________________
४२०
આનંદ મંદિર,
જતા પૂર્વક આગમનનું પ્રયોજન પુછયું. ગૃહસ્થ ગુરૂએ સહર્ષ વદને જણાવ્યું, રાજેદ્ર ! આવવાનું કારણ બીજું કાંઈ નથી. તમારા જેવા જૈન રાજાઓના આશ્રયથી મને કઈ વાતની અપેક્ષા નથી, અત્યારે ભારતવર્ષ ઉપર આહત ધર્મને ઉધત થઈ રહ્યા છે, જૈન મુનિઓના મુખમાંથી પ્રગટ થતી જિનવાણી જયવંતી પ્રસરે છે, શ્રાવક પ્રજાને શિષ્ટાચાર સર્વ સ્થળે પ્રશંસનીય પ્રવર્તી રહ્યા છે, દરેક સ્થળે શ્રાવિકાઓ સતિ ધર્મની ધુરાને ધારણ કરી, જૈન ધર્મના શીળવતનું માહાત્મ પ્રગટ કરી રહી છે, સ્થાવર, અને જગમ જી નિર્ભય રીતે વર્તે છે, આર્ય દેશના દરેક ખુણામાં શ્રીચંદ્ર મહારાજાના પ્રતાપને પ્રકાશ પડી રહ્યા છે, આપના ધ્રોઢ પ્રતાપને લઈને સર્વત્ર અમારી ઘોષણ પ્રવર્તી રહી છે. મારા આવવાનું પ્રયોજન બીજું નથી, પણ આપના પિતા રાજર્ષિ પ્રતાપસિંહ મહારાજનાં મને દર્શન થયાં, અને તેમને સંયમ જોઈ, મને જે અનહદ આનંદ થયો છે, તે જણાવવાને હું ખાસ આપની પાસે આવ્યો છું. અહા ! શું તેમનું ચારિત્ર ! શું તેમના સંયમનો પ્રભાવ ! તે મારાથી વર્ણન થઈ શકે તેવું નથી. જેમને માટે કવિઓ નીચેની કવિતા ગાય છે.
તપ જપ સંયમ ખપ કરે, ન ધરે મનમાં માય, કામ ક્રોધ મદ માન જે, ભાજે ભવના દાય. વિનયી ને લજ્જાળુ જે, દયા ધીર દમવત, દુધેર તપ આરાધતાં, શમ દમ સુધા સંત. કિયા કરતા વિધિપણે, સાધે અક્રિય યોગ, સંયમના ભેગી થયા, જનથી હૈયે અયોગ.. ધ્યાન જ્ઞાનમાં મગ્ન છે, ભવ યજ્ઞના કાર, મગ્ન રહે નિજ ભાવમાં, નહિ પરભાવ વિકાર, મયગલપરે નિત્ય મલપતા, ભેદે કપટ કોટ, સિંહપરે દુર્ધર્વ છે, દેતા પરિષહ દોટ. ચોટ કરે કમપરે, પાનાનળના ગેટ, ઉપાડી શમ યંત્રથી, ચુરે જેમ રજ કેટ. કહ્યાં જાય મુખથી નહિ, તે મુનિ તણું વખાણ,
પ્રવચન મારગ અનુસરે, કરે ન તાણેતાણ. રાજે ! તે મહા મુનિ રાજર્ષિના સંયમની પ્રશંસા મુખથી કહી શકાય તેવી નથી. એ મહા મુનિ ચારિત્ર ધર્મના યથાર્થ રીતે આરાધક છે. એષણુના દશ દેવ, આહાર–પિંડના ચતુર્વિધપણે સુડતાલી દેષને તેઓ દુર કરી, પિતાના સંયમને નિર્વાહ કરે છે, પાંચ સમિતિ અને ત્રણ ગુણિને તે સમ્યક્ પ્રકારે ધારણ કરે છે. સુખ સંયમ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org