________________
(૧૨) પ્રજાબંધુ.
અમદાવાદ તા. ૪ થી ડીસેમ્બર સને ૧૯૦૪. વડોદરા ખાતે મળેલી ત્રીજી જૈન શ્વેતાંબર કેન્ફરન્સ,
વડોદરા ખાતે ગઈ તા. ૨૭, ૨૮ અને ૨૮ મીએ મળેલી ત્રીજી જૈન શ્વેતાંબર કોન્ફરન્સને મેળાવડે ફરહમંદી સાથે પસાર થયો છે. એ મેળાવડામાં થએલા કામકાજને લગતો હેવાલ અને અન્ય સ્થળે આપેલ છે તે ઉપરથી વાંચક ગણ કહી શકશે કે જેને ભાઈઓએ કોમની અભિવૃદ્ધિ માટે બોલીને જ નહીં પણ કાંઇક કરીને બતાવવાની શરૂઆત કરવા માંડી છે. કોન્ફરન્સની સ્વાગત કમિટીના પ્રમુખનું ભાષણ અંત:કરણની લાગણીનું અને ચચવાના વિષયની પસંદગીનાં કારણે ઉપર અજવાળું પાડે તેવું હતું. તેમાં એક ઠેકાણે એવું જણાવેલ છે કે “વળી ઘણી બાબતો એકી વખતે ઉપાડવા જતાં એકનું સાર્થક થઈ શકતું નથી અને ઉલટા ગોટાળો થાય છે. ” પ્રમુખના આ શબ્દ બહુ ગંભીર છે ને તે તરફ જુદી જુદી કોન્ફરન્સોએ ધ્યાન આપવાની ખાસ જરૂર છે. જેના ભાઈઓ વેપારી કામ લેવાથી. જે બાબતમાં ન મળે તેજ બાબતને હાથ ધરે એ વ્યવહારિક ડહાપણુ તેમણે દ્રષ્ટાંતિક રીતે રજુ કર્યું છે તે ખુશ થવા જેવું છે. આવી કોન્ફરન્સ ભરવાનો મુખ્ય હેતુ લાંબાલચ ભાષણેથી શ્રેતાઓને ખુશ કરવાને નહીં પણ થોડું પણ કામ કરી બતાવી કોમને ફાયદો કરવાનો હોય છે. કોન્ફરન્સના પ્રમુખ રાય બહાદુર બુદ્ધસિંહજીના ભાષણમાં કોન્ફરન્સમાં ચચવામાં આવેલા વિષયોનું દિગ્ગદર્શન કરેલું છે અને તેમાં કેળવણીને મોખરે મૂકવામાં આવી છે એટલું જ નહીં પણ સ્ત્રી કેળવણીને વધુ વજન લાગુ પાડવામાં આવેલ છે. એ લંબાણ ભાષણ ઉપરથી જોઈ શકાય છે. કે કોન્ફરન્સને ખાસ હેતુ જેનોની સામાછક અને ધાર્મિક કેળવણીની ઉન્નતિ કરવાનો છે. અને તેમાં કંઈ પણ વ્યવહારિક પગલાં ન લેવામાં આવે અને માત્ર વાણીવિલાસ જ થતું હોય તે તેનું ફળ શું? એવા વાણીવિલાસને અવકાશ જ ન મળે તેટલા માટે આ વખતની કોન્ફરન્સમાં ગયા વર્ષના અનુભવથી જૈન આગેવાનોએ કાંઇક કરી બતાવવાની પહેલ કરી છે. અમોને જણાવતાં સંતોષ થાય છે કે કોન્ફરન્સનું હાલનું બંધારણ જે ફક્ત ડોળ અને દમામખાતર બાદશાહી ખર્ચ કરાવનારું છે તેને ફેરવી નાખી સારી રીતે અસલના પંચના રીવાજ ઉપર કામ લેવાને ઠરાવ અત્રેના શેઠ લાલભાઈની દરખાસ્તથી કર્યો છે. વ્યવહારિક રીતે દેશી સાદી રીતભાતને વળગી રહીને આવી કોન્ફરન્સ ભરવાની શેઠ મેસુફે હિમાયત કર્યાથી ત્રણ દિવસના મેળાવડા પાછળ ખચંતા હજારે રૂપીઆને બચાવ કરવાનું ડહાપણ આખરે જૈન જેવી કરકસરમાં પાવરધી ગણાતી કોમે જોયું છે જે અન્ય કોમોએ અનુકરણ કરવા જેવું છે. આ કોનફરન્સમાં વધુ ધ્યાન ખેંચનારે બનાવ તે ના. મહારાજા સર સયાજીરાવ તથા તેમના યુવરાજની સામેલગીરી જ છે. કોન્ફરન્સના પહેલા અને છેલ્લા દિવસે આ બન્ને પિતાપુત્રે પધારી સામાજીક તથા ધાર્મિક બાબતોમાં પિતાની પ્રજાને તથા તેમના અન્ય બંધુઓને ઉત્તેજન આપી અન્ય રાજ્ય કર્તાઓને તેઓની ફરજ વિષે જાગૃત કરેલા છે. ના. સર સયાજીરાવ જેવા સુધરેલા વિચારના છે તેનું જ પ્રતિબિંબ તેમના યુવરાજમાં એવી તે આબાદ રીતે પડયું છે કે “બાપતેવા બેટા વગેરે” કહેવત આ ઉપરથી સાચી ઠરે છે.ના. મહારાજાના ભાષણમાંથી તેમ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org