SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ સત્તાપ્રકરણ પ્રકૃતિસ્થાન પ્રરૂપણા पढमचरिमाणमेगं, छन्नवचत्तारि बीयगे तिन्नि । वेयणियाउयगोएसु, दोन्नि एगोत्ति दो होंति ।। १० । प्रथमचरमयोरेकम्, षण्नवचत्वारि द्वितीये त्रीणि । વેવનીયાયુોત્રેષુ, કે ૫ રૂતિ હો ભવતઃ || ૧૦ || ગાથાર્થ :- પ્રથમ અને અન્ય કર્મનું ૫-૫નું એકેક સ્થાન, બીજા દર્શનાવરણીયમાં ૬-૯-૪ એ ત્રણ સ્થાન, વેદનીય - આયુષ્ય અને ગોત્રમાં ૨-૧ પ્રકૃત્યાત્મક એમ બે - બે સત્તાસ્થાન હોય છે. -: ટીકાર્થ :- તે પ્રમાણે એક એક પ્રકૃતિ સત્તાકર્મ કહ્યું. હવે પ્રકૃતિસ્થાન સત્તાકર્મ :- પ્રરૂપણા કહે છે. પ્રથમ અને અન્ય જ્ઞાનાવરણ - અંતરાયનો એક એક પાંચ પ્રકૃત્યાત્મક સ્થાન છે. અને તે ક્ષીણકષાયના અન્ય સમય સુધી સત્તામાં હોય છે, આગળ સત્તામાં ન હોય. તથા બીજા દર્શનાવરણને વિષે ૩ પ્રકૃતિસ્થાનો છે. તે આ પ્રમાણે ૬ -૯ -૪ છે. ત્યાં સર્વ દર્શનાવરણીય પ્રકૃતિનો સમુદાય તે ૯નું પ્રકૃતિસ્થાન. અને તે ૯ પ્રકૃતિઓ ઉપશમશ્રેણિને આશ્રયીને ઉપશાંતમોહ ગુણસ્થાનક સુધી સત્તામાં હોય છે. ક્ષપકશ્રેણિને આશ્રયીને અનિવૃત્તિબાદ૨સંપ૨ાય ગુણસ્થાનકના જ્યાં સુધી સંખ્યાતા ભાગો છે ત્યાં સુધી સત્તામાં હોય છે, આગળ થીણદ્વિત્રિકનો ક્ષય થતા ૬ની સત્તા હોય છે. અને તે ૬ પ્રકૃતિસત્તાસ્થાન ત્યાં સુધી હોય છે કે જ્યાં સુધી ક્ષીણકષાયનો ઉપાન્ય સમય આવે, તે ઉપાજ્ન્મ સમયે નિદ્રા-પ્રચલાનો વિચ્છેદ પામે છે. અને તેથી અન્ય સમયે ૪ની જ સત્તા હોય છે. તથા વેદનીય - આયુષ્ય - ગોત્રકર્મના બે બે પ્રકૃતિસ્થાન છે. તે આ પ્રમાણે ૨ પ્રકૃતિનું સત્તાસ્થાન અને ૧ પ્રકૃતિનું સત્તાસ્થાન. ત્યાં જ્યાં સુધી એક વેદનીયનો ક્ષય ન થાય ત્યાં સુધી બેની સત્તા હોય છે. અને એકનો ક્ષય થયે એકની સત્તા હોય છે. 23 જ્યાં સુધી એક ગોત્રનો ક્ષય ન થાય અથવા ઉલના ન થાય ત્યાં સુધી બેની સત્તા હોય છે. નીચગોત્રનો ક્ષય થતા અથવા ઉચ્ચગોત્રની ઉલના થતા એકની સત્તા હોય છે. આયુષ્યને વિષે તો જ્યાં સુધી બાંધેલા આયુષ્યનો ઉદય ન થાય ત્યાં સુધી બે પ્રકૃતિની સત્તા હોય છે, અને જ્યારે (તે બાંધેલ આયુષ્યનો) ઉદય થાય ત્યારે પૂર્વના આયુષ્યનો ક્ષય થતા એકની જ સત્તા હોય છે. (અર્થાત્ પરભવનું આયુષ્ય બાંધે નહી ત્યાં સુધી એકની સત્તા અને તે બંધ થયા પછી તે ભવનું આયુષ્ય પૂર્ણ ન કરે ત્યાં સુધી ૨ની સત્તા હોય છે.)(યંત્ર નંબર ૩ જુઓ) (-: અથ મોહનીયકર્મના પ્રકૃતિસત્તાસ્થાન પ્રરૂપણા गाइ जाव पंचग- मेक्कारस बार तेरसिगवीसा । बिय तिय चउरो छस्सत्त, अट्टवीसा य मोहस्स ।। ११ ।। ૯ एकादि यावत् पञ्चकमेकादश, द्वादश-त्रयोदशैकविंशतयः । द्वित्रिक चतुः षट्सप्ताऽष्टाविंशतयश्च मोहस्य ।। ११ ।। . અહીં વેદનીયની બંને પ્રકૃતિ ૧૪માના દ્વિચ૨મ સમય સુધી સત્તામાં હોય છે. દ્વિચ૨મ સમયે કોઈપણ એકની સત્તા નષ્ટ થાય ત્યારે ૧૪માના અન્ય સમયે એકની સત્તા રહે છે. અહીં ગોત્રકર્મ તેઉ-વાઉકાયમાં ઉચ્ચગોત્રને ઉવેલે ત્યારે કે ૧૪માના દ્વિચ૨મ સમયે નીચગોગનો ક્ષય કરે ત્યારે એક ગોત્રની સત્તા હોય છે, તે સિવાય હંમેશા બન્ને ગોત્રની સત્તા હોય છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005574
Book TitleKarm Prakruti Part 03
Original Sutra AuthorN/A
AuthorKailashchandravijay
PublisherRander Road Jain Sangh
Publication Year
Total Pages538
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy