________________
અન્ય અસંખ્યાતા લાવવાની પ્રક્રિયા જઘન્ય પરિત અસંખ્યાત પરથી અન્ય યુક્ત અસંખ્યાતાદિની ગણત્રીમાં બે મતાંતર છે. તેમાં પ્રથમ અનુયાગદ્વાર સુત્રનો મત આ પ્રમાણે છે.
જન્ય પરિત્ત અસંખ્યાતમાંથી ૧ જૂન કરીએ એટલે ઉત્કૃષ્ટ સંખ્યાત આવે. જઘન્ય સંખ્યાત ૨ છે. વચ્ચેના બધા મધ્યમ સંખ્યાત જાણવા. જઘન્ય પરિત્ત અસંખ્યાતને રાશિઅભ્યાસ કરીએ એટલે જઘન્ય યુક્ત અસંખ્યાત આવે. જઘન્ય યુક્ત અસંખ્યાતને રાશિઅભ્યાસ કરીએ એટલે જઘન્ય અસંખ્યાત. અસંખ્યાત આવે. જઘન્ય અસંખ્યાત અસંખ્યાતને રાશિ અભ્યાસ કરીએ એટલે જઘન્ય પરિત્ત અનંત આવે. * જઘન્ય પરિત અનંતન રાશિઅભ્યાસ કરીએ એટલે જઘન્ય યુક્ત અનંત આવે. જઘન્ય યુક્ત અનંતને રાશિઅભ્યાસ કરીએ એટલે જઘન્ય અનંત અનંત આવે.
પ્રશ્ન –રાશિ અભ્યાસ એટલે શું?
ઉ. –જે સંખ્યાને રાશિ અભ્યાસ કરવો હોય તે સંખ્યાને તેટલી વાર સ્થાપી પરસ્પર ગુણાકાર કરે તે રાશિ અભ્યાસ કહેવાય.
- દા. ત. ૫ ને રાશિ અભ્યાસ કરે છે, તે ૫ વાર પાંચને સ્થાપન કરીને પરસ્પર ગુણવાના.
એટલે ૫ ૪૫ ૪૫ ૪૫ ૪૫ = ૩૧૨૫ આવે. ૪ ને રાશિ અભ્યાસ ૪ x ૪ ૪ ૪ ૪ ૪ = ૨૫૬ આવે. ૩ ને
૩ * ૩ ૪ ૩ = ૨૭ આવે. •
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org