SearchBrowseAboutContactDonate
Page Preview
Page 264
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૦ કર્મપ્રકૃતિ ભાગ - ૩ ગુણસ્થાનક વિષે નામકર્મના સત્તાસ્થાનકો પ્રદર્શક યંત્ર નંબર-૪૭) ક્યા સત્તાસ્થાનકો ? ગુણસ્થાનક | કેટલાં સત્તાસ્થાનકો ૧લે | ૬ ૯૨-૮૯-૮૮-૮૬-૮૦-૭૮ ૯૨-૮૮ ૯૩-૯૨-૮૯-૮૮ ૮ ૯૩-૯૨-૮૯-૮૮-૮૦-૭૯-૭૬-૭૫ ૨-૩ જે. ૪થી ૮મા સુધી ૯ - ૧૦ મે ૧૧મે ૧૨ -૧૩મે ૧૪ મે ૯૩-૯૨-૮૯-૮૮ ૮૦-૭૯-૭૬-૭૫ ૮૦-૭૯-૭૬-૭૫-૯-૮ | તે ઉદવલનાના અભાવથી દેવદ્ધિક કે નકદ્ધિકને ઉવેલતો નથી. કારણ કે તથા સ્વભાવે જ વૈક્રિયષકની સમકાલે ઉવલના થાય છે. અને વૈક્રિયષકની ઉવલના થયા પછી જ મનુષ્યદ્વિકની ઉવલના કરે છે, તે પહેલાં કરતો નથી, તેથી ૭૮ અને ૮૦ એ બે સત્તાસ્થાનકો વૈક્રિય વાયુકાયને હોતા નથી. ર૫ના ઉદયે પણ પ સત્તાસ્થાનકો છે.... તેમાં ૨૫ના ઉદયે ૭૮નું સત્તાસ્થાન વૈક્રિયશરીરી સિવાયના અન્ય વાયુકાય અને તેઉકાયને હોય છે. તે સિવાયના બીજાને (પૃથ્વીકાયાદિને) હોતું નથી. કારણ કે તેઉકાય વાયુકાય વિનાના સર્વ પણ પર્યાપ્ત મનુષ્યગતિ-મનુષ્યાનુપૂર્વી અવશ્ય બાંધે છે. તેથી ૭૮નું સત્તાસ્થાન (શરૂઆતના પોત-પોતાના બે ઉદયસ્થાન સિવાય) અન્યત્ર સંભવતું નથી. ૨૬ના ઉદયે પણ ૫ સત્તાસ્થાનકો હોય છે.... તેમાં ૭૮નું સત્તાસ્થાન અવક્રિય વાયુકાય-તેઉકાય જીવોને અને બેઇન્દ્રિય-તે ઇન્દ્રિય-ચઉરિક્રિય- તિર્યચપંચેન્દ્રિયને તેઉવાયુમાં મનુષ્યદ્રિક ઉવેલી ત્યાંથી નીકળીને આવેલા પર્યાપ્તઅપર્યાપ્તાને હોય છે. કારણ કે જ્યાં સુધી તેઓ સર્વ મનુષ્યગતિ-મનુષ્યાનુપૂર્વી ન બાંધે ત્યાં સુધી તેઓને ૭૮નું સત્તાસ્થાન હોય છે, ત્યારબાદ હોતું નથી. ૨૭ના ઉદયે ૭૮ સિવાયના ૪ સત્તાસ્થાનકો છે..... કારણ કે ૨૭નો ઉદય તેઉવાયુકાય સિવાયના પર્યાપ્ત બાદરએકેન્દ્રિય અને વૈક્રિય તિર્યંચ - મનુષ્યોને હોય છે. તેઓને અવશ્ય મનુષ્યદ્વિકના બંધનો સંસ્વ હોવાથી ૭૮નું સત્તાસ્થાન ન હોય. પ્રશ્ન :- કેવી રીતે તેલ-વાયુકાયને ર૭નો ઉદય હોતો નથી ? જેથી તેને વર્ષો છો ? ઉત્તર :- તેલ-વાલે આતપ કે ઉદ્યોતનો ઉદય જ હોતો નથી. એટલે તેલ-વાયુમાં ૨૭નું