SearchBrowseAboutContactDonate
Page Preview
Page 258
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૪ કર્મપ્રકૃતિ ભાગ - ૩ (- યંત્ર નંબર ૪૪ની વિશેષ વિગત :-) સૂક્ષ્માદિ - ૩ની સાથે આપનો ઉદય ન હોય. | સૂક્ષ્માદિ - ૨ની સાથે ઉદ્યોતનો ઉદય ન હોય. આતપ સાથે ઉદ્યોતનો ઉદય ન હોય. | ઉદ્યોત અને આતપનો ઉદય ઉશ્વાસ અને સ્વરના ઉદય પૂર્વે તથા પછી પણ થાય છે. વૈક્રિય શરીર કરનાર પર્યા, બાદર વાયુકાયને દુર્ભગ ૩નો જ ઉદય હોય છે. દેવતાને દુર્ભગ - ૩નો ઉદય પણ હોઇ શકે છે. આહારક શરીરને દુર્ભગ - ૩નો ઉદય ન હોય. વૈક્રિય અને આહારકશરીર વખતે દેશવિરતિ અને સર્વવિરતિ મનુષ્યને ઉદ્યોતનો ઉદય હોઇ શકે છે. સામાન્ય મનુષ્યને નહી. 'વિકસેન્દ્રિયને સુસ્વરનો ઉદય હોઇ શકે છે. સૂક્ષ્મ અને અપર્યાપ્તાને યશનો ઉદય ન હોય. અપયશનો જ હોય. | કેવલી ભગવંતને (સામાન્ય) અશુભવિહાયોગતિ અને દુઃસ્વરનો પણ ઉદય હોઇ શકે છે. તેમ જ છમાંથી કોઇપણ ૧ સંસ્થાન હોય વૈક્રિય શરીરી મનુષ્ય :- તિર્યંચની જેમ પરત ઉદ્યોતનો ઉદય દેશવિરતિ અને સર્વવિરતિને જ હોવાથી તેઓને દુર્ભાગાદિનો ઉદય ન હોય માટે ૨૮ - ૨૯ ના ઉદ્યોત યુક્ત અને ૩૦ ના ઉદયસ્થાનમાં ૧ -૧ ભાંગો આવે. ૧૩ | આહારકશરીરી મનુષ્ય :- વૈ, શ, મનુષ્યવતું પરંતુ દુર્ભગાદિ ૩નો ઉદય ન હોવાથી, સર્વત્ર ૧-૧ જ ભાંગો આવે. (-: અથ નામકર્મની પ્રકૃતિઓનો ગુણસ્થાનકને વિષે ઉદય વિચ્છેદ :-) હવે નામકર્મની પ્રકૃતિઓનો જે ગુણસ્થાનકે ઉદયવિચ્છેદ થાય છે તે કહે છે. - અહીં મિથ્યાદષ્ટિ ગુણસ્થાનકે ભિન્ન ભિન્ન જીવોની અપેક્ષાએ “તીર્થકર અને આહારકદ્ધિક વિના નામકર્મની સર્વે પણ ૬૪ પ્રકૃતિઓનો ઉદય સંભવે છે. તેમાંથી સાધારણ, સૂક્ષ્મ, અપર્યાપ્ત અને આતપનામનો મિથ્યાદષ્ટિ ગુણસ્થાનકે ઉદયવિચ્છેદ થાય છે. ર૯ વિચ્છેદ એટલે જે ગુણસ્થાનકે વિચ્છેદ થાય ત્યાં ઉદયનો ભાવ હોય અને આગળના ગુણસ્થાનકે ઉદયનેઅભાવ હોય. તથા સાસ્વાદન ગુણસ્થાનકે સ્થાવર, એકેન્દ્રિય, વિકસેન્દ્રિયજાતિનો ઉદયવિચ્છેદ થાય છે. અહીં પૂર્વ કહેલ સાધારણાદિના ઉદયનો અસંભવ હોવાથી ૧૬૦ પ્રકૃતિઓનો ઉદય હોય છે. અને નરકાનુપૂર્વીનો અનુદય હોવાથી વાસ્તવમાં ૫૯ પ્રકૃતિઓનો ઉદય હોય છે.) અને મિશ્રદષ્ટિ ગુણસ્થાનકે સ્થાવરાદિ-૫ પ્રકૃતિઓનો સાસ્વાદને વિચ્છેદ થવાથી ઉદય ન હોય, તથા અહીં કાળ કરતો નથી. તેથી આનુપૂર્વી-૪ નો પણ ઉદય નથી, પણ અનુદય છે. તેથી ૫૧ પ્રકૃતિઓનો ભય હોય છે. ૨૬૮ તીર્થકર નામનો ઉદય ૧૩ - ૧૪ મે અને આહારકદ્ધિકનો ઉદય ૬- ૭મા ગુણસ્થાનકે હોવાથી અહીં તેનું વર્જન કર્યું છે. અહીં રસોદયની વિવેક્ષા છે. પ્રદેશોદયની નથી. ૨૬૯ ગાથા - ૮૯ - “સાહારા મિછે, જુના ગરબાવવાનો'' | ૨૭૦ “સાસાવન થાવર-દિવાનગાઉન'' || ૮૬ // ૨૭૧ અહીં ૬૦નો ઉદય બતાવ્યો, પણ કર્મસ્તવમાં જણાવ્યા અનુસાર અહીંનરકાનુપૂર્વીનો ઉદય હોતો નથી. પરંતુ અનુદય હોય છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005574
Book TitleKarm Prakruti Part 03
Original Sutra AuthorN/A
AuthorKailashchandravijay
PublisherRander Road Jain Sangh
Publication Year
Total Pages538
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy