________________
૪૨
,
अत्र हि येऽज्ञानिनस्ते मिथ्यादृष्टय एवेति मिथ्यादृष्टयादीनामप्यवधिदर्शनं साक्षादत्र सूत्रे प्रतिपादितम् । स एव विभङ्गज्ञानी यदा सासादनभावे मिश्रभावे वा वर्तते तत्रापि तदानी अवधिदर्शनं प्राप्यत इति ।
ચતુર્થ કર્મગ્રંથ ગા. ૨૧ ની ટીકા
- જે અવધિ દર્શન છે તે કઈક અભિપ્રાયથી વિશિષ્ટ શ્રતજ્ઞાનીએ મિથ્યાદષ્ટિ આદિને (૧ થી ૩ ગુણ વતીને) માનતા નથી. તેમના મતને આશ્રીને અમે પણ તેઓને તે નથી કીધું, વળી સૂત્રમાં (સિદ્ધાંતમાં) મિથ્યાદષ્ટિ આદિને અવધિજ્ઞાન કહ્યું છે કેમ કે ભક્તિથી વશ થયેલા નમ્ર દેવ દાનવ મનુષ્ય કિન્નર વિદ્યાધના માણિક્યના કરોડો મુકટોથી પૃષ્ટ ચરણ કમલ યુગલ જેનું છે એવા શ્રી સુધર્માસ્વામિએ પંચમાંગમાં કહ્યું છે કે “અવધિદર્શન રૂપ અનાકારે પગવાળા છે પ્રભુ! જ્ઞાની છે કે અજ્ઞાની?
ગૌતમ! જ્ઞાની પણ છે અજ્ઞાની પણ છે. જે જ્ઞાની છે તે કેટલાક ત્રણ જ્ઞાનવાળા છે, કેટલાક ચાર જ્ઞાનવાળા છે, જે ત્રણ જ્ઞાનવાળા છે તે આભિનિબંધક જ્ઞાનવાળા, શ્રુતજ્ઞાનવાળા, અવધિજ્ઞાનવાળા છે. જે ચાર જ્ઞાનવાળા છે તે આભિનિબેધિકજ્ઞાનવાળા, કૃતજ્ઞાનવાળા,અવધિજ્ઞાનવાળા, મનઃ પર્યાવજ્ઞાનવાળા છે. જે અજ્ઞાની છે તે નિયમા ત્રણ અજ્ઞાનવાળા છે મતિ-અજ્ઞાની, શ્રત અજ્ઞાની, વિર્ભાગજ્ઞાની.
અહીં જે અજ્ઞાની છે તે મિથ્યાષ્ટિ જ છે તેથી મિથ્યાદૃષ્ટિ આદિને પણ અવધિ દર્શન સાક્ષાત્ અહીં સૂત્રમાં બતાવ્યું છે તે જ વિર્ભાગજ્ઞાની જ્યારે સાસ્વાદન કે મિશ્રામાં હોય ત્યારે પણ ત્યાં તેને અવધિ દર્શન હોય છે.
Jain Education International
For Personal & Private Use Only
WWW.jainelibrary.org