SearchBrowseAboutContactDonate
Page Preview
Page 278
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૪ કર્મપ્રકૃતિ ભાગ - ૩ દેશવિરતિ ગુણસ્થાનકે ૧૨ ભાંગા.... :-9 કારણ કે દેશવિરતિ દેવો અને નારકોને સંભવે નહીં, તેથી તેને આશ્રયીને ૧૦ ભાંગા દૂર કરવા. તિર્યચ-મનુષ્યો પણ દેશવિરતિ ગુણસ્થાનકે દેવાયુષ્ય જ બાંધે, પણ નરક-તિર્યંચ-મનુષ્પાયુષ્ય ન બાંધે, તેથી તિર્યંચ - મનુષ્યના આયુષ્ય બંધકાલના ૩-૩ ભાંગા ન પામે, તેથી તે ૬ પણ દૂર કરવા, તેથી ૨૮માંથી ૧૬ બાદ કરવાથી બાકી રહેલા ૧૨ જ ભાંગા હોય છે. પ્રમત્ત-અપ્રમત્ત ગુણસ્થાનકે ૬-૬ ભાંગ... :-' પ્રમત્ત-અપ્રમત્ત ગુણસ્થાનકે જે મનુષ્યના ૯ ભાંગા છે તેમાંથી પરભવાયુના બંધકાલના નારક-તિર્યંચ મનુષ્ય આયુષ્યના બંધ ઘટિત ૩ ભાંગા રહિત ૬ જાણવાં. કારણ કે પ્રમત્ત - અપ્રમત્ત દેવાયુષ્ય જ બાંધે છે, બાકીના આયુષ્ય બાંધે નહીં. બંધ થયા પછીના કાલે ચારિત્ર સ્વીકારનારને તો ચારે આયુષ્યની સત્તા સંભવે છે. અપૂર્વકરણ - અનિવૃત્તિ બાદર – સૂક્ષ્મસંપરાય - ઉપશાંત મોહગુણસ્થાનકે -... ઉપશમશ્રેણિમાં બે ભાંગા હોય છે. તે આ પ્રમાણે.... (૧) મનુષ્પાયુષ્યનો ઉદય-મનુષ્પાયુષ્યની સત્તા આ ભાંગો પરભવાયુષ્યના બંધકાલ પૂર્વે (ઉપશમશ્રેણિમાં આરૂઢ થનારને) હોય છે. અથવા (૨) મનુષ્પાયુષ્યનો ઉદય - દેવ-મનુષ્યાયુષ્યની સત્તા આ ભાંગો પરભવાયુનો બંધ થયા પછી અર્થાતુ પૂર્વબદ્ધ દેવાયુષ્યવાળો ઉપશમશ્રેણિ સ્વીકારનારને સંભવે છે. *ક્ષપકશ્રેણિમાં તો તેઓને મનુષ્યાયુષ્યનો ઉદય-મનુષ્પાયુષ્યની સત્તા આ એક જ ભાંગો હોય છે, કારણ કે પૂર્વબદ્ધ આયુષ્યવાળા ક્ષપકશ્રેણિનો સ્વીકાર કરતાં નથી. ક્ષીણમોહાદિ ૩ ગુણસ્થાનકે આ એક જ ભાંગો જાણવો. તે રીતે ગુણસ્થાનક વિષે આયુષ્યકર્મના ભાંગા કહ્યાં. (યંત્ર નંબર ૪૯/c જુઓ.). યંત્ર નંબર ૪૮ની ટી. ૬ - નરક પ્રાયોગ્ય ૨૮ બંધ સ્થાનમાં ૩૦-૩૧ના ૨ ઉદયસ્થાનો છે. તેમાં ૩૦ના ઉદયસ્થાનમાં વૈક્રિય શરીરી મનુષ્ય અને આહારક શરીરી મનુષ્યનો ૧-૧ ભંગ ન સંભવાથી કુલ ૨૮૮૮ ઉદયભંગ થાય, અને ૩૧ના ઉદયસ્થાનમાં દે વ પ્રાયોગ્ય બંધસ્થાનની જેમ બધા જ ૧૧૫ર ઉદયભંગો સંભવે છે. પ્રશ્ન :- જેવી રીતે દેવ પ્રાયોગ્ય બંધક તરીકે વૈક્રિય તિર્યંચ-મનુષ્યની વિવક્ષા કરી તેના ૨૫-૨૭-૨૮ -૨૯ ઉદયસ્થાનકો કહ્યાં છે. તેવી રીતે નરક પ્રાયોગ્ય બંધમાં પણ આ ઉદયસ્થાનકો કેમ ન સંભવે ? ઉત્તર :- અહીં તેની વિવક્ષા કરી નથી એમ લાગે છે. ટી. ૭ કર્મપ્રકૃતિ તથા પંચસંગ્રહના ઉદીરણાકરણના આધારે યુગલિકોને શુભવિહાયોગતિ, સુસ્વરનો જ ઉદય માનેલો હોવાથી તેના હિસાબે અપર્યાપ્તાવસ્થાના ઉદયસ્થાનોમાં ખગતિ અને સ્વરના પણ ભેગો ઓછા થવાથી, ૨૧-૦૬-૨૮-૨૯- ૩૦-૩૧ના ઉદયસ્થાનોમાં ક્રમે ૮-૮-૮૧૬-૧૧૬૦-૧૧૫૨ ઉદયભંગ અને છએ ઉદયસ્થાનના કુલ ઉદયભંગ ૨૩૫ર થાય. એ હિસાબે ૨૮ના બંધ કુલ ઉદયભંગો ૫૦૫૦ થાય, , આ જ પ્રમાણે ૪થે ગુણસ્થાનકે સામાન્યથી અને ૨૮ના બંધસ્થાનના સંવેધમાં પણ પંચેન્દ્રિય તિર્યંચના ભંગો જાણવા ટી. ૮ અહીં એકેન્દ્રિયના કુલ ભંગ-૩૧ અસંભવિત બતાવ્યા છે. કારણ કે ૨૮નું બંધસ્થાનક દેવ-નારક પ્રા યોગ્ય છે. માટે સંભવિત ઉદયસ્થાનકો હોવાથી એકે દેવ-નરક પ્રાયોગ્ય ન બાંધે માટે અસંભવિત છે. તથા + ૧૧ બતાવ્યા છે. તે ૨૮ના બંધસ્થાનક સાથે ૨૪નું ઉદયસ્થાન જ અસંભવિત છે. તેથી તેના + ૧૧ અસંભવિત ભાંગા બતાવ્યા છે. ટી. ૯ ૩૦ના બંધસ્થાનકે વૈક્રિય શરીરી મનુષ્ય અને તિર્યંચ મિથ્યાદષ્ટિ હોય, કેમ કે ૧થી૬ ગુણસ્થા નક સુધી આહારદ્ધિક સાથે દેવપ્રાયોગ્ય ૩૦નો બંધ સંભવતો નથી, અને મનુષ્ય પ્રાયોગ્ય ૩૦ના બંધક સમ્યગુદષ્ટિ દેવતા-નારક હોય છે.તેથી ઉદ્યોત સાથેના પંચેન્દ્રિય તિર્યંચ અને વિક્લેન્દ્રિય પ્રાયોગ્ય ૩૦ના બંધક મિબાદષ્ટિ જ હોય, અને ઉદ્યોતના ઉદયવાળા મનુષ્ય પમા અને ૬ઠ્ઠા ગુણસ્થાનકવાળા જ હોય, અને ૭મે ગુણસ્થાનકે ઉત્તરવક્રિય શરીરી અને આહારક શરીરીને માનેલ નથી. તેથી તેમના ૧૦ ઉદયભંગ અહીં લીધા નથી. ટી. ૧૦ મતાંતરે ૭મે ગુણસ્થાનકે ઉત્તર વૈક્રિયશરીરી અને આહારક શરીરી માનનારની અપેક્ષાએ ૨૯ના ઉદય સ્થાનમાં ઉદ્યોતના ઉદય વગરના ઉત્તર વૈક્રિય શરીરી મનુષ્યો ૧, આહારક શરીરી મનુષ્યો-૧ એમ બે અને ૩૦ ઉદયસ્થાનમાં ઉદ્યોતના ઉદયવાળા ૧-૧ એમ બે કુલ ૨ ઉદયસ્થાનના કુલ ૪ ઉદયભંગો વધે. તેથી સંભવિત ઉદયભાંગ ૭૭૭૭ થાય. અને અસંભવિત ઉદયભાંગા -૧૪ થાય. ટી. ૧૧ ઉપશમશ્રેણિામાં પણ ૧લા જ સંઘયણનો ઉદય માનનારાના મતે ૧ના બંધમાં ૩૦ના ઉદયસ્થાન માં ૨૪ ઉદયભાંગા આવે. અને અબંધમાં ૩૦ના ઉદયસ્થાનમાં ૨૫ ઉદયભાંગા આવે. એટલે અબંધમાં કુલ ૬૨ ઉદયભાંગા થાય. ટી.૩૩૦ સગા-૧૦૮ “ફેસર વારસ તિથિનુમંગ છવંઘષણિીના ” ટી. ૩૩૧ સગા-૧૦૮ “ગુખવિંગૂગા કુસુ સેસા કમાટીનું ! ૧૦૮ના” બાકીના ગુણસ્થાનકોના ભાંગાઓ બંને શ્રેણિમાં ગાથા-૧૦૬માં કહયાં તે પ્રમાણે યથાયો ગ્ય રીતે સમજવાં. ટી. ૩૩૨ આ ગુણસ્થાનકોમાં વર્તતાં આત્માઓ અત્યન્ત વિશુદ્ધિવાળા હોવાથી કોઇપણ આયુનો બંધ કરતા નથી, તથા જો કોઇપણ આયુનો બંધ કરી ઉપશમશ્રેણિમાં આરૂઢ થાય તો દેવાયુનો બંધ કરીને જ આરૂઢ થાય છે. અન્ય કોઇપણ આયુનો બંધ કર્યા પછી આરૂઢ થતા નથી. આયુનો બંધ કર્યા વિના પણ ચઢી શકે છે. આ જ ગ્રંથમાં કહ્યું છે કે...“કોઇપણા મનુષ્યો નારક, તિર્યંચ અને મનુષ્યાયુનો બંધ કર્યા બાદ શ્રેણિપર આરૂઢ થતા નથી." માટે ૮થી૧૧ એ ૪ ગુણસ્થાનકોમાં ઉપર કહ્યા તે ઉપશમશ્રેણિ આશ્રયી બે-બે ભાંગા હો ય છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005574
Book TitleKarm Prakruti Part 03
Original Sutra AuthorN/A
AuthorKailashchandravijay
PublisherRander Road Jain Sangh
Publication Year
Total Pages538
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy