________________
સુવૃત્તાચાર્ય,
પૂર્વક ભજું, જે અન્ય મતના પાખંડી અને કુલિંગી છે, તેમને ન ભજું, લકિક દેવની સેવના ન કરું, હમેશાં દાનશીળ થાઉં, અવિધિની આશાતના ટાળું. પરિણામને વધતા કરું, દેવદ્રવ્ય તથા ગુણદ્રવ્યનો ઉપભોગ ન આચરું, તેવો ઉપભોગ કરનારને સંગ પણ ન કરું, અઢાર પાપ સ્થાનને એવું નહીં, બેગ ઉપભેગમાં અભક્ષ્ય તથા અનંતકાયના ત્યાગના યાજજીવિત પચ્ચખાણું કરું, આર્ત, રદ્ર વિગેરે અશુભ ધ્યાનને ત્યાગ કરું, કાષ્ટ ભક્ષણ વિગેરે દુરાચારથી દૂર રહું, શ્રાવકનાં બાર વ્રત ત્રિકરણ શુદ્ધિથી આરાધું, બધા પંચાશી પ્રકારના અતિચારથી દૂર રહે, પાંચ પ્રકારની ધર્મ સંલેખના કરે, જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપઆચાર અને વિચારની સાનંદપણે સેવન કરે. તે સિવાય આહંત ધર્મનો જે શુદ્ધ સદાચાર છે, તેનું યથાશક્તિ પાલન કરે. મુનીશ્વર ! આ પ્રમાણે મારા હૃદયમાં ધર્મભાવના પ્રગટ થઈ છે. દેવ, ગુરૂ અને ધર્મના પ્રસાદથી આપે ઉપદેશ કરેલ આહંત ધર્મના મહાભ્યને મેં જાણ્યું છે. મારા મનુષ્યભવને કૃતાર્થ કરવાનું કારણ આપ પિતેજ બન્યા છે, આપે ઉપદેશ કરેલા સમ્યકત્વના તીવ્ર પ્રકાશથી મારું અજ્ઞાનરૂપી અંધકાર દૂર થઈ ગયું છે.
આ પ્રમાણે કહી શ્રીચંદ્ર ઉભો થયો. તેણે પિતાના ઉપકારી ગુરૂને ત્રણ પ્રદક્ષિણા કરી, અને શુદ્ધ હૃદયથી ભક્તિપૂર્વક વંદના કરી, પછી ઉંચે સ્વરે નીચેની ગાથા બે
सम्मत्तमूलो गुणआलवालो, सिलप्पवालो वयसंघसालो । गिहथ्थधम्मो वरकप्परुख्खो,
फलेउ मे सासय मुख्ख सुख्खो ॥१॥
સમકતરૂપ મૂળવાળો, ગુણરૂપ ક્યારાવાળો, શીળરૂપ પલ્લવે યુક્ત અને વ્રતરૂપ શાખા સહિત, એ ગૃહસ્થ ધર્મરૂપ ઉત્તમ કલ્પવૃક્ષ શાશ્વત સુખરૂપ મેક્ષરૂપ અર્થે ફિલિત થાઓ.” ૧
શ્રી ચંદ્રની ગુરૂભક્તિ જોઈ, સુવૃતાચાર્ય ઘણુંજ પ્રસન્ન થઈ ગયા, શ્રીચંદ્રની પવિત્ર ભાવના જોઈ તેમની મનોવૃત્તિમાં ધાર્મિક આનંદ ઉભરાઈ ગયું. તરતજ તેઓએ ત્યાંથી વિહાર કરવાની ઈચ્છા કરી. ગુરૂશ્રીની સાથે રાજર્ષિ પ્રતાપસિંહ, મુનિવર્ય લક્ષ્મીદત્ત, સાધ્વી સૂર્યવતી, સાધ્વી લક્ષ્મીવતી અને બીજો પરિવાર વિહાર કરવાને તૈયાર થશે. પૂર્વ સંબંધને લઈને શ્રીચંદ્ર અને તેના કુટુંબને ક્ષણવાર વિગપીડા ઉત્પન્ન થઈ. કુશસ્થળીની પૂર્વ લાલિત પ્રજાએ પોતાના સ્વામીની નવદીક્ષિત મૂર્તિને પ્રેમ ભક્તિથી વંદના કરી, અને નયનમાંથી અશ્રુધારા વર્ષોવી. ભૂતળરૂપ ક્ષેત્ર ઉપર દેશનાની ધારા વર્ષાવનાર બેધિબીજરૂપ વિવિધ ધાન્યને ઉત્પન્ન કરનાર સુવત્તાચારૂપ ગગનમણિ સર્વ રાજકીય ચારિત્રધારી પરિ. વારને લઈ જગતના ઉપકારની બુદ્ધિએ અજ્ઞાનરૂપ અંધકારને દૂર કરવા પ્રકાશમાન થઈ, ત્યાંથી વિહાર કરવા પ્રવર્તી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org