SearchBrowseAboutContactDonate
Page Preview
Page 415
Loading...
Download File
Download File
Page Text
________________ જયણનું મહાભ્ય. ૪૦૯ જોયા હતા, તે કાંઈ કામ દ્રષ્ટિથી જોયા નહતા, પણ તમારા શીળની પરીક્ષા કરવાને માટે જોયા હતા, તો મને એલોયણ શેની આપે છે ? રૂપી સાધીનાં આ વચન - સાંભળી શીલસંન્નાહ મુનિએ મનમાં ચિંતવ્યું કે, અહા ! સ્ત્રી સ્વભાવને ધિક્કાર છે. આ સ્ત્રીએ જુઠી માયા કરી, મહા વ્રત ગ્રહણ કરી, જપ, તપ, અને નિયમ ગ્રહણ કર્યા, તે પણ તેણીએ જાતિ સ્વભાવ છોડે નહીં. તેણીને ગુરૂ ઉપદેશ ગળી ગયો, પુણ્યને અભિનિવેશ ચાલ્યો ગયો, અને સંયમનું મહા ફળ તેણીએ માયાથી વેહેંચી દીધું. આવું વિચારી મહા મુનિ બોલ્યા-સાધ્વી ! હવે માયાનો ત્યાગ કરે. આજ દિન સુધીની પ્રવજ્યા નિરર્થક કરે નહીં. તમે રાજપુત્રી લક્ષણા આર્યાનું દષ્ટાંત શું નથી સાંભળ્યું ? વિચાર કરો. એ રાજબાળાને માયાથી કેટલું વેઠવું પડયું હતું ? તેને યાદ કરો. ગતમે વચમાં પ્રભુને પુછ્યું, તે લક્ષણો આય કોણ હતી, અને તેણીએ શું વેઠયું હતું, અને શું કર્મ બાંધ્યું હતું ? તે વૃત્તાંત વિસ્તારથી કહો. પછી પ્રભુએ નીચે પ્રમાણે લક્ષણે આર્યાનું ચરિત્ર કહેવા માંડયું – હેડાવપણી પહેલી વીશીથી પહેલી એંશીમી ચોવીશી જ્યારે ચાલતી હતી, ત્યારે ધર્મસિંહ નામે વીસમા તીર્થંકર, કે જેમનું શરીર સાત હાથનું હતું, તેઓ ભરત ક્ષેત્રમાં થયા હતા તે વખતે ક્ષિતિપ્રતિષ્ઠિત નગરમાં જંબુદાડિમ નામે રાજા થયા હતા, તેને શ્રીમતિ નામની રાણીમાં અનેક સ્વરૂપવાન અને ગુણ પુત્રો થયા, પણ કોઈ પુત્રી થઈ નહીં. પુત્રીને માટે રાજા અને રાણીને ઇચ્છા થતી હતી. એમ કરતાં સુલક્ષણા નામે એક પુત્રી થઈ. તે વન વયમાં રંભાથી પણ અધિક રૂપવતી અને ચોસઠ કળાની જાણનાર થઈ. તે રાજબાળાને વયમાં આવેલી જોઈ, રાજાને તેણીના પતિને માટે ચિંતા થવા લાગી. મંત્રીઓની સંમતિ લઇ રાજાએ તેણીને માટે સ્વયંવર રચો. વિદેશમાંથી અનેક રાજાઓ અને રાજકુમારોને લાવ્યા. ચતુરંગ સેના સહિત રાજાઓ મંડપમાં એકઠા થયા. સુલક્ષણા સુંદર વષ પહેરી મંડપમાં આવી. જંબુદાડિમ રાજાની આજ્ઞાથી સુલક્ષણાની આગળ બધા રાજાઓનાં વૃત્તાંત કહેવામાં આવ્યાં. કુળ, દેશ, જાતિ અને શૈર્ય વિગેરે બીજા ગુણેને સાંભળતી સુલક્ષણે ચારે તરફ ફરવા લે છે. કામદીપિકા જેવી એ બાળાને જોઈ, રાજાઓ ચિત્રવત થઈ ગયા. તેમ કરતાં એક ગુણવાન રાજકુમાર તેને પસંદ આવ્યું. સર્વની દૃષ્ટિએ સુલક્ષણાએ તેના કંઠમાં વરમાળ આરોપણ કરી. સ્વયંવરમાં જય જય શબ્દ થઈ રહ્યા. જંબુદાડિમ રાજા પ્રસન્ન થયો. તેણે વિદ્વાનને, કવિઓને, યાચકને અગણિત દ્રવ્ય આપ્યું. શુભ લગ્ન વિવાહનો આરંભ થયો. કર્મયોગે પાણિગ્રહણને સમયે તે રાજકુમારને અકસ્માત વ્યાધિ થઈ ગયે, અને ક્ષણવારમાં તે મૃત્યુ પામી ગયે. જે અગ્નિ તેના ચાર ફેરા ફરવાને માટે પ્રગટાવ્યો હતો, પર Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005580
Book TitleShreechand Kumar yane Anand Mandir
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Varg
Publication Year
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy