________________
ઉદયપ્રકરણ
(-: અથ પ્રદેશોદય સ્વામિત્વ પ્રરૂપણા :-)
सम्मत्तुप्पति-सावय - विरए संजोयणाविणासे य । दसणमोहक्खवगे, कसायउवसामगुवसते ।। ८ ।। खवगे य खीणमोहे, जिणे य दुविहे असंखगुणसेढी । ઉલો તરવરીબો, વાતો - સવેળપુસેદો / सम्यक्त्वोत्पत्तिश्रावक - विरतेषु संयोजनाविनाशे च । दर्शनमोहक्षपके, कषायोपशामकोपशान्तयोः ।। ८ ।। क्षपके च क्षीणमोहे, जिणे च द्विविधेऽसंख्येयगुणश्रेण्या ।
લયસ્તદ્વિપરીતઃ, છાતઃ સંધ્યેયમુનશેા RT || ગાથંથ :- (૧) સમ્યકત્વ ઉત્પત્તિમાં, (૨) શ્રાવક (દેશવિરતિ) ઉત્પત્તિમાં, (૩) સર્વવિરતિ સંબંધી, (૪) અનંતાનુબંધિની વિસંયોજના સંબંધી, (૫) દર્શનમોહનીય ક્ષય સંબંધી, (૬) ચારિત્રમોહનીયને ઉપશમાવવા સંબંધી, (૭) ઉપશાંતમોહનીય સંબંધી, (૮) મોહનીય ક્ષય સંબંધી, (૯) ક્ષીણમોહ સંબંધી, (૧૦) સયોગી કેવલી સંબંધી, (૧૧) અયોગી કેવલી સંબંધી (એ પ્રમાણે કેવલીની બે પ્રકારે). એ ગુણશ્રેણિઓમાં દલિકની ઉદય રચના અનુક્રમે અસંખ્યયગુણ છે, અને કાળ તેથી વિપરીતક્રમે સંખ્યયગુણ ગુણશ્રેણિઓમાં છે.
ટીકાર્થ :-- સાદિ - અનાદિ પ્રરૂપણા કહીં, હવે સ્વામિત્વને કહે છે. અને તે બે પ્રકારે છે - ઉત્કૃષ્ટ પ્રદેશોદય સ્વામિત્વ અને જઘન્ય પ્રદેશોદય સ્વામિત્વ. ત્યાં ઉત્કૃષ્ટ પ્રદેશોદયના સ્વામિત્વને કહેવાની ઇચ્છાવાળા તેના (પ્રદેશોદય સ્વામિત્વ) સંબંધે સંભવતી સર્વ પણ ગુણશ્રેણિઓનું સ્વરૂપ કહે છે. '
(–ઃ અથ ૧૧ ગુણશ્રેણિઓનું સ્વરૂપ :-) અહીં.૧૧ ગુણશ્રેણિઓ છે, તે આ પ્રમાણે સમ્યકત્વ ઉત્પન્ન કરવામાં પ્રથમ ગુણશ્રેણિ. બીજી દેશવિરત શ્રાવકને. ત્રીજી વિરતે - સર્વવિરતિમાં પ્રમત્ત - અપ્રમત્તને. ચોથી સંયોજનાના વિનાશમાં અનંતાનુબંધિની વિસંયોજનામાં. પાંચમી દર્શનમોહનીયત્રિક ક્ષય કરનારને. છઠ્ઠી ચારિત્રમોહનીય ઉપશમાવનારને. સાતમી ઉપશાંત મોહનીયમાં. આઠમી મોહનીયનો ક્ષય કરનારને, નવમીક્ષીણમોહમાં. દસમી સયોગી કેવલીને. અગીયારમી - અયોગી કેવલીને.
૧૨ શ્રી આચારાંગજીની વૃત્તિમાં ગુણશ્રેણિઓ આ પ્રમાણે કહી છે. ૧- અલ્પસ્થિતિકગ્રંથિસત્ત્વ | ૧૦- પ્રતિપન્ન દેશવિરતિ
૧૯ - પ્રતિપન્ન દર્શનમોહક્ષપક ૨ - ધર્મ પ્રમ્નાભિમુખી ૧૧ પ્રતિપજ્યભિમુખ સર્વ વિરતિ
૨૦ - પ્રતિપાભિ મુખ ચારિત્રમોહોપશમક ૩- ધર્મ પ્રશ્નાર્થેગમનકર્તા ૧૨ - પ્રતિપદ્યમાન સર્વવિરતિ
૨૧ - પ્રતિપદ્યમાન ૪ - ધર્મપૃચ્છક ૧૩ - પ્રતિપન્ન સર્વવિરતિ
૨૨ - પ્રતિપન્ન ૫ - ધર્મસ્વીકારાભિલાષી ૧૪ - પ્રતિપર્વાભિમુખ અનંતા વિસંયોજક(વા ક્ષપક)| ૨૩ - પ્રતિપજ્યભિમુખ ચારિત્રમોહક્ષપક ૬ - ધર્મ પ્રતિપદ્યમાન ૧૫ - પ્રતિપદ્યમાન ''
૨૪ - પ્રતિપદ્યમાન ૭ - પ્રતિપનધર્મી ૧૬ - પ્રતિપન "
૨૫ - પ્રતિપન્ન ૮ - પ્રતિપ્રજ્યભિમુખ દેશવિરતિ |૧૭ - પ્રતિપસ્યભિમુખ દર્શનમોહલપક
૨૬ - ભવથ સર્વજ્ઞ ૯ - પ્રતિપદ્યમાન દેશવિરતિ | ૧૮ - પ્રતિપદ્યમાન "
૨૭- શૈલેશીવંત. એ ૨૭ પ્રકારના જીવોને અનુક્રમે સંખ્યાતગુણ હીન હીન અંતર્મુહૂર્તમાં અનુક્રમે અસંખ્ય ગુણ અધિક અધિક કર્મપ્રદશની નિર્જરા હોય. અહીં પ્રથમની ૭ શ્રેણિઓને સમ્યકત્વ પ્રત્યયિક ગુણશ્રેણિ કહી છે. બાકીના નામ પ્રગટ છે. અહીં બતાવેલ ગુણઋણિાઓમાં ઉપશાંત અને ક્ષીણમહની શ્રેણિઓ ન આવી તે સિવાય ૯ ગુણશ્રેણિઓની ૨૭ આવી. તેમાં ૭ સમક્તિ સંબંધી ૧ સયોગી સંબંધી ૧ અયોગી સંબંધી બાકીની ૬ ની ૩-૩ ગુણશ્રેણિઓ આવી. | ૭ + ૧+૧+ (૬૪૩) = ૧૮ = ૨૭ અને તે ૧ અભિમુખ, ૨ પ્રતિપદ્યમાન, ૩ પ્રતિપન્ન. અનંતાનુબંધિની વિસંયોજના જો કે ૪થી૭ માં ગુણસ્થાનક સુધી થાય છે, પરંતુ ૭માં ગુણસ્થાનકવાળો આત્મા અનંતગુણ વિશુદ્ધ પરિણામવાળો હોવાથી અને સર્વવિરતિ નિમિત્તે થતી ગુણશ્રેણિથી અસંખ્યાતગુણ નિર્જરા અનંતાનુબંધિની વિસંયોજના કરનાર કરે છે એમ કહ્યું હોવાથી અપ્રમત્ત ગુણસ્થાનકે અનંતાનુબંધિની વિસંયોજના કરતા જે ગુણશ્રેણિ થાય છે તે અહીં ગ્રહણ કરવી. એ પ્રમાણે દર્શનમોહનીયની ક્ષપણાદિ નિમિત્તે સાતમે
ગુણસ્થાનકે થતી ગુણશ્રેણિ જ ગ્રહણ કરવી. ૧૪ સયોગીના અંતે જે અયોગી નિમિત્તે ગુણશ્રેણિ થાય છે, તે અયોગીની ગુણશ્રેણિ લેવાની છે. કારણ કે અયોગી ગુણસ્થાનકે યોગના અભાવે ઉપરના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org