SearchBrowseAboutContactDonate
Page Preview
Page 394
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮૮ આનંદ મંદિર, રસના ઈદ્રિયને વશ કરી, તેમણે રૂક્ષ આહાર કરવા માંડ્યો. સંયમથી સર્વ ઈદ્રિને તાબે કરી, હૃદયમાં સવેગને રંગ પ્રગટ કર્યો. એ મહા તપસ્યાને તેના મિત્ર નરદેવે હદયથી અનુમોદન આપ્યું હતું. વિધિથી તપનું પારણું કરી, તેમણે એ મહા તપનું ઉઘાપન કર્યું. પૂર્ણ વિધિથી કરેલા ઉઘાપનને પ્રસંગે સાત ક્ષેત્રમાં અગણિત દ્રવ્યનો વ્યય કર્યો, તે પ્રસંગે પાત્રદાન અને અનુકંપાદાન ઘણી ઉદારતાથી કરવામાં આવ્યાં. આથી કરીને તેમને પુણ્યનું પોષણ અને અશુભનું શોષણ થયું, અને કર્મથી નિર્મળ થયાં. છેવટે બંને દ પતી સંયમ લઈ મૃત્યુ પામ્યાં. પુણ્યવાન ચંદન અમ્યુક થયે, અને ભદ્રા સામાનિક દેવતા થઈ. ' ધર્મઘોષ મુનિ કહે છે...હે શ્રીચંદ્ર ! તે ચંદશેઠને જીવ અસ્પૃદ્રપણાથી ચવીને તું શ્રીચંદ્ર થયો. તારે મિત્રરૂપ સામાનિક દેવતા થયેલ ભદ્રાને જીવ ત્યાંથી ચાલીને આ ચંદ્રકળારૂપે તારી સ્ત્રી થઈ અવતર્યો. પૂર્વ ભવના સ્નેહથી તેણીએ તારીપર પરમ પ્રેમ ધારણ કર્યો હતો. જે નરદેવ હતા, તે કેટલાએક ભવમાં ભમીને સિંહપુરમાં ધરણ નામે બ્રાહ્મણ થઈ અવતર્યો, તે ભવે શત્રુંજય તીર્થની સેવા કરતાં મૃત્યુ પામીને આ શ્રી ચંદ્રનો મિત્ર ગુણચંદ્ર થયેલ છે. પેલો હરિદાસ અને ધાવમાતા મૃત્યુ પામીને પૂર્વના પુણ્યયોગે આ લક્ષ્મીદત્ત શેઠ અને લક્ષ્મીવતી થઈ અવતયાં છે, જેમણે પૂરના સ્નેહ સંબંધને લઈ શ્રીચંદ્રનું પાલનપોષણ કર્યું હતું. પેલી પાડોશીની સોળ સ્ત્રીઓ આંબેલ તપના પ્રભાવથી મૃત્યુ પામીને દેવતા થઈ, ત્યાંથી ચવીને તેઓ આ ભવે રાજપુત્રીઓ થઈ, શ્રી ચંદ્રની પ્રેમવતી સોળ સ્ત્રીઓ થઈ છે, સુલસના ભવમાં જે ભગિની વેશ્યા હતી, તે હિની નામે ભીલડી ઇને અવતરી છે, જેને શ્રીચંદ્રની ઉપર ઘણો પ્રેમ પ્રગટ થયો હતો. ભદ્રજનો ! આ પ્રમાણે તમારા પૂર્વ ભવને વૃતાંત છે. પૂર્વ ભવના સંબંધ વિના :ગટ થતું નથી. પ્રેમનો પ્રવાહ દિવ્ય છે, તે પ્રવાહ પૂર્વ સંબંધના અવલંબનથી વહે છે. સ્નેહ એ દિવ્ય વસ્તુ છે, તેની મહત્તા અકિક છે. જે પ્રઈ પ્રાણીને અમુક પ્રાણી, ઉપર સ્નેહ થાય, તે તે પૂર્વના સંબંધનું સૂચન છે. સચેતનની વાત તો એક તરફ રહી, પણ જે અચેતન-જડ પદાર્થો છે, તેઓમાં પણ સ્નેહની મુદ્રાની અસર હોય છે. વિશેષ કરીને એ બાબત સ્ત્રી પુરૂષમાં વધારે જોવામાં આવે છે. સ્ત્રી પુરૂષની અંતરની પ્રકૃતિની ગતિ ધીરેધીરે એકજ રીતે થવાની તરફ લગભગ એક જ વસ્તુની ઉપર દપતિને વિરાગ અને એકજ વિષય ઉપર ચાહ ઉત્પન્ન થાય છે. એકાકાર થવું અથવા વશીભૂત થવું, એ જ પૂર્વ પ્રેમનો ધર્મ છે. દરેક સંસારમાં તેનાં દષ્ટાંત જેવામાં આવે છે. જે પૂર્વ સંબંધને પવિત્ર તાર બંધાયો હોય, એકમેકના સ્વભાવદ્વારા પુરૂષ અને સ્ત્રીને પરસ્પરને સ્વભાવ કંઈક અનુરંજિત થશે ને થશે. કદાચ બંનેનું પરિવર્તન થશે નહિ, તે એકબીજાને અનુરૂપ થશે. ક્રોધી પણ અક્રોધીમાં મળ્યાથી ફોધી અક્રોધી અથવા અક્રોધી ક્રોધી થશે. પૂર્વના સંબંધથી પશુત્વ દેવત્વની તરફ ખેંચાય છે, નહિ તો પશુત્વ દેવત્વને ખેંચી નીચે લઈ જાય છે. દિવ્ય જ્ઞાની મહાત્માનાં આવાં વચન સાંભળતાંજ તે શ્રેતાઓના હૃદય પર વિચિત્ર જાતની ડાર થઈ ગઈ, ધર્મવીર શ્રીચંદ્રના હૃદયમાં તત્કાળ વિચાર ચક્ર ફરી ગયું. બુદ્ધિતત્વમાં Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005580
Book TitleShreechand Kumar yane Anand Mandir
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Varg
Publication Year
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy