્લક્ષ-પારસ અને લક્ષ એ બન્ને નાના-મોટા પીપળાની જાત છે. ઊંબરા અને કચુંબર – આ બન્ને ગુલર અને કાળા ઊંબરા તરીકે ઓળખાય છે. આ પાંચે ઝાડના ટેટા-ટેટીઓ એટલે નાનાં ફળો અભક્ષ્ય છે. તેમાં ઘણાં બી હોય છે. ઝીણા ઝીણા ગણતરી વગરના જીવો તેમાં ખદબદતા હોય છે. તે ખાતાં પણ ધૃણા વછૂટે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005586
Book TitleHit shiksha Chattrisi
Original Sutra AuthorN/A
AuthorDharmdhurandharsuri
PublisherShrutprasarak Sabha
Publication Year2005
Total Pages142
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy