SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ . આનંદ મંદિર. દેવલાક કેમ ન કહેવાય ? અહા ! કે! સુંદર દેખાવ છે ? આ મુગ્ધાના મુખચંદ્ર ગ ચળકે છે ? તેના લલાટ ઉપર કેવુ તેજ પ્રકાશે છે ? તેની નાસિકા, હેડ, યુટી, અને કંઠની શોભા અનુપમ છે. આ સુંદર બાળા ક્યા પુણ્યવાન પુરૂષને માટે નિર્માણ થઈ હશે ? આ મહાભાગા ક્યા ભાગ્યવાન્ પુરૂષને અલકૃત કરશે ? જે આ સુંદરી સંપાદન થાય તા, દીશિખા નગરીની મુસાી સફળ થાય. રાજા દીપચંદ્રની જો તે કન્યા હોય, તે મારી આશાલતા વખતે સફ્ળ થાય ખરી, અથવા રાજા દીપચંદ્રને ઘેર અતિથી થઇ, આ કન્યારત્નની માગણી કરવી તે યોગ્ય નથી. આ પ્રમાણે ચિંતવન કરતા પ્રતાપસિંહ લયમાં યોગીની જેમ તે કન્યામાં લીન થઈ ગયા. પ્રતાપના મનરૂપ ભમરા તે કન્યારત્નના મુખ કમળમાં આસક્ત થઇ ગયેા. ક્ષણુ વાર લયમાં જેમ યાગી સ્થિર રહે, તેમ સ્થિર અને શુન્ય રહેલા પ્રતાપને જોઇ, તેના રથમાં પછવાડે બેઠેલા રાજા દીપચંદ્રને એક સેવક ક્લ્યા—મહારાજા ! હું કહું તે ક્ષમા કરજો. આપની મનેાવૃત્તિ વિકારી થયેલી દેખાય છે, વસ્તુ જોઇ તમને મેટ્ટુ શુંચેલા છે, તે વસ્તુ તમનેજ પ્રાપ્ત થશે. તમારા મનારથ સુકૃતના ઉદયથી સફળ થશે. આ પ્રમાણે સેવકનાં વચન સાંભળી પ્રતાપસિ ંહ આશ્ચયૅ સહિત ખુશી થયેા. તેણે સેવકને કહ્યું, રાજક્કર । તને સાબાશી ઘટે છે. મારી મનેત્તિ તે યથાર્થ રીતે જાણી લીધી છે. ભદ્ર ! કહે, આ ક્રાને મેહેલ છે, અને મનેાહર કન્યા કૈાની છે ? સેવક એક્લ્યા—મહારાજા ! આ તમારો પરમ ભક્ત રાજા દીપચંદ્રની રાણી દીપવતીના મેહેલ છે. રાણી દીપવતીની કુક્ષિરૂપી કમલિનીમાં હંસલી સમાન એ સૂર્યવતી નામે તેની પુત્રી છે. એ રાજકુમારી પવિત્ર ગુણની ખાણૢ છે, ત્રણ ભુવનમાં સારરૂપ છે, અને કળાઓના ભડાર છે. વિધાતાએ એક સ્થાને પેાતાની રચનાનું સૌંદર્ય જોવા માટે બનાવી હાય તેવી તે મનેહર છે. એ બાળા આપને માટેજ તૈયાર થઈ છે. તેણીના પૂજ્ય પિતાના એવા સંકલ્પ છે કે, આપણી રાજધાનીમાં મીજમાન થઈ આવેલા મહારાન્ત પ્રતાપસિહુને આ ભાગ્યવતી કન્યાનીજ ભેટ કરવી. આ સાંભળતાંજ પ્રતાપસિંહને અતિ આનંદ ઉત્પન્ન થઇ આવ્યા, તેના શરીર ઉપર રામે ગમ પ્રગટ થયા, આનંદનાં અશ્રુથી નયનકમળ ભરાઇ ગયાં. તેણે સેવકને કહ્યું, ભદ્રે ! આ બધી વાત્તા શી રીતે છે ? તે કહે. સેવક ખેલ્યા—મહારાજા ! જ્યારથી આ રાજકુમારીતા હૈવન વયમાં પ્રવેશ થયા છે, ત્યારથી અમારા રાજાને ચિંતા પ્રગટ થઇ છે. આવી સુ ંદર કન્યાને યોગ્ય પતિ શોધવા માટે મહારાજાએ અનેક ઉપાય કરવા માંડયા, તથાપિ કાઈ યોગ્ય ગ્રાહક મળતો નહોતો. મહારાજાના હૃદયમાં એ ચિંતાની વાળા પ્રજ્વલિત થઈ પ્રવર્ત્તતી હતી, તેવામાં આપ મહારાજાની વધામણી આજે વનપાળના મુખથી સાંભળવામાં આવી. રાજ્યાભિષેકના મહેાત્સવને પ્રસંગે આપનુ આગમન સાંભળી, તેમને અપાર આનંદ થયા. તેજ પ્રસંગે મંત્રીની સાથે મહારાજાએ જણાવ્યુ કે, આજના મહાત્સવમાં કુશસ્થલીના મહારાજાનું આગમન મને વિશેષ હર્ષદાયક થઇ પડયું છે. રાજકન્યા સૂર્યંતીની જે ચિંતા મને ઉદ્વેગ કરાવતી હતી, તે ચિંતાને Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005580
Book TitleShreechand Kumar yane Anand Mandir
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Varg
Publication Year
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy