________________
-
પાપ શદ્ધિની પકિરા
=O
અમે બાર બાર મહિના તપસ્યા કરી પણ એ લોકોને કાંઇ કિંમત નથી. એવી પુદ્ગલની આશાએ આકૂલતા વ્યાકૂલતા થઇ હોય, તો તસ્સમિચ્છામિ દુક્કડમ્...! ઉપવાસના પારણે આહારથી આ દેહ ટકી રહ્યો છે. એમ વિચારી પારણાના દિવસે ઉપવાસનું વળતર વાળી લીધું હોય તો તસમિચ્છામિ દુક્કડમ્...! ઉપવાસના દિવસે આહારની ઇચ્છા થઇ હોય અથવા સ્વપ્નમાં કોઇ દોષ લાગ્યો હોય તો તસ્સમિચ્છામિ દુક્કડમ્...!
તવેસુવા ઉત્તમ વંમરે તપમાં ઉત્તમ બ્રહ્મચર્ય છે તેનું પાલન કરવું જોઇએ તેનું પાલન કરતાં આનંદ થવાના બદલે ખેદ થયો હોય, યુવાનીના મદમાં ખેદ થયો હોય તો તસ્સમિચ્છામિ દુક્કડમ્...!
બારમાસની તપસ્યામાં આલોક-પરલોકનાં સુખ ધન-કીર્તિ-આબરૂ તથા ઇન્દ્ર આદિની પદવી મેળવવા માટે નહીં પરંતુ એકાંત કર્મની નિર્જરા માટે છે એ લક્ષ ચુકાઇ ગયું હોય તો તસ્સમિચ્છામિ દુક્કડમ્...!
છેલ્લી ઘડીએ વિનંતિ
પ્રભુજી માંગું તારી પાસ, મારી પુરી કરજો આશ પ્રભુ માંગી માંગીને માંગું એટલું, મારી છેલીરે ઘડી સુધારજો | ગુરૂદેવ પાસે હોય, અને સંથારો અદરાય
બધા જીવોને ખમાવી લેવાય રે... મારી...૧ સાચી આલોયણા થાય, ભાવે પ્રતિક્રમણ થાય, બધા દોષોનું પ્રાયશ્ચિત લેવાય રે...
મારી...૨ નહીં સેવાઓ લેવાય, જાતે જાતે કામ કરાય,
નહીં ઇન્દ્રિયોની શક્તિ હણાય રે... મારી...૩ નહીં શાતામાં હરખાય, વેદનામાં નહીં પીડાય, નહીં પરભવ નિયાણું બંધાય રે...
મારી...૪ જો અવધિજ્ઞાન થાય, સ્વર્ગ નરક દેખાય. નહીં ભય કે આશા જરાય રે...
મારી...૫
૬૦)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org