________________
છત્રીશી : ૩૨
“ગૂઢસિરસંધિપર્વ્ય, સમભંગમહીરુર્ગ ચ છિન્નરુહં | સાહારર્ણ સીર, તન્વિતીયં ચ પત્તેય | ૧૨ ||’
જેની નસો – સાંધાઓ અને ગાંઠો ગુપ્ત હોય, ભાંગવાથી ભાગ સરખા થાય, તાંતણા-રેસા ન નીકળે, છેદ્યા છતાં ફરીથી ઊગે તે અનંતકાય જાણવા; તેથી વિપરીત હોય તે પ્રત્યેક જાણવા.
૧૧૭
ઉપર જણાવ્યું એ પ્રમાણેનું લક્ષણ જેમાં ઘટતું હોય તે અનંતકાય છે, એમ સમજીને તેનો ત્યાગ કરવો. લક્ષણથી અનંતકાય સમજવા માટે બુદ્ધિની સૂક્ષ્મતા જોઈએ. બધા એ રીતે સમજી શકે એ શક્ય નથી હોતું, એટલે વ્યવહારમાં વિશેષ ઉપયોગમાં આવતા અનંતકાયનો જરૂ૨ ત્યાગ કરવો. અનંતકાય બત્રીશ છે. તેનું ટૂંક સ્વરૂપ આ પ્રમાણે છે.
(૧) કંદજાતિ – જમીનમાં અંદર ઊગે તે સર્વ કંદ અનંતકાય છે. (૨) લીલી હળદર – જે હળદરનો ઉપયોગ કરવામાં આવે છે તે લીલી હોય ત્યારે અનંતકાય છે.
(૩) લીલું આદું – આદું તરીકે જે પ્રચલિત છે, તેને લીલું આદું ગણાવ્યું છે. તે સુકાઈ જાય છે ત્યારે સૂંઠ કહેવાય છે. આદું (લીલું) અનંતકાય છે.
(૪) સૂરણકંદ અને (૫) વજકંદ – આ બંને કંવિશેષ છે. કંદજાતિથી જુદા ગણાવવાનું કારણ અમુક રીતે તેનો ઉપયોગ વિશેષ થાય છે તે પણ ન કરવો એ છે.
(૬) લીલો કચરો – કચરો લીલો હોય ત્યાં સુધી હળદર અને આદુની જેમ અનંતકાય છે.
(૭) શતાવરી અને (૮) વિરાલી – શતાવરી એ વેલ થાય છે. ઔષધિમાં એ વપરાય છે. વિરાલી એ પણ વેલ વિશેષ છે. સેફાળી-ભોંયકોળું એ એનાં પર્યાય નામો છે. એ બંને અનંતકાય છે.
(૯) કુંઆર – કુમારિકા, કુંઆરપાઠા નામે પ્રસિદ્ધ છે. એ આખી અનંતકાય છે. એટલે તેનાં શેલરાં પણ અનંતકાય છે.
Jain Education International
(૧૦) થોહર – થોર જુદી જુદી અનકે જાતના થાય છે. તે બધા અનંતકાય
છે.
(૧૧) ગિલો – ગળોની વેલ થાય છે. ઔષધિમાં એ વપરાય છે. તે કદી
For Personal & Private Use Only
www.jainelibrary.org