SearchBrowseAboutContactDonate
Page Preview
Page 417
Loading...
Download File
Download File
Page Text
________________ જયણાનું મહાભ્ય. ૪૧૧ પાછું તેણીએ ચિંતવ્યું કે, “ અરે ! આ શું બન્યું? હું કોણ છું? મારો આચાર શું છે? હું એક ચારિત્રધારી સાધ્વી છું, મારે આવો કુવિચાર ન કરવો જોઈએ. મને વિષે આકવિ, એ કેવું વિપરીત ? જિનભગવંતે અનગારની આચાર જે વર્ણવ્યું છે, તે બરાબર છે. ઉત્તમ અનગારે અનુચિત એવું કાંઈ પણ જેવું ન જોઈએ. સંયમનું બળ જિ. તેંદ્રિયપણથી જ છે. જિતેદ્રિય એવા સંયમીઓએ પણ વિષયથી સાવધાન રહેવાનું છે. વિષય, વિષથી પણ વધારે હાનિકારક છે, તેને માટે નીચેની સંસ્કૃત કવિતા ગવાય છે – " एकवर्णातिरेकेण विपविषयोमह दंतरम् । વિવંતુ મલિત તિ વિષયાઃ અરબ ? “ વિષ અને વિષય, એ બંનેમાં એક અક્ષરના વધારાથી ઘણું અંતર છે. વિષ ખાવાથી મારે છે, અને વિષયે સ્મરણ કરવાથી મારે છે.” ૧ આવું વિચારી તેણીએ છાતી કુટતાં કુટતાં ઘણે આક્રંદ કર્યો. અરેરે! મેં મારા ચારિત્રને ક્ષણવારમાં દૂષિત કરી દીધું. આજ સુધી રાખેલ શીલરત્ન મેં ક્ષણમાં ગુમાવી દીધું. આવી વિપરીત વાત મારાથી ગુરૂને પણ શી રીતે કહેવાય? જો હું આ વાત નહીં કહું, તે એ મારા હૃદયમાં શલ્યરૂપ થશે, અને ત્યાં સુધી મારી શુદ્ધિ નહીં થાય. આ પ્રમાણે ચિંતવતી સુલક્ષણે ગુરૂ પાસે આવવા નીકળી, ત્યાં ચરણમાં કાટ વાગ્યો, આ તેણીને અપશુકન થયાં. આમ થતાં પણ તે ગણકાર્યા વગર ચાલી, ત્યાં તેણીને માનરૂપ પર્વતે દબાવી દીધી. “ અરે ! હું કોણ છું ? મારા જેવી કુલીન સ્ત્રીએ આવી હલકી વાત કરવી, તે અઘટિત છે. હું કેવા કુળમાં ઉત્પન્ન થઈ છું ? મારે આવી નબળી વાત બીજાને ન કહેવી જોઈએ. ગુરૂની આગળ કહેવાની શી જરૂર છે ? તેનું પ્રાયશ્ચિત હું પોતે જ લઇશ. ખરું પ્રાયશ્ચિત તપસ્યા છે, અને તે તપસ્યારૂપ પ્રાયશ્ચિતથી હું મારી જાતે જ શુદ્ધ થઇશ. આવું વિચારી સુલક્ષણાએ તપશ્યાને આરંભ કર્યો. છઠ્ઠ, અઠ્ઠમ, દશમ, નીતિતપ, એકાસણું, બેસણું, માસક્ષપણ અને આંબિલ વિગેરે તપસ્યા ચાદ વર્ષ, સોળ વર્ષ અને વિશ વર્ષના પરિમાણથી કરી, એ તપસ્યામાં તેણીનાં પચાસ વર્ષ વીતી ગયાં, તે સાથે આવશ્યક તથા આતાપના વિગેરે ક્રિયાઓ તેણીએ છેડી નહીં. આ પ્રમાણે તપસ્યા કરતાં સુલક્ષણાને એક વખતે દુષ્કર્મને યોગે વિચાર થયે કે, અરે ! મેં આ શું કર્યું ? આવી કઠિન તપસ્થાથી મેં મારા આત્માને વૃથા શેષાવી નાખ્યો, હજુ મારા હૃદયનું શલ્ય ગયું નહીં. મારે હવે અનશન કરવું જોઇએ. મને ધિકાર છે કે, મેં જે કરવાનું હતું, તે કર્યું નહીં. આમ ચિંતવતાં આર્ત તથા રૌદ્ર ધ્યાન કરતી સુલક્ષણ નિયાણુ સહિત મત્યુ પામી. Jain Education Intemational For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005580
Book TitleShreechand Kumar yane Anand Mandir
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Varg
Publication Year
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy