________________
=0
પાપ શુદ્ધિની પ્રક્રિયા
કર્યું હોય (૪) અજાણ્યે અધિક દ્વિપદ (મનુષ્ય), ચતુષ્પદ (જાનવર)ના પરિમાણનું અતિક્રમણ કર્યું હોય. (૫) લોઢું, કલાઈ, જસત, ત્રાંબુ, પીત્તળ, શીશું, કાંસું વિગેરે હલકી ધાતુ તથા ઘર વખરી આદિના પરિમાણનું ભૂલથી અતિક્રમણ કર્યું હોય. એ પાંચમા વ્રતના અતિચાર માંનો કોઈ પણ અતિચાર લાગ્યો હોય તો તસ્સમિચ્છામિ દુક્કડં
તેમજ પરિગ્રહ ઉપર અતિમૂર્છાભાવ રાખ્યો હોય, પરિગ્રહથી જ કૃતાર્થપણું માન્યું હોય, રાતદિવસ તેની ઝંખના કરી હોય, પરિગ્રહ મેળવવામાં નીતિ અનીતિ, ધર્મ અધર્મ, કર્તવ્ય અકર્તવ્ય, હિતાહિતનો વિચાર ન કર્યો હોય, પરિગ્રહ મેળવવા માટે અધીક આરંભ સમારંભ કર્યો હોય, જેમ જેમ લાભ મળે તેમ તેમ લોભ
તૃષ્ણા વધારી હોય, ચક્રવર્તી, બલદેવ, વાસુદેવ, તેમજ વૈષ્ણવાદિકના મંડલપતિની ઋધ્ધિ ઈચ્છી હોય, પરિગ્રહ માટે ભાઈ - ભત્રીજા આદિની ઘાત ચિંતવી હોય, વારસો મેળવવાની અભિલાષા કરી હોય, બીજાનો હક્ક ડૂબાવીને પોતાનો હક્ક મેળવવા પ્રયત્ન કર્યો હોય ! પોતાનો સ્વાર્થ સાધવા બીજાની આજીવિકા તોડાવી હોય, આંધળા - મૂંગા - લૂલા અસહાય દુ:ખી પ્રાણીને દુ:ખી થતાં દેખી અનુકંપા બુદ્ધિથી છતી શક્તિએ તેને સહાય કરી ન હોય. જિનશાસનને દીપાવે તેવા ખાતામાં છતી શક્તિએ મદદ ન કરી હોય. દુષ્કાલ જેવા સમયમાં ભૂખે મરતા પ્રાણીઓને જ્ઞાતિથી કે ધર્મથી ભ્રષ્ટ થતાને બચાવ્યા ન હોય, તેને બદલે નામના મોહે કીર્તિદાન કર્યું હોય. સુપાત્રમાં ન વાપરતાં કુપાત્રમાં વાપર્યું હોય. જુગારાદિ વ્યસનમાં અને ખોટી ફેશનોમાં પાપના કાર્યમાં ધનનો વ્યય કર્યો હોય, ઈત્યાદિક જન્મથી માંડીને આજના દિવસ પર્યંત દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવથી, દેશથી રાત્રિ સર્વથી, દિવસ સબંધી પાંચમા વ્રતમાં કોઈ પણ રીતે ખંડના વિરાધના કે પાપ દોષ લાગ્યો હોય, મૂર્છાભાવે પરિગ્રહ મેળવ્યો હોય, મેળવાવ્યો કે મેળવતાંને ભલું જાણ્યું હોય તો અનંતા સિધ્ધ, અરિહંત, કેવળી ભગવંતની સાક્ષીએ તસ્સમિચ્છામિ દુકકરું.
Jain Education International
-
૨૩
For Personal & Private Use Only
www.jainelibrary.org