________________
( ૧૪૮ ) થી અત્રે તેનું પુનરાવર્તન કરવું” અવાસ્તવિક વિચારીએ છીએ પણ સ્પષ્ટ થવાને એટલું તે કહેવાની જરૂર ધારીએ છીએ કે એ કેન્ફરન્સ એકલા શ્વેતાંબરીઓની હતી. કોન્ફરન્સ વખતે પ્રમુખ તથા અન્ય વક્તાઓએ જણાવેલા વિચાર બહુ સારા છે. અને તેમણે કરેલા ઠરાવ પણ સ્વકોમની ઉન્નતિ અર્થે ઘણા ઉપયોગી છે. વડોદરાના મહારાજા શ્રીમંત સયાજીરાવે તથા તેમના પાટવી કુંવર પ્રિન્સ ફિત્તેહસિંહસ કોન્ફરન્સ પ્રત્યે જે ભાવ દર્શાવ્યા છે અને પોતાના વિચારો જાહેરમાં જણાવવાની કૃપા કરવાની તસ્દી લીધી છે તે માટે જન કેમે તે નામદારેના થડા આભારી થવાનું નથી. તે નામદારોનું અનુકરણ કસ્વાનું અન્ય દેશી રાજ્યકર્તાઓ શીખે એજ આપણે ઈચ્છવાનું છે. આ કૅન્ફરન્સની વિશેષ ફત્તેહ તેની સાથે ભરવામાં આવેલા લાક્ષણિક પ્રદર્શનને લીધે થઈ છે. નેશનલ કોગ્રેસ જેવા દેશના રાજકિય પરિષદની સાથે હુન્નર ઉદ્યોગને લગતું પ્રદર્શન ભરવાની રીતિ છેલ્લાં ચાર વર્ષથી શરૂ થઈ છે અને તેમ કરવામાં લાભ સમાયેલે સમજવામાં આવ્યો છે ત્યારે તેવા શુભ માર્ગનું અનુકરણ જૈન કોન્ફરન્સ કર્યું છે તે જોઈ સંતોષ થાય છે. પ્રદર્શન નમાં રજુ થયેલી ચીજો માટે જે થોડા ચાંદ તથા નામ અને સર્ટીફીકેટ આપવામાં આવ્યાં છે તે ઉપર નજર નાંખીએ છીએ ત્યારે તેમાં મી. મોતીલાલ કલચંદ શાહ અને વૈદ્ય રા. જટાશંકર લીલાધર જેવા આ શહેરના નામાંકિત ગૃહસ્થોનાં નામ જોઇને અમને વિશેષ હર્ષ થાય છે. કોન્ફરન્સનું કામ સંપૂર્ણ થયા પછી જૈન ગ્રેજ્યુએટસ એસોસીએશનની થયેલી સ્થાપના અત્રે ભરાયેલી મેહેમદન કેળવણી કોન્ફરન્સ પછીથી સ્થપાયેલા પેલા થોડું યાદ કરવા લાયક મંડળનું સ્મરણ કરાવી બંનેની સરખામણું કરવાને લલચાવી સારા નરસાની પરીક્ષા કરાવે છે, એ પરીક્ષા કરવાનું કામ સહેલું હેવાથી તે વિષયે વિશેષ વિવેચનની આવશ્યકતા નહીં હોવાથી સુજ્ઞ વાચકોને અમે સાથે લઈને ઈરછીએ છીએ કે જે હેતુથી ગ્રેજ્યુએટસ એસોસીએશનની સ્થાપના થઈ છે તે શુભ હેતુઓ પાર પડે અને જૈન બંધુઓનો ઉત્તરોત્તર જય થતો રહે. તોપણ છેવટમાં આ સંબંધમાં જૈન બંધુઓ સમક્ષ બે ટુંકી વિનંતી છે. તેમાંની એક એ છે કે જે કરવું તેમણે કર્યા છે તેમનો અમલ કરવા ઉપર અવશ્ય ધ્યાન આપવું જોઈએ; અને બીજી વિનંતી એ છે કે કોન્ફરન્સ ફક્ત વેતાંબરીઓની નહીં કરતાં દિગંબરીઓને પણ તેમાં સામેલ કરવા જોઈએ. એ બે, બાબતો ઉપર લક્ષ અપાશે તો આ કોન્ફરન્સને “જન કોન્ફરન્સ” કહેવામાં બિલકુલ બાધ આવશે નહીં અને જૈન કેમને ઉત્કર્ષ વિશેષ સારી રીતે કરી શકાશે. દેશમાંની એક કોમનું પણ એ રીતે સંપૂર્ણ કલ્યાણ થાય તો તે ઘણું હર્ષ દાયક થઈ પડશે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org