________________
પાપ શદ્ધિની પ્રક્રિયા
ANNNNNNNN
'છઠ્ઠા વ્રતના અતિચાર
૨૪૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦eos હવે છઠ્ઠા દિશાપરિમાણ વ્રતમાં જે અતિચાર લાગ્યા હોય તે આલોઉં છું.
(૧) ઊંચી દિશાનું પરિમાણ ઉલ્લંધ્યું હોય (૨) નીચી દિશાનું પરિમાણ ઉલ્લંધ્યું હોય, (૩) ત્રિચ્છી કે મધ્યદિશાનું પરિમાણ ઉલ્લંધ્યું હોય (૪) ચારે દિશાનું પરિમાણ એકઠું કરી એક દિશામાં વધાર્યું હોય (૫) રસ્તામાં જતાં મર્યાદાનો સંદેહ પડ્યા છતાં તેનું ઉલ્લંઘન કરી આગળ જવાયું હોય - એ છઠ્ઠાવ્રતના પાંચ અતિચારમાંનો કોઈ પણ અતિચાર સેવ્યો, સેવરાવ્યો કે અનુમોદ્યો હોય તો તસ્સમિચ્છામિ
દુકાં.
વળી મર્યાદા ઉપરાંત કાગળ, તાર, ફોન આદિ દ્વારા માલ મંગાવી હિંસાદિ સેવ્યા સેરાવ્યા હોય, મન - વચન - કાયાથી મર્યાદા ઉપરાંત આશ્રવ સેવ્યો હોય પરદેશી વસ્તુના મોહ રાખ્યા હોય, દિશાઓની મર્યાદાની હદ સંકોચી ન હોય તેમજ અવ્રતની ક્રિયા રાખી હોય ઈત્યાદિક આજન્મથી માંડીને આજના દિવસપર્યત, દિવસ સબંધી - રાત્રિ સબંધી, દેશથી, સર્વથી છઠ્ઠાવ્રતમાં કોઈ પણ રીતે ખંડના વિરાધના કરી હોય, અતિક્રમ, વ્યતિક્રમ, અતિચાર, અનાચાર, જાણતાં, અજાણતાં કોઈ પણ દોષ સેવ્યો હોય તેવરાવ્યો હોય કે અનુમોઘો હોય તો અનંતા સિધ્ધ, અરિહંત, કેવલી ભગવંતની સાક્ષીએ તસ્સમિચ્છામિ દુક્કડ
'સાતમા વ્રતના અતિચાર
હવે સાતમાં ઉપભોગ - પરિભોગ - (જે વસ્તુ એક જ વાર ભોગવાય તે ઉપભોગ. ને વસ્ત્ર અલંકાર, અલંકાર આદિ વારંવાર ભોગવાય તે પરિભોગ) પરિમાણ વ્રતમાં જે અતિચાર લાગ્યા હોય તે આલોઉં છું.
(૧) જે સચિત્ત વસ્તુનો ત્યાગ છે, તે વસ્તુ પુરેપુરી અચિત્ત થઈ ન હોય છતાં વાપરી હોય, (૨) સચિત્ત સાથે સબંધવાળી
૨૪
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org