ઉદયસ્થાનક હોતું નથી. માટે તેને વર્યુ છે. ૨૮-૨૯-૩૦ અને ૩૧ ના ઉદયમાં અવશ્ય ૭૮ સિવાયના ૪-૪ સત્તાસ્થાનકો હોય છે.... કારણ કે ૨૮ આદિના ઉદયો પર્યાપ્ત વિકસેન્દ્રિય-તિર્યંચ પંચેન્દ્રિય અને મનુષ્યોને હોય છે, અને ૩૧નો ઉદય પર્યાપ્ત વિક્લેન્દ્રિય અને તિર્યંચ પંચેન્દ્રિયને હોય છે, અને તેઓ અવશ્ય મનુષ્યદ્વિકની સત્તાવાળા હોય છે. તે પ્રમાણે ૨૩ના બંધકોના યથાયોગ્ય નવે પણ ઉદયસ્થાનને આશ્રયીને ૪૦ સત્તાસ્થાનકો થાય છે. ૨૯૬ ૮૮ની સત્તાવાળો એકેન્દ્રિય પહેલાં દેવદ્વિક ઉવેલું છે, ત્યારબાદ વૈક્રિયચતુષ્ક અને નરકદ્ધિક ઉકેલે છે, અથવા પહેલાં નરકદ્વિક ઉકેલે છે, અને ત્યાર પછી દેવદ્રિક અને વૈક્રિયચતક ઉવેલું છે. એટલે વૈક્રિય વાયુકાયને ૮૬ની સત્તા હોઇ શકે છે, કેમ કે વૈક્રિય શરીર થવાનું કારણ વૈક્રિય ચતુષ્કની સત્તા છે અને ૮૬ના સત્તાસ્થાનકમાં તે છે. ૨૯૭ ઉત્તર વૈક્રિયશરીરીમનુષ્ય તથા તિર્યંચ પંચેન્દ્રિયને વૈક્રિયચતુષ્કની સત્તા અવશ્ય હોય છે. માટે આ ઉદયસ્થાનોમાં પણ વૈક્રિયશરીરી મનુષ્ય તથા તિર્યંચ પંચેન્દ્રિયોને ૮૦ તથા ૮૬નું સત્તાસ્થાન પણ હોતું નથી એટલે કે તેઓને માત્ર ૯૨ અને ૮૮ એ બે જ સત્તાસ્થાન હોય છે. ૨૯૮ તેઉકાય-વાયુકાય જ મનુષ્યદ્ધિક ઉવેલું છે, અન્ય કોઇપણ ઉવેલતા નથી, એટલે તેઉવાઉમાં તો તેના પોતાના સઘળા ઉદયસ્થાનોમાં ૭૮નું સત્તાસ્થાન સંભવે છે. પરંતુ તે સિવાયના અન્ય પર્યાપ્ત પૃથ્વીકાયાદિ તિર્યંચો કે જેઓ તેઉવાઉમાંથી મનુષ્યદ્વિક ઉવેલીને આવેલા છે. તેમાં શરૂઆતના પોતાના બે ઉદયસ્થાન સુધી જ ૭૮નું સત્તાસ્થાન હોય છે. ત્યારબાદ મનુષ્યદ્ધિકનો અવશ્ય બંધ થઇ જતો હોવાથી ૭૮નું સત્તાસ્થાન હોતું નથી. અહીં પૃથ્વીકાયાદિને “પર્યાપ્ત" વિશેષણ જોડયું છે, તેનો અર્થ પર્યાપ્ત નામકર્મના ઉદયવાળા એવો લેવાનો છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005574
Book TitleKarm Prakruti Part 03
Original Sutra AuthorN/A
AuthorKailashchandravijay
PublisherRander Road Jain Sangh
Publication Year
Total Pages538
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